Muthoot Microfinનો IPO આગામી સોમવારે લોન્ચ થશે, કેટલી ચાલી રહી છે GMP?


  • Published By :
  • Published Date : 2023-12-14 16:46:12

દેશની અગ્રણી નોન-બેન્કિગ ફાઈનાન્સ કંપની (NBFC) મુથૂટ માઈક્રોફિન (Muthoot Microfin)નો IPO આગામી સોમવારે લોન્ચ થશે. કંપનીના IPO માટે આગામી 18 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકો છો. એન્કર ઈન્વેસ્ટરો એક દિવસ પહેલા એટલે કે 15 ડિસેમ્બરના રોજ બોલી લગાવી શકશે. કંપનીએ 10 રૂપિયાવાળા એક શેરની પ્રાઈઝ બેન્ડ 277 રૂપિયાથી 291 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી છે. 


કંપની રૂ.960 કરોડ એકત્રિત કરશે


બ્રિટિશ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર ગ્રેટર પેસિફિક કેપિટલના સમર્થનવાળી NBFC મુથૂટ ફિનકોર્પે આ IPOથી 960 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે. તેમાંથી 760 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યું છે જ્યારે 200 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા એકત્રિત કરવામાં આવશે. તેમાં વર્તમાન શેર હોલ્ડર તેમનો સ્ટેક વેચશે. 


ક્યારે થશે  IPOનું લિસ્ટિંગ?


કંપની 21 ડિસેમ્બર સુધી સફળ રોકાણકારોના શેરોનું એલોટમેન્ટ કરી શકે છે, જ્યારે 22 ડિસેમ્બર સુધી સફળ રોકાણકારોની ડિમેટ એકાઉન્ટમાં ઈક્વિટી શેર રિફંડ કરી દેવામાં આવશે.  IPO શેડ્યુલ મુજબ  BSE અને  NSE પર કંપની 26 ડિસેમ્બરના રોજ કંપની તેના ઈક્વિટી શેરોનું લિસ્ટિંગ કરાવશે. ઉલ્લેખનિય છે કે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના કારણે શેર બજારમાં રજા રહેશે.


ગ્રે માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યો છે?


મુથૂટ માઈક્રોફિનના IPOને ગ્રે માર્કેટમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. ગુરૂવારની સવારે તેના માટે 105 રૂપિયાનું પ્રિમિયમ કોટ કરવામાં આવી રહ્યું છે. જો  IPOની પ્રાઈઝ બેન્ડના અપર લેવલ મતલબ કે 291 રૂપિયાનો ભાવ માનવામાં આવે તો પણ ગ્રે માર્કેટમાં હજુ પણ 396 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. મતલબ કે રોકાણકારોને 36.08 ટકા જેટલી કમાણી થઈ શકે છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.