મહેસાણાની લુણવા શાળામાં મુસ્લિમ વિદ્યાર્થિની ઈનામ આપી કરાયું સન્માન, શું છે સમગ્ર મામલો જાણો


  • Published By :
  • Published Date : 2023-08-24 19:51:28

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામમાં આવેલી શ્રી કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યા વિહાર શાળામાં ગત વર્ષે ધોરણ-10માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર મુસ્લિમ વિદ્યાર્થિની સાથે શાળા દ્વારા જ ઇનામ વિતરણમાં ભેદભાવ મામલે ભારે હોબાળો થયો હતો. જો કે આજે શાળાએ તેની ભૂલ સુધારી શાળાના પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિની અરનાઝ બાનુનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અનિલભાઈ પટેલ તથા અન્ય શિક્ષકોની હાજરીમાં મુસ્લિમ વિદ્યાર્થિની અરનાઝ બાનુનું સન્માન કરી પ્રોત્સાહિત કરી હતી. ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થિને થયેલા અન્યાયનો મામલો જમાવટ મીડિયાએ જોરદાર રીતે ઉઠાવ્યો હતો.  


અરનાઝ બાનુએ ખુશી વ્યક્ત કરી


લુણવા ગામમાં આવેલી શ્રી કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યા વિહાર શાળાની વિદ્યાર્થિની અરનાઝ બાનુએ મોડે મોડે પણ તેનું સન્માન થયું તેને લઈ ખુશી વ્યક્ત કરી હતી. અરનાઝ બાનુના પિતા સનેવરખાન પઠાણે પણ કહ્યું હતું કે શાળાના આચાર્યએ તેમની ભૂલ સ્વિકારી લીધી છે અને હવે કોઈ મતભેદ નથી. આ મામલે જમાવટ મિડીયાએ શાળાના આચાર્ય તથા સંચાલક પાસે પણ વાત કરી હતી. સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ પણ શાળા પાસે જવાબ માંગ્યો હતો. બાદમાં શાળાના આચાર્યએ પણ તેમની ભૂલને લઈ માફી માગી હતી.


શું છે સમગ્ર મામલો?


ગત 15 ઓગષ્ટના દિવસે આઝાદી દિન નિમિત્તે  ધોરણ-10માં શાળામાં ગત વર્ષે 1થી 10 ક્રમે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે 2022માં ધોરણ-10માં શાળાની મુસ્લિમ વિદ્યાર્થિની  અરનાઝ બાનુ સનેવરખાન પઠાણ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇ હતી. જો કે ઇનામ વિતરણમાં તેના નામની બાદબાકી કરી ક્રમ 2થી ઈનામોની જાહેરાત કરવામાં આવી અને આ રીતે શાળાએ ભેદભાવ કર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. અરઝનાબાનુના પિતા સનેવરખાન પઠાણે આ મામલે શાળાના આચાર્ય અનિલ પટેલનો સંપર્ક કરતા તેમણે પહેલા ટ્રસ્ટી બિપીન પટેલનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જો કે બાદમાં આચાર્ય અનિલ પટેલે કારણ આપતા જણાવ્યું હતું કે અમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું જ સન્માન કરવામાં આવ્યું છે. અરનાઝ બાનુએ ધોરણ-11માં આવતા શાળા બદલી નાખી છે. આ સન્માનનું આયોજન અમારા સ્ટાફના મિત્રો દ્વારા ચાલુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે રાખ્યું હતું. શાળાના સ્ટાફે પણ આવું જ નિવેદન આપ્યું હતું. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.