Muthoot Microfinનો IPO આગામી સોમવારે લોન્ચ થશે, કેટલી ચાલી રહી છે GMP?


  • Published By :
  • Published Date : 2023-12-14 16:46:12

દેશની અગ્રણી નોન-બેન્કિગ ફાઈનાન્સ કંપની (NBFC) મુથૂટ માઈક્રોફિન (Muthoot Microfin)નો IPO આગામી સોમવારે લોન્ચ થશે. કંપનીના IPO માટે આગામી 18 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકો છો. એન્કર ઈન્વેસ્ટરો એક દિવસ પહેલા એટલે કે 15 ડિસેમ્બરના રોજ બોલી લગાવી શકશે. કંપનીએ 10 રૂપિયાવાળા એક શેરની પ્રાઈઝ બેન્ડ 277 રૂપિયાથી 291 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી છે. 


કંપની રૂ.960 કરોડ એકત્રિત કરશે


બ્રિટિશ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર ગ્રેટર પેસિફિક કેપિટલના સમર્થનવાળી NBFC મુથૂટ ફિનકોર્પે આ IPOથી 960 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે. તેમાંથી 760 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યું છે જ્યારે 200 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા એકત્રિત કરવામાં આવશે. તેમાં વર્તમાન શેર હોલ્ડર તેમનો સ્ટેક વેચશે. 


ક્યારે થશે  IPOનું લિસ્ટિંગ?


કંપની 21 ડિસેમ્બર સુધી સફળ રોકાણકારોના શેરોનું એલોટમેન્ટ કરી શકે છે, જ્યારે 22 ડિસેમ્બર સુધી સફળ રોકાણકારોની ડિમેટ એકાઉન્ટમાં ઈક્વિટી શેર રિફંડ કરી દેવામાં આવશે.  IPO શેડ્યુલ મુજબ  BSE અને  NSE પર કંપની 26 ડિસેમ્બરના રોજ કંપની તેના ઈક્વિટી શેરોનું લિસ્ટિંગ કરાવશે. ઉલ્લેખનિય છે કે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના કારણે શેર બજારમાં રજા રહેશે.


ગ્રે માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યો છે?


મુથૂટ માઈક્રોફિનના IPOને ગ્રે માર્કેટમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. ગુરૂવારની સવારે તેના માટે 105 રૂપિયાનું પ્રિમિયમ કોટ કરવામાં આવી રહ્યું છે. જો  IPOની પ્રાઈઝ બેન્ડના અપર લેવલ મતલબ કે 291 રૂપિયાનો ભાવ માનવામાં આવે તો પણ ગ્રે માર્કેટમાં હજુ પણ 396 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. મતલબ કે રોકાણકારોને 36.08 ટકા જેટલી કમાણી થઈ શકે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.