ઈસ્લામિક કાયદામાં સગીરાના લગ્ન કાયદેસર, કર્ણાટક હાઈકોર્ટે દલીલ ફગાવી, કહ્યું કાનૂનથી ઉપર કાંઈ નહીં


  • Published By :
  • Published Date : 2022-10-31 13:36:09


કર્ણાટક હાઈકોર્ટે આજે મુસ્લિમ  સગીરાના લગ્નને ગેરકાયદે જાહેર કરતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે ઈસ્લામ ધર્મ પ્રમાણે થયેલા આવા લગ્નને પણ ગેરકાનૂની ગણાવ્યા છે. કર્ણાટક હાઈકોર્ટ તેના ચૂકાદામાં કારણ આપ્યું કે સગીરાના લગ્ન કરાવવા તે  POCSO કાયદાની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. એક મુસ્લિમ સગીરા સાથે લગ્ન કરનારા યુવકની જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટીસ રાજેન્દ્ર વાદામીકરની હાઈકોર્ટ બેંચે આ ચૂકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે તે દલીલ પણ સ્વિકારી ન હતી કે સગીરા પ્યૂબર્ટી મેળવી લે  ત્યાર બાદ કે 15 વર્ષની થવા પર તેના લગ્ન કરવા પર બાળ લગ્ન નિષેધની કલમોનું કોઈ ઉલ્લંઘન ગણાશે નહીં. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે કાયદેસર ઉંમર એટલે કે 18 વર્ષ કરતા નાની વયે લગ્ન કરવા તે કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન માનવામાં આવશે.   


સમગ્ર મામલો શું હતો?


બેંગલુરૂના એક આરોગ્ય  કેન્દ્રમાં તપાસ બાદ એક 17 વર્ષની મુસ્લિમ સગીરા ગર્ભવતી મળી આવી હતી. કેમ કે તે સગીરા હોવાથી આરોગ્ય અધિકારીઓએ કેઆર પુરમ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. જામીન માટે અરજીકર્તાના વકીલની દલીલ હતી કે ઈસ્લામિક કાયદા પ્રમાણે યોવનમાં પ્રવેશતી કે 15 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલી યુવતી સાથે લગ્ન કરવા તે બાળ લગ્ન ન કહીં શકાય. અને કાયદાની કલમ 9 અને 10 હેઠળ કોઈ ગુનો મનાતો નથી. જો કે હાઈકોર્ટે તે દલીલ ફગાવી દીધી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.