Gujaratમાં વધ્યા હત્યાના બનાવ! Rajkotમાં યુવકની કરાઈ હત્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-30 11:54:30

ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. હત્યા જેવા કિસ્સાઓ બહુ ઓછા જોવા મળતા હતા પરંતુ હવે હત્યા જેવો શબ્દ સામાન્ય બની ગયો છે. પ્રતિદિન એવા સમાચાર સામે આવતા હોય છે કે આ જગ્યા પર હત્યાનો બનાવ બન્યો, આ જગ્યા પર ફાયરિંગની ઘટના બની. સામાન્ય રીતે હત્યા પૈસાને કારણે કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે પૈસાની લેતી મામલે યુવકની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 20 વર્ષીય જયદીપ મકવાણા પર અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો. તીક્ષ્ણ હથિયાર દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો. સારવાર માટે યુવકને ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું. 


4500 રુપિયા માટે યુવક પર કરાયો હુમલો!

જાહેરમાં ફાયરિંગ થવું, કોઈની પર હુમલો થવો અને મોત થવું જાણે સામાન્ય બની ગયું છે રાજ્યમાં તેવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં પ્રતિદિન આવા હત્યાના બનાવો બની રહ્યા છે. નાની નાની વાતને લઈ લોકો હત્યા કરી નાખે છે. એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં 4500 રુપિયાને લઈ યુવક પર તીક્ષ્ણ હથિયાર થી હુમલો કરવામાં આવ્યો.મળતી માહિતી અનુસાર સોમવાર રાત્રે આ ઘટના બની હતી. 


ગઈકાલે રાત્રે બની આ ઘટના!

જે વ્યક્તિનું મોત થયું છે તેમના કૌટુંબિક કાકા પ્રવીણ મકવાણા પાનફાડી ખાવા માટે સિદ્ધિવિનાયક પાનની દુકાન ખાતે ગયા ગતા. આ સમય દરમિયાન બે વ્યક્તિઓ ત્યાં આવે છે અને તેમને કહેવા લાગે છે કે તમારા 4500 રુપિયા બાકી છે. તમે પૈસા આપી દો. તે સમયે પ્રવીણ મકવાણાએ કહ્યું કે તેમની પાસે પૈસા નથી. થોડા સમય પછી પૈસા આપી દઈશ. આ સાંભળતા જે બે ભાઈઓ ત્યાં આવ્યા હતા તે બોલાચાલી કરવા લાગ્યા. 


લોહીલુહાણ અવસ્થામાં યુવકને ખસેડાયો હોસ્પિટલ! 

જે વખતે આ બોલાચાલી થઈ રહી હતી તે વખતે પ્રવીણ મકવાણાના ભત્રીજા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ ઘટનામાં જે વ્યક્તિનું મોત થયું એ જયદિપ મકવાણાએ પેલા બે વ્યક્તિઓને બોલાચાલી ન કરવાનું કહ્યું. ગાળો ન આપવાનું કહેતા બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા. દુકાનની બહાર યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. આડેધડ ઘા જયદીપ મકવાણાને કરવામાં આવ્યા. યુવકને લોહીલુહાણ કરી દેવામાં આવ્યો. જયદીપ મકવાણાને લોહી લુહાણ વાળી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું.  જે લોકોએ આ હુમલો કર્યો તે ફરાર થઈ ગયા હતા. 



લુખ્ખાતત્વો બની રહ્યા છે બેફામ!

મહત્વનું છે કે સબ સલામતના દાવાઓ કરવામાં આવે છે પરંતુ આવા કિસ્સાઓ બનતા આવા દાવા પર સવાલ ઉઠે છે. જાહેરમાં ફાયરિંગની ઘટના બને છે તો ક્યાંક જાહેર રસ્તા પર લોકો પર હુમલો કરવામાં આવે છે. અસામાજીક તત્વો બેફામ બન્યા છે તે આવી ઘટનાઓથી લાગે છે. આવી ઘટનાઓ અટકતી ક્યારે બંધ થશે એ પ્રશ્ન છે...        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.