Vadodara ખાતે કરાયું મસ્કયુલર ડિસ્ટ્રોફી કેમ્પનું આયોજન, અનેક દર્દીઓએ લીધો કેમ્પનો લાભ


  • Published By :
  • Published Date : 2023-08-02 16:44:26

ગુજરાતના વિવિધ શહેરોમાં વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકોને ઓછા પૈસામાં સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. બાળકો આજકાલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો શિકાર બની રહ્યા છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક એવી બિમારી છે જે શરૂઆતમાં તેનો એટેક વોલેન્ટરી મસલ્સ પર જોવા મળે છે. આ એ મસલ્સ છે જે આપણી હલચલને કંટ્રોલ કરે છે. પરંતુ ધીમે ધીમે તે આખા શરીરને કંટ્રોલ કરી લે છે. જેને લઈ ઓર્ગન્સમાં નબળાઈ જોવા મળતી હોય છે. આ બિમારી એવી છે જે કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે. 



શું હોય છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગના લક્ષણ?

જો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના લક્ષણોની વાત કરવામાં આવે તો પગને આગળ વધારવામાં મુશ્કેલી પડે છે, સ્વતંત્ર રીતે બેસવામાં પણ મુશ્કેલી પડવી, શ્વાસ લેતી વખતે મુશ્કેલી પડવી, સીડી પર ચડતી વખતે મુશ્કેલી પડી સહિતના લક્ષણો મુખ્યત્વે દેખાતા હોય છે. જો સમયસર સારવાર કરવામાં આવે તો બિમારીમાં રાહત મળી શકે છે. ત્યારે વિવિધ શહેરોમાં કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં બાળકોને સારવાર આપવાનું તેમજ માતા પિતાને માર્ગદર્શન આપવાનું કામ કરવામાં આવે છે.         


અનેક દર્દીઓએ લીધો હતો કેમ્પનો લાભ

ત્યારે વડોદરા શહેરમાં અવાર નવાર અનેક પ્રકારના સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા અટલાદરા સેન્ટર ખાતે બ્રહ્માકુમારી ભવનમાં મસ્કયુલર ડિસ્ટ્રોફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 25થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.  સ્વાતિ ઠક્કર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે પોતે જ આ રોગથી  પિડીત બાળકની માતા છે. અને ફીઝીઓ થેરાપીસ્ટ ડોક્ટર હિરલ તવાર દ્વારા આ કાર્યકમ યોજાયો હતો. 


સુરત ખાતે યોજાશે આગામી કેમ્પ 

આપણે વિવિધ પ્રકારના કેમ્પનું આયોજન થતું જોયું હશે પરંતુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવા રોગોના કેમ્પનું આયોજન ભાગ્યે જ જોવા મળે છે. સ્વાતિ ઠક્કર તથા ડોક્ટર હિરલ તવાર દ્વારા આ કેમ્પ યોજવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દર્દીઓએ લાભ લીધો. હવે આવો આગામી કેમ્પ સુરત ખાતે 13 ઓગસ્ટના રોજ યોજાવાનો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.