મિત્રે એ જ ખેલ્યો ખૂની ખેલ! મિત્રની હત્યા બાદ ટુકડા કરી અંગો સગેવગે કર્યા!


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-04-03 17:09:26

ભરૂચમાં મળી આવેલા કપાયેલા માનવ અંગના ટુકડાની ઘટનાએ આખા ગુજરાતમાં ચકચાર મચાવી છે. આ માનવ કપાયેલા અંગ મળતા પોલીસ પણ ગોથે ચઢી હતી.એક પછી એક કોઈ મૃતકના અંગોનો નિકાલ કરાઇ રહ્યો હતો પરંતુ હત્યારો કોણ છે? અને કોની હત્યા થઈ છે. આખરે એ રહસ્ય પરથી પોલીસે પડદો હટાવ્યો અને આ ચકચારી હત્યા કાંડની ઘટનામાં એના જ મિત્રએ,બીજા મિત્રની હત્યા કરી હતી. હત્યા બાદ શબને સગેવગે કરવાં માટે કરીને મિત્રના અંગોને એક એક કરી કટર વળે કાપીને રોજ એક અંગ થેલીમાં ભરીને દૂર ભોલાવ GIDC પાસેની ગટરમાં નાંખતો હતો.આ હત્યારા ખૂની મિત્રને પોલીસે ઝડપી પાડ્યો છે.

ભરૂચમાં ભોલાવ GIDC વિસ્તારમાં આવેલી ગટર માંથી છેલ્લા ત્રણ ચાર દિવસ થી એક પછી એક કપાયેલા જે માનવના અંગ મળ્યા હતા. જેમાં ગત શનિવારે કપાયેલું માથું ,રવિવારે કમરનો ભાગ અને જમણો હાથ,એના બીજા દિવસે ડાબો હાથ મળ્યો હતો તેની તપાસમાં પોલીસ પણ ગોથે ચડી હતી. પોલીસ અને ફોરન્સીક રિપોર્ટના આધારે `એક એક અંગ ભેગા કરતાં’ એ શબની ઓળખ છતી થઈ હતી. મૃતકની ઓળખ સચીન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે.સચિનની હત્યારો બીજા કોઈ નહિ,પણ એનો જ મિત્ર નીકળ્યો!

ઘટનાને સમજીએ તો ભરૂચના રહેવાસી સચીન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ અને શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણ બંને મિત્રો હતા. મિત્રતા એટલી પાકી કે ઘર સુધીના સંબંધ હતા. ગત ૨૮ મી ફેબ્રુઆરીના રોજ સચિન એની પત્ની અને પુત્રને સાથે હોળીનો તહેવાર કરવા માટે પોતેને વતન ગયો હતો. તહેવાર પતાવી સચિન ૬ માર્ચએ પાછો ભરૂચ આવ્યો હતો. પાછા ફર્યા બાદ સચિન અને શૈલેન્દ્રસિંહે બંને મળ્યા હતા જ્યાં વાતે વાતમાં શૈલેન્દ્રસિંહે સચિનની પત્નીના ફોટા બતાવ્યા હતાં. સચિને ફોન માંથી એની પત્નીના ફોટાને ડિલીટ કરવાનું કહ્યું, આ આનાકાની વણસી એટલે બંને વચ્ચે  લીધેલી લોન અંગે વાત પહોંચી હતી. ગરમાગરમીમાં વાત વણસી જતાં શૈલેન્દ્રસિંહે એની પાસે પડેલા ચાકુથી, સચિનના ગળાના ભાગ પર હુમલો કર્યો. શૈલેન્દ્રસિંહે સચિન મરી ગયા બાદ એના શબને ઠેકાણે પાડવા માટે એના શરીરના અંગને એક એક કરીને કટર થી કાપવાનું શરૂ કર્યું. અને એક દિવસે એક અંગને થેલીમાં ભરીને ગટરમાં નાખ્યાં હતા. આ સમય ગાળા દરમિયાન ૨૩મી માર્ચના પત્નીએ તેને તેડવા આવવા ફોન કર્યો હતો. ત્યાર બાદ સચિનનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. સચિનની ભાળ ના મળતા સચિનની પત્નીએ સચિનના ભાઈ મોહિતને ફોન કર્યો,અને સચિનની ભાળ મેળવવા માટે કહ્યું. મોહિતે સચિનના ઘરે જઈને તપાસ કરી તો ઘરે તાળું મારેલું હતું. જેથી સચિનના ભાઈ પહેલા મિત્ર શૈલેન્દ્રએ  સચિન અંગે પૂછ્યું. શૈલેન્દ્રએ સીધો જવાબ ના આપ્યો ! મોહિતે શૈલેન્દ્રસિંહને સચિન ખોવાયાની વાત કરી અને મદદ માટે કહ્યું હતું. શૈલેન્દ્રએ બહાનું બનાવીને તેની સાથે જવાની ના પાડી. મોહિતે શૈલેન્દ્રસિંહને પોલીસ સ્ટેશન સાથે આવવા જણાવ્યું તો, શૈલેન્દ્રસિંહ ભરૂચ છોડી જતો રહ્યો. સચિનના ભાઈને શૈલેન્દ્રસિંહના વર્તણૂક પર શંકાના જતાં શંકાના આધારે મોહિતે ભરૂચ એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતાં મોહિતએ જણાવ્યું કે છેલ્લા એસપ્તાહથી સચિનનો ફોન સ્વિચ ઓફ હતો.પરંતુ અચાનક થોડા સમય બાદમાં સચિનના ફોનથી કોઈ વ્યક્તિ વોટ્સએપ પર પરિવાર સાથે મેસેજ પર ચેટ કરતું હતું.

આ કડી પોલીસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ અને પોલીસે મૃતકના ભાઈ મોહિતની ફરિયાદના આધારે પ્રમાણે શૈલેન્દ્રસિંહ વિરુદ્ધ ગુન્હો નોંધી ને તપાસ હાથ ઘરી હતી. શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણે પણ આશંકા એના ભાઈ મોહિતે અને પોલીસે વ્યક્ત કરી છે. મૃતકના ભાઈએ શંકાના આધારે શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણએ સચિનની હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું છે.

 કોઈ એક વ્યક્તિ બીજા સાથે મળીને કોઈની હત્યા કરી અને પછી એના શરીરના ટુકડેટુકડા કરીને ગટરમાં કાપી નાંખી ઠેકાણે પાડે છે.એ બીજો કોઈ નહિ પણ પોતાના જ મિત્ર ના ! માણસ આવેશમાં આવીને કોઈ પ્રત્યે કેટલી ધ્રુણા પેદા થતી હશે કે મારી નાંખ્યા બાદ પણ એના એક એક અંગને છિન્ન ભિન્ન કરીને રોજ એક એક અંગનો નિકાલ કરે છે.

આટલી બર્બરતા કેમ ? જરા વિચારીને જુઓ આ કોઈનો દીકરો ,ભાઈ કે પતિ હશે અને હશે કોઈનો પિતા ! એનો પરિવાર એની રાહ જોતો હશે, કે તે કયારે ઘેર પાછો આવશે. હવે એ ઘરે તો પહોંચ્યો પણ ટુકડા ટુકડા માં જે રીતે સડેલા અને કપાયેલા ટુકડા પરિવારના હાથ લાગ્યા છે એ પરિવાર પર તો આભ તૂટી પડ્યું છે બધા અંગો લગભગ કોહવાઈ ગયા છે એના પરિવાર એ અંગો ના યાદી શકે ના દીકરાને ભેટીને રડી શકે તેવી બર્બરતા પોતના મિત્ર એની સાથે કરી છે.  

પોલીસે ગુન્હેગારને ઝડપી પાડયો, હવે અદાલત એના ભવિષ્યનો ફેંસલો કરશે. સચિનનો આ બધા શું વાંક? એની પત્ની એ બાળકને શેની સજા મળી?   

એ કોઇપણ વ્યક્તિ કેટલો નિર્દય કે બર્બર બની શકે? રોજે રોજ કોઈ ને કોઈ એવી ખૂની ખેલની ઘટના આપણે સાંભળીએ અને જોઈએ છીએ જે એક ગંભીર ચિંતાનો વિષય છે. સમાજમાં જે રીતે બનાવો બની રહ્યા છે તે રૂવાંડા ઊભા કરી દે છે.કોનો વિશ્વાસ કરવો કોનો નહિ! 

અરેરાટી થઈ જાય છે આવા સમાચાર વાંચતા અને લખતાં પણ..

 

 

 

 

 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."