Bharuch Loksabha પર Mumtaz Patel નો Chaitar Vasavaને ખુલ્લો ચેલેન્જ! | જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-19 13:45:48

ભરૂચ લોકસભા બેઠક ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે ચૈતર વસાવા અથવા તો મનસુખ વસાવાને કારણે આ લોકસભા બેઠકની ચર્ચાઓ થતી હોય છે ત્યારે આજે અહીંની ચર્ચા મમુતાઝ પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે થઈ રહી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે મુમતાઝ પટેલની લોકપ્રિયતાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે સંદીપ પાઠક દ્વારા આપવામાં આવેલા નિવેદન પર મુમતાઝ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને ચૈતર વસાવા પર તેઓ બોલ્યા છે.

મુમતાઝ પટેલને લઈ આપવામાં આવ્યું હતું આ નિવેદન!  

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જ્યારે ભાવનગર લોકસભા ચૂંટણી પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ બધા વચ્ચે આપના સંદીપ પાઠકે ચૈતર વસાવાની લોકપ્રિયતા, લોકોના ઈમોશન્સ ચૈતર વસાવા સાથે જોડાયેલા છે તેવી વાત કહી હતી ત્યારે તે નિવેદન પર મુમતાઝ પટેલે પલટવાર કર્યો છે.


ચૈતર વસાવા માટે મુમતાઝ પટેલે કહી આ વાત! 

 મુમતાઝ પટેલે ચૈતર વસાવાને ભરૂચમાં ફરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે જ્યારે પણ તે કોઈના ઘરે જાય છે તો લોકો કહે છે કે તમે અહમદ પટેલના દીકરી છો. ખુરશી પર બેસાડી તેમને કહે છે કે આ ખુરશી પર અહમદ પટેલ બેસતા હતા અને હવે તમારે આ ખુરશી પર બેસવાનું છે. ચૈતર વસાવાને ચેલેન્જ આપતા કહ્યું કે ચૈતર વસાવામાં દમ હોય તો એકલા હાથે ચૂંટણી લડીને બતાવે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.