Bharuch Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava માટે Mumtaz Patel નથી કરી રહ્યા પ્રચાર? જાણો શું આપ્યું કારણ?


  • Published By :
  • Published Date : 2024-05-04 10:50:35

ગુજરાતમાં અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા થતી રહેતી હોય છે... કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક અને બીજી છે ભાવનગર લોકસભા બેઠક.. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની લિસ્ટ બહાર પાડી હતી જેમાં અહમદ પટેલના બાળકોનો સમાવેશ થાય છે. ત્યારે ચૂંટણી પહેલા અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે જે ચોકાવનારી છે..

ચૈતર વસાવા છે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવાર

સાતમી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે.. પ્રચાર માટે રાજકીટ પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી સભાઓ ગજવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક વખત પ્રચાર વખતે સાથે જોવા મળતા હોય છે ગઠબંધનને કારણે.. ભરૂચ લોકસભા બેઠક પર આપના નેતા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં અહમદ પટેલના સંતાનોના નામનો સમાવેશ હતો.. 


શું કહ્યું મુમતાઝ પટેલે?

સ્ટાર પ્રચારકની યાદીમાં નામ હોવાને કારણે લાગતું હતું કે ચૈતર વસાવા માટે મુમતાઝ પટેલ પ્રચાર કરશે. પરંતુ આ બધા વચ્ચે તેમનું નિવેદન સામે આવ્યું છે...નિવેદન આપતા મુમતાઝ પટેલે કહ્યું હતું કે, ચૈતર વસાવાએ મારુ સમર્થન નથી માંગ્યું , કદાચ ચૈતર વસાવાને મારી જરૂર પણ નથી . હું એક મહિનાથી ભરૂચ નથી ગઈ. અને હું હાલ કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરી રહી છું. મુમતાઝ પટેલના નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે...               



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે