Gujaratમાં વધ્યા હત્યાના બનાવ! Rajkotમાં યુવકની કરાઈ હત્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-30 11:54:30

ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. હત્યા જેવા કિસ્સાઓ બહુ ઓછા જોવા મળતા હતા પરંતુ હવે હત્યા જેવો શબ્દ સામાન્ય બની ગયો છે. પ્રતિદિન એવા સમાચાર સામે આવતા હોય છે કે આ જગ્યા પર હત્યાનો બનાવ બન્યો, આ જગ્યા પર ફાયરિંગની ઘટના બની. સામાન્ય રીતે હત્યા પૈસાને કારણે કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે પૈસાની લેતી મામલે યુવકની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 20 વર્ષીય જયદીપ મકવાણા પર અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો. તીક્ષ્ણ હથિયાર દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો. સારવાર માટે યુવકને ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું. 


4500 રુપિયા માટે યુવક પર કરાયો હુમલો!

જાહેરમાં ફાયરિંગ થવું, કોઈની પર હુમલો થવો અને મોત થવું જાણે સામાન્ય બની ગયું છે રાજ્યમાં તેવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં પ્રતિદિન આવા હત્યાના બનાવો બની રહ્યા છે. નાની નાની વાતને લઈ લોકો હત્યા કરી નાખે છે. એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં 4500 રુપિયાને લઈ યુવક પર તીક્ષ્ણ હથિયાર થી હુમલો કરવામાં આવ્યો.મળતી માહિતી અનુસાર સોમવાર રાત્રે આ ઘટના બની હતી. 


ગઈકાલે રાત્રે બની આ ઘટના!

જે વ્યક્તિનું મોત થયું છે તેમના કૌટુંબિક કાકા પ્રવીણ મકવાણા પાનફાડી ખાવા માટે સિદ્ધિવિનાયક પાનની દુકાન ખાતે ગયા ગતા. આ સમય દરમિયાન બે વ્યક્તિઓ ત્યાં આવે છે અને તેમને કહેવા લાગે છે કે તમારા 4500 રુપિયા બાકી છે. તમે પૈસા આપી દો. તે સમયે પ્રવીણ મકવાણાએ કહ્યું કે તેમની પાસે પૈસા નથી. થોડા સમય પછી પૈસા આપી દઈશ. આ સાંભળતા જે બે ભાઈઓ ત્યાં આવ્યા હતા તે બોલાચાલી કરવા લાગ્યા. 


લોહીલુહાણ અવસ્થામાં યુવકને ખસેડાયો હોસ્પિટલ! 

જે વખતે આ બોલાચાલી થઈ રહી હતી તે વખતે પ્રવીણ મકવાણાના ભત્રીજા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ ઘટનામાં જે વ્યક્તિનું મોત થયું એ જયદિપ મકવાણાએ પેલા બે વ્યક્તિઓને બોલાચાલી ન કરવાનું કહ્યું. ગાળો ન આપવાનું કહેતા બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા. દુકાનની બહાર યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. આડેધડ ઘા જયદીપ મકવાણાને કરવામાં આવ્યા. યુવકને લોહીલુહાણ કરી દેવામાં આવ્યો. જયદીપ મકવાણાને લોહી લુહાણ વાળી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું.  જે લોકોએ આ હુમલો કર્યો તે ફરાર થઈ ગયા હતા. 



લુખ્ખાતત્વો બની રહ્યા છે બેફામ!

મહત્વનું છે કે સબ સલામતના દાવાઓ કરવામાં આવે છે પરંતુ આવા કિસ્સાઓ બનતા આવા દાવા પર સવાલ ઉઠે છે. જાહેરમાં ફાયરિંગની ઘટના બને છે તો ક્યાંક જાહેર રસ્તા પર લોકો પર હુમલો કરવામાં આવે છે. અસામાજીક તત્વો બેફામ બન્યા છે તે આવી ઘટનાઓથી લાગે છે. આવી ઘટનાઓ અટકતી ક્યારે બંધ થશે એ પ્રશ્ન છે...        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.