Bharuch Loksabha પર Mumtaz Patel નો Chaitar Vasavaને ખુલ્લો ચેલેન્જ! | જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-19 13:45:48

ભરૂચ લોકસભા બેઠક ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે ચૈતર વસાવા અથવા તો મનસુખ વસાવાને કારણે આ લોકસભા બેઠકની ચર્ચાઓ થતી હોય છે ત્યારે આજે અહીંની ચર્ચા મમુતાઝ પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે થઈ રહી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે મુમતાઝ પટેલની લોકપ્રિયતાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે સંદીપ પાઠક દ્વારા આપવામાં આવેલા નિવેદન પર મુમતાઝ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને ચૈતર વસાવા પર તેઓ બોલ્યા છે.

મુમતાઝ પટેલને લઈ આપવામાં આવ્યું હતું આ નિવેદન!  

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જ્યારે ભાવનગર લોકસભા ચૂંટણી પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ બધા વચ્ચે આપના સંદીપ પાઠકે ચૈતર વસાવાની લોકપ્રિયતા, લોકોના ઈમોશન્સ ચૈતર વસાવા સાથે જોડાયેલા છે તેવી વાત કહી હતી ત્યારે તે નિવેદન પર મુમતાઝ પટેલે પલટવાર કર્યો છે.


ચૈતર વસાવા માટે મુમતાઝ પટેલે કહી આ વાત! 

 મુમતાઝ પટેલે ચૈતર વસાવાને ભરૂચમાં ફરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે જ્યારે પણ તે કોઈના ઘરે જાય છે તો લોકો કહે છે કે તમે અહમદ પટેલના દીકરી છો. ખુરશી પર બેસાડી તેમને કહે છે કે આ ખુરશી પર અહમદ પટેલ બેસતા હતા અને હવે તમારે આ ખુરશી પર બેસવાનું છે. ચૈતર વસાવાને ચેલેન્જ આપતા કહ્યું કે ચૈતર વસાવામાં દમ હોય તો એકલા હાથે ચૂંટણી લડીને બતાવે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.