Bharuch Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava માટે Mumtaz Patel નથી કરી રહ્યા પ્રચાર? જાણો શું આપ્યું કારણ?


  • Published By :
  • Published Date : 2024-05-04 10:50:35

ગુજરાતમાં અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા થતી રહેતી હોય છે... કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક અને બીજી છે ભાવનગર લોકસભા બેઠક.. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની લિસ્ટ બહાર પાડી હતી જેમાં અહમદ પટેલના બાળકોનો સમાવેશ થાય છે. ત્યારે ચૂંટણી પહેલા અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે જે ચોકાવનારી છે..

ચૈતર વસાવા છે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવાર

સાતમી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે.. પ્રચાર માટે રાજકીટ પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી સભાઓ ગજવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક વખત પ્રચાર વખતે સાથે જોવા મળતા હોય છે ગઠબંધનને કારણે.. ભરૂચ લોકસભા બેઠક પર આપના નેતા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં અહમદ પટેલના સંતાનોના નામનો સમાવેશ હતો.. 


શું કહ્યું મુમતાઝ પટેલે?

સ્ટાર પ્રચારકની યાદીમાં નામ હોવાને કારણે લાગતું હતું કે ચૈતર વસાવા માટે મુમતાઝ પટેલ પ્રચાર કરશે. પરંતુ આ બધા વચ્ચે તેમનું નિવેદન સામે આવ્યું છે...નિવેદન આપતા મુમતાઝ પટેલે કહ્યું હતું કે, ચૈતર વસાવાએ મારુ સમર્થન નથી માંગ્યું , કદાચ ચૈતર વસાવાને મારી જરૂર પણ નથી . હું એક મહિનાથી ભરૂચ નથી ગઈ. અને હું હાલ કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરી રહી છું. મુમતાઝ પટેલના નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે...               



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.