મહેસાણાની લુણવા શાળામાં મુસ્લિમ વિદ્યાર્થિની ઈનામ આપી કરાયું સન્માન, શું છે સમગ્ર મામલો જાણો


  • Published By :
  • Published Date : 2023-08-24 19:51:28

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામમાં આવેલી શ્રી કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યા વિહાર શાળામાં ગત વર્ષે ધોરણ-10માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર મુસ્લિમ વિદ્યાર્થિની સાથે શાળા દ્વારા જ ઇનામ વિતરણમાં ભેદભાવ મામલે ભારે હોબાળો થયો હતો. જો કે આજે શાળાએ તેની ભૂલ સુધારી શાળાના પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિની અરનાઝ બાનુનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અનિલભાઈ પટેલ તથા અન્ય શિક્ષકોની હાજરીમાં મુસ્લિમ વિદ્યાર્થિની અરનાઝ બાનુનું સન્માન કરી પ્રોત્સાહિત કરી હતી. ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થિને થયેલા અન્યાયનો મામલો જમાવટ મીડિયાએ જોરદાર રીતે ઉઠાવ્યો હતો.  


અરનાઝ બાનુએ ખુશી વ્યક્ત કરી


લુણવા ગામમાં આવેલી શ્રી કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યા વિહાર શાળાની વિદ્યાર્થિની અરનાઝ બાનુએ મોડે મોડે પણ તેનું સન્માન થયું તેને લઈ ખુશી વ્યક્ત કરી હતી. અરનાઝ બાનુના પિતા સનેવરખાન પઠાણે પણ કહ્યું હતું કે શાળાના આચાર્યએ તેમની ભૂલ સ્વિકારી લીધી છે અને હવે કોઈ મતભેદ નથી. આ મામલે જમાવટ મિડીયાએ શાળાના આચાર્ય તથા સંચાલક પાસે પણ વાત કરી હતી. સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ પણ શાળા પાસે જવાબ માંગ્યો હતો. બાદમાં શાળાના આચાર્યએ પણ તેમની ભૂલને લઈ માફી માગી હતી.


શું છે સમગ્ર મામલો?


ગત 15 ઓગષ્ટના દિવસે આઝાદી દિન નિમિત્તે  ધોરણ-10માં શાળામાં ગત વર્ષે 1થી 10 ક્રમે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે 2022માં ધોરણ-10માં શાળાની મુસ્લિમ વિદ્યાર્થિની  અરનાઝ બાનુ સનેવરખાન પઠાણ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇ હતી. જો કે ઇનામ વિતરણમાં તેના નામની બાદબાકી કરી ક્રમ 2થી ઈનામોની જાહેરાત કરવામાં આવી અને આ રીતે શાળાએ ભેદભાવ કર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. અરઝનાબાનુના પિતા સનેવરખાન પઠાણે આ મામલે શાળાના આચાર્ય અનિલ પટેલનો સંપર્ક કરતા તેમણે પહેલા ટ્રસ્ટી બિપીન પટેલનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જો કે બાદમાં આચાર્ય અનિલ પટેલે કારણ આપતા જણાવ્યું હતું કે અમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું જ સન્માન કરવામાં આવ્યું છે. અરનાઝ બાનુએ ધોરણ-11માં આવતા શાળા બદલી નાખી છે. આ સન્માનનું આયોજન અમારા સ્ટાફના મિત્રો દ્વારા ચાલુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે રાખ્યું હતું. શાળાના સ્ટાફે પણ આવું જ નિવેદન આપ્યું હતું. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી