Gujaratમાં વધ્યા હત્યાના બનાવ! Rajkotમાં યુવકની કરાઈ હત્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-30 11:54:30

ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. હત્યા જેવા કિસ્સાઓ બહુ ઓછા જોવા મળતા હતા પરંતુ હવે હત્યા જેવો શબ્દ સામાન્ય બની ગયો છે. પ્રતિદિન એવા સમાચાર સામે આવતા હોય છે કે આ જગ્યા પર હત્યાનો બનાવ બન્યો, આ જગ્યા પર ફાયરિંગની ઘટના બની. સામાન્ય રીતે હત્યા પૈસાને કારણે કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે પૈસાની લેતી મામલે યુવકની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 20 વર્ષીય જયદીપ મકવાણા પર અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો. તીક્ષ્ણ હથિયાર દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો. સારવાર માટે યુવકને ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું. 


4500 રુપિયા માટે યુવક પર કરાયો હુમલો!

જાહેરમાં ફાયરિંગ થવું, કોઈની પર હુમલો થવો અને મોત થવું જાણે સામાન્ય બની ગયું છે રાજ્યમાં તેવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં પ્રતિદિન આવા હત્યાના બનાવો બની રહ્યા છે. નાની નાની વાતને લઈ લોકો હત્યા કરી નાખે છે. એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં 4500 રુપિયાને લઈ યુવક પર તીક્ષ્ણ હથિયાર થી હુમલો કરવામાં આવ્યો.મળતી માહિતી અનુસાર સોમવાર રાત્રે આ ઘટના બની હતી. 


ગઈકાલે રાત્રે બની આ ઘટના!

જે વ્યક્તિનું મોત થયું છે તેમના કૌટુંબિક કાકા પ્રવીણ મકવાણા પાનફાડી ખાવા માટે સિદ્ધિવિનાયક પાનની દુકાન ખાતે ગયા ગતા. આ સમય દરમિયાન બે વ્યક્તિઓ ત્યાં આવે છે અને તેમને કહેવા લાગે છે કે તમારા 4500 રુપિયા બાકી છે. તમે પૈસા આપી દો. તે સમયે પ્રવીણ મકવાણાએ કહ્યું કે તેમની પાસે પૈસા નથી. થોડા સમય પછી પૈસા આપી દઈશ. આ સાંભળતા જે બે ભાઈઓ ત્યાં આવ્યા હતા તે બોલાચાલી કરવા લાગ્યા. 


લોહીલુહાણ અવસ્થામાં યુવકને ખસેડાયો હોસ્પિટલ! 

જે વખતે આ બોલાચાલી થઈ રહી હતી તે વખતે પ્રવીણ મકવાણાના ભત્રીજા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ ઘટનામાં જે વ્યક્તિનું મોત થયું એ જયદિપ મકવાણાએ પેલા બે વ્યક્તિઓને બોલાચાલી ન કરવાનું કહ્યું. ગાળો ન આપવાનું કહેતા બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા. દુકાનની બહાર યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. આડેધડ ઘા જયદીપ મકવાણાને કરવામાં આવ્યા. યુવકને લોહીલુહાણ કરી દેવામાં આવ્યો. જયદીપ મકવાણાને લોહી લુહાણ વાળી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું.  જે લોકોએ આ હુમલો કર્યો તે ફરાર થઈ ગયા હતા. 



લુખ્ખાતત્વો બની રહ્યા છે બેફામ!

મહત્વનું છે કે સબ સલામતના દાવાઓ કરવામાં આવે છે પરંતુ આવા કિસ્સાઓ બનતા આવા દાવા પર સવાલ ઉઠે છે. જાહેરમાં ફાયરિંગની ઘટના બને છે તો ક્યાંક જાહેર રસ્તા પર લોકો પર હુમલો કરવામાં આવે છે. અસામાજીક તત્વો બેફામ બન્યા છે તે આવી ઘટનાઓથી લાગે છે. આવી ઘટનાઓ અટકતી ક્યારે બંધ થશે એ પ્રશ્ન છે...        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.