Gujaratમાં વધ્યા હત્યાના બનાવ! Rajkotમાં યુવકની કરાઈ હત્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-30 11:54:30

ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. હત્યા જેવા કિસ્સાઓ બહુ ઓછા જોવા મળતા હતા પરંતુ હવે હત્યા જેવો શબ્દ સામાન્ય બની ગયો છે. પ્રતિદિન એવા સમાચાર સામે આવતા હોય છે કે આ જગ્યા પર હત્યાનો બનાવ બન્યો, આ જગ્યા પર ફાયરિંગની ઘટના બની. સામાન્ય રીતે હત્યા પૈસાને કારણે કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે પૈસાની લેતી મામલે યુવકની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 20 વર્ષીય જયદીપ મકવાણા પર અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો. તીક્ષ્ણ હથિયાર દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો. સારવાર માટે યુવકને ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું. 


4500 રુપિયા માટે યુવક પર કરાયો હુમલો!

જાહેરમાં ફાયરિંગ થવું, કોઈની પર હુમલો થવો અને મોત થવું જાણે સામાન્ય બની ગયું છે રાજ્યમાં તેવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં પ્રતિદિન આવા હત્યાના બનાવો બની રહ્યા છે. નાની નાની વાતને લઈ લોકો હત્યા કરી નાખે છે. એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં 4500 રુપિયાને લઈ યુવક પર તીક્ષ્ણ હથિયાર થી હુમલો કરવામાં આવ્યો.મળતી માહિતી અનુસાર સોમવાર રાત્રે આ ઘટના બની હતી. 


ગઈકાલે રાત્રે બની આ ઘટના!

જે વ્યક્તિનું મોત થયું છે તેમના કૌટુંબિક કાકા પ્રવીણ મકવાણા પાનફાડી ખાવા માટે સિદ્ધિવિનાયક પાનની દુકાન ખાતે ગયા ગતા. આ સમય દરમિયાન બે વ્યક્તિઓ ત્યાં આવે છે અને તેમને કહેવા લાગે છે કે તમારા 4500 રુપિયા બાકી છે. તમે પૈસા આપી દો. તે સમયે પ્રવીણ મકવાણાએ કહ્યું કે તેમની પાસે પૈસા નથી. થોડા સમય પછી પૈસા આપી દઈશ. આ સાંભળતા જે બે ભાઈઓ ત્યાં આવ્યા હતા તે બોલાચાલી કરવા લાગ્યા. 


લોહીલુહાણ અવસ્થામાં યુવકને ખસેડાયો હોસ્પિટલ! 

જે વખતે આ બોલાચાલી થઈ રહી હતી તે વખતે પ્રવીણ મકવાણાના ભત્રીજા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ ઘટનામાં જે વ્યક્તિનું મોત થયું એ જયદિપ મકવાણાએ પેલા બે વ્યક્તિઓને બોલાચાલી ન કરવાનું કહ્યું. ગાળો ન આપવાનું કહેતા બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા. દુકાનની બહાર યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. આડેધડ ઘા જયદીપ મકવાણાને કરવામાં આવ્યા. યુવકને લોહીલુહાણ કરી દેવામાં આવ્યો. જયદીપ મકવાણાને લોહી લુહાણ વાળી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું.  જે લોકોએ આ હુમલો કર્યો તે ફરાર થઈ ગયા હતા. 



લુખ્ખાતત્વો બની રહ્યા છે બેફામ!

મહત્વનું છે કે સબ સલામતના દાવાઓ કરવામાં આવે છે પરંતુ આવા કિસ્સાઓ બનતા આવા દાવા પર સવાલ ઉઠે છે. જાહેરમાં ફાયરિંગની ઘટના બને છે તો ક્યાંક જાહેર રસ્તા પર લોકો પર હુમલો કરવામાં આવે છે. અસામાજીક તત્વો બેફામ બન્યા છે તે આવી ઘટનાઓથી લાગે છે. આવી ઘટનાઓ અટકતી ક્યારે બંધ થશે એ પ્રશ્ન છે...        



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે