મહેસાણાની લુણવા શાળામાં મુસ્લિમ વિદ્યાર્થિની ઈનામ આપી કરાયું સન્માન, શું છે સમગ્ર મામલો જાણો


  • Published By :
  • Published Date : 2023-08-24 19:51:28

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામમાં આવેલી શ્રી કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યા વિહાર શાળામાં ગત વર્ષે ધોરણ-10માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર મુસ્લિમ વિદ્યાર્થિની સાથે શાળા દ્વારા જ ઇનામ વિતરણમાં ભેદભાવ મામલે ભારે હોબાળો થયો હતો. જો કે આજે શાળાએ તેની ભૂલ સુધારી શાળાના પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિની અરનાઝ બાનુનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અનિલભાઈ પટેલ તથા અન્ય શિક્ષકોની હાજરીમાં મુસ્લિમ વિદ્યાર્થિની અરનાઝ બાનુનું સન્માન કરી પ્રોત્સાહિત કરી હતી. ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થિને થયેલા અન્યાયનો મામલો જમાવટ મીડિયાએ જોરદાર રીતે ઉઠાવ્યો હતો.  


અરનાઝ બાનુએ ખુશી વ્યક્ત કરી


લુણવા ગામમાં આવેલી શ્રી કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યા વિહાર શાળાની વિદ્યાર્થિની અરનાઝ બાનુએ મોડે મોડે પણ તેનું સન્માન થયું તેને લઈ ખુશી વ્યક્ત કરી હતી. અરનાઝ બાનુના પિતા સનેવરખાન પઠાણે પણ કહ્યું હતું કે શાળાના આચાર્યએ તેમની ભૂલ સ્વિકારી લીધી છે અને હવે કોઈ મતભેદ નથી. આ મામલે જમાવટ મિડીયાએ શાળાના આચાર્ય તથા સંચાલક પાસે પણ વાત કરી હતી. સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ પણ શાળા પાસે જવાબ માંગ્યો હતો. બાદમાં શાળાના આચાર્યએ પણ તેમની ભૂલને લઈ માફી માગી હતી.


શું છે સમગ્ર મામલો?


ગત 15 ઓગષ્ટના દિવસે આઝાદી દિન નિમિત્તે  ધોરણ-10માં શાળામાં ગત વર્ષે 1થી 10 ક્રમે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે 2022માં ધોરણ-10માં શાળાની મુસ્લિમ વિદ્યાર્થિની  અરનાઝ બાનુ સનેવરખાન પઠાણ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇ હતી. જો કે ઇનામ વિતરણમાં તેના નામની બાદબાકી કરી ક્રમ 2થી ઈનામોની જાહેરાત કરવામાં આવી અને આ રીતે શાળાએ ભેદભાવ કર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. અરઝનાબાનુના પિતા સનેવરખાન પઠાણે આ મામલે શાળાના આચાર્ય અનિલ પટેલનો સંપર્ક કરતા તેમણે પહેલા ટ્રસ્ટી બિપીન પટેલનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જો કે બાદમાં આચાર્ય અનિલ પટેલે કારણ આપતા જણાવ્યું હતું કે અમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું જ સન્માન કરવામાં આવ્યું છે. અરનાઝ બાનુએ ધોરણ-11માં આવતા શાળા બદલી નાખી છે. આ સન્માનનું આયોજન અમારા સ્ટાફના મિત્રો દ્વારા ચાલુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે રાખ્યું હતું. શાળાના સ્ટાફે પણ આવું જ નિવેદન આપ્યું હતું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.