Muthoot Microfinનો IPO આગામી સોમવારે લોન્ચ થશે, કેટલી ચાલી રહી છે GMP?


  • Published By :
  • Published Date : 2023-12-14 16:46:12

દેશની અગ્રણી નોન-બેન્કિગ ફાઈનાન્સ કંપની (NBFC) મુથૂટ માઈક્રોફિન (Muthoot Microfin)નો IPO આગામી સોમવારે લોન્ચ થશે. કંપનીના IPO માટે આગામી 18 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકો છો. એન્કર ઈન્વેસ્ટરો એક દિવસ પહેલા એટલે કે 15 ડિસેમ્બરના રોજ બોલી લગાવી શકશે. કંપનીએ 10 રૂપિયાવાળા એક શેરની પ્રાઈઝ બેન્ડ 277 રૂપિયાથી 291 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી છે. 


કંપની રૂ.960 કરોડ એકત્રિત કરશે


બ્રિટિશ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર ગ્રેટર પેસિફિક કેપિટલના સમર્થનવાળી NBFC મુથૂટ ફિનકોર્પે આ IPOથી 960 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે. તેમાંથી 760 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યું છે જ્યારે 200 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા એકત્રિત કરવામાં આવશે. તેમાં વર્તમાન શેર હોલ્ડર તેમનો સ્ટેક વેચશે. 


ક્યારે થશે  IPOનું લિસ્ટિંગ?


કંપની 21 ડિસેમ્બર સુધી સફળ રોકાણકારોના શેરોનું એલોટમેન્ટ કરી શકે છે, જ્યારે 22 ડિસેમ્બર સુધી સફળ રોકાણકારોની ડિમેટ એકાઉન્ટમાં ઈક્વિટી શેર રિફંડ કરી દેવામાં આવશે.  IPO શેડ્યુલ મુજબ  BSE અને  NSE પર કંપની 26 ડિસેમ્બરના રોજ કંપની તેના ઈક્વિટી શેરોનું લિસ્ટિંગ કરાવશે. ઉલ્લેખનિય છે કે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના કારણે શેર બજારમાં રજા રહેશે.


ગ્રે માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યો છે?


મુથૂટ માઈક્રોફિનના IPOને ગ્રે માર્કેટમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. ગુરૂવારની સવારે તેના માટે 105 રૂપિયાનું પ્રિમિયમ કોટ કરવામાં આવી રહ્યું છે. જો  IPOની પ્રાઈઝ બેન્ડના અપર લેવલ મતલબ કે 291 રૂપિયાનો ભાવ માનવામાં આવે તો પણ ગ્રે માર્કેટમાં હજુ પણ 396 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. મતલબ કે રોકાણકારોને 36.08 ટકા જેટલી કમાણી થઈ શકે છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.