ઈસ્લામિક કાયદામાં સગીરાના લગ્ન કાયદેસર, કર્ણાટક હાઈકોર્ટે દલીલ ફગાવી, કહ્યું કાનૂનથી ઉપર કાંઈ નહીં


  • Published By :
  • Published Date : 2022-10-31 13:36:09


કર્ણાટક હાઈકોર્ટે આજે મુસ્લિમ  સગીરાના લગ્નને ગેરકાયદે જાહેર કરતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે ઈસ્લામ ધર્મ પ્રમાણે થયેલા આવા લગ્નને પણ ગેરકાનૂની ગણાવ્યા છે. કર્ણાટક હાઈકોર્ટ તેના ચૂકાદામાં કારણ આપ્યું કે સગીરાના લગ્ન કરાવવા તે  POCSO કાયદાની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. એક મુસ્લિમ સગીરા સાથે લગ્ન કરનારા યુવકની જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટીસ રાજેન્દ્ર વાદામીકરની હાઈકોર્ટ બેંચે આ ચૂકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે તે દલીલ પણ સ્વિકારી ન હતી કે સગીરા પ્યૂબર્ટી મેળવી લે  ત્યાર બાદ કે 15 વર્ષની થવા પર તેના લગ્ન કરવા પર બાળ લગ્ન નિષેધની કલમોનું કોઈ ઉલ્લંઘન ગણાશે નહીં. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે કાયદેસર ઉંમર એટલે કે 18 વર્ષ કરતા નાની વયે લગ્ન કરવા તે કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન માનવામાં આવશે.   


સમગ્ર મામલો શું હતો?


બેંગલુરૂના એક આરોગ્ય  કેન્દ્રમાં તપાસ બાદ એક 17 વર્ષની મુસ્લિમ સગીરા ગર્ભવતી મળી આવી હતી. કેમ કે તે સગીરા હોવાથી આરોગ્ય અધિકારીઓએ કેઆર પુરમ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. જામીન માટે અરજીકર્તાના વકીલની દલીલ હતી કે ઈસ્લામિક કાયદા પ્રમાણે યોવનમાં પ્રવેશતી કે 15 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલી યુવતી સાથે લગ્ન કરવા તે બાળ લગ્ન ન કહીં શકાય. અને કાયદાની કલમ 9 અને 10 હેઠળ કોઈ ગુનો મનાતો નથી. જો કે હાઈકોર્ટે તે દલીલ ફગાવી દીધી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.