Vadodara ખાતે કરાયું મસ્કયુલર ડિસ્ટ્રોફી કેમ્પનું આયોજન, અનેક દર્દીઓએ લીધો કેમ્પનો લાભ


  • Published By :
  • Published Date : 2023-08-02 16:44:26

ગુજરાતના વિવિધ શહેરોમાં વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકોને ઓછા પૈસામાં સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. બાળકો આજકાલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો શિકાર બની રહ્યા છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક એવી બિમારી છે જે શરૂઆતમાં તેનો એટેક વોલેન્ટરી મસલ્સ પર જોવા મળે છે. આ એ મસલ્સ છે જે આપણી હલચલને કંટ્રોલ કરે છે. પરંતુ ધીમે ધીમે તે આખા શરીરને કંટ્રોલ કરી લે છે. જેને લઈ ઓર્ગન્સમાં નબળાઈ જોવા મળતી હોય છે. આ બિમારી એવી છે જે કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે. 



શું હોય છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગના લક્ષણ?

જો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના લક્ષણોની વાત કરવામાં આવે તો પગને આગળ વધારવામાં મુશ્કેલી પડે છે, સ્વતંત્ર રીતે બેસવામાં પણ મુશ્કેલી પડવી, શ્વાસ લેતી વખતે મુશ્કેલી પડવી, સીડી પર ચડતી વખતે મુશ્કેલી પડી સહિતના લક્ષણો મુખ્યત્વે દેખાતા હોય છે. જો સમયસર સારવાર કરવામાં આવે તો બિમારીમાં રાહત મળી શકે છે. ત્યારે વિવિધ શહેરોમાં કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં બાળકોને સારવાર આપવાનું તેમજ માતા પિતાને માર્ગદર્શન આપવાનું કામ કરવામાં આવે છે.         


અનેક દર્દીઓએ લીધો હતો કેમ્પનો લાભ

ત્યારે વડોદરા શહેરમાં અવાર નવાર અનેક પ્રકારના સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા અટલાદરા સેન્ટર ખાતે બ્રહ્માકુમારી ભવનમાં મસ્કયુલર ડિસ્ટ્રોફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 25થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.  સ્વાતિ ઠક્કર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે પોતે જ આ રોગથી  પિડીત બાળકની માતા છે. અને ફીઝીઓ થેરાપીસ્ટ ડોક્ટર હિરલ તવાર દ્વારા આ કાર્યકમ યોજાયો હતો. 


સુરત ખાતે યોજાશે આગામી કેમ્પ 

આપણે વિવિધ પ્રકારના કેમ્પનું આયોજન થતું જોયું હશે પરંતુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવા રોગોના કેમ્પનું આયોજન ભાગ્યે જ જોવા મળે છે. સ્વાતિ ઠક્કર તથા ડોક્ટર હિરલ તવાર દ્વારા આ કેમ્પ યોજવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દર્દીઓએ લાભ લીધો. હવે આવો આગામી કેમ્પ સુરત ખાતે 13 ઓગસ્ટના રોજ યોજાવાનો છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી