Bharuch Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava માટે Mumtaz Patel નથી કરી રહ્યા પ્રચાર? જાણો શું આપ્યું કારણ?


  • Published By :
  • Published Date : 2024-05-04 10:50:35

ગુજરાતમાં અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા થતી રહેતી હોય છે... કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક અને બીજી છે ભાવનગર લોકસભા બેઠક.. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની લિસ્ટ બહાર પાડી હતી જેમાં અહમદ પટેલના બાળકોનો સમાવેશ થાય છે. ત્યારે ચૂંટણી પહેલા અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે જે ચોકાવનારી છે..

ચૈતર વસાવા છે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવાર

સાતમી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે.. પ્રચાર માટે રાજકીટ પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી સભાઓ ગજવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક વખત પ્રચાર વખતે સાથે જોવા મળતા હોય છે ગઠબંધનને કારણે.. ભરૂચ લોકસભા બેઠક પર આપના નેતા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં અહમદ પટેલના સંતાનોના નામનો સમાવેશ હતો.. 


શું કહ્યું મુમતાઝ પટેલે?

સ્ટાર પ્રચારકની યાદીમાં નામ હોવાને કારણે લાગતું હતું કે ચૈતર વસાવા માટે મુમતાઝ પટેલ પ્રચાર કરશે. પરંતુ આ બધા વચ્ચે તેમનું નિવેદન સામે આવ્યું છે...નિવેદન આપતા મુમતાઝ પટેલે કહ્યું હતું કે, ચૈતર વસાવાએ મારુ સમર્થન નથી માંગ્યું , કદાચ ચૈતર વસાવાને મારી જરૂર પણ નથી . હું એક મહિનાથી ભરૂચ નથી ગઈ. અને હું હાલ કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરી રહી છું. મુમતાઝ પટેલના નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે...               



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.