જ્ઞાન સહાયક માધ્યમિકની અરજીની તારીખ પાછળ ઠેલાતા TET-TAT ઉમેદવારોના ગ્રુપમાં ગણગણાટ શરૂ


  • Published By :
  • Published Date : 2023-09-04 16:32:06

"મિત્રો, બધા આવી જ રીતે સંગઠીત રહેજો. જેમ આપણે ફોર્મ ન ભરીને ખેલ સહાયકનો ખેલ પાડી દીધો એવી જ રીતે સરકારની કોન્ટ્રાક્ટવાળી જ્ઞાન સહાયક ભરતીનો પણ ખેલ પાડી દેવાનો છે." આ અમે નથી કહી રહ્યા, પણ આવું ટેટ-ટાટના વિદ્યાર્થીઓના વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મેસેજ ફરતા થયા છે. જ્ઞાન સહાયકની અરજીના ફોર્મ પાછળ ઠેલાતા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ગણગણાટ શરૂ કરી દીધો છે. 


જ્ઞાન સહાયક માધ્યમિકની અરજી કરવાની તારીખ વધારાઈ 

સરકારની વેબસાઈટ પર આજ સવારથી એક મેસેજ ફરી રહ્યો છે કે જ્ઞાન સહાયક માધ્યમિક અરજી માટેની છેલ્લી તારીખ જે આજની હતી એ બદલી દેવામાં આવી છે. હવે માધ્યમિક માટેની છેલ્લી અરજી 11 સપ્ટેમ્બર કરવામાં આવી છે. સરકારે આ નિર્ણય કર્યો તેની પાછળના સરકારના કે શિક્ષણ વિભાગના અનેક તર્ક હોય શકે છે પણ વિદ્યાર્થીઓના ગ્રુપમાં આવી વાતો કરવામાં આવી રહી છે. તેમનું માનવું છે કે જ્ઞાન સહાયક મામલે સરકાર સામે વિદ્યાર્થીઓની જીત થઈ રહી છે. આવું કહેવા પાછળ વિદ્યાર્થીઓનો તર્ક છે કે માધ્યમિક જ્ઞાન સહાયક માટે લગભગ 6 હજાર શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીઓ ફોર્મ ન ભરવાની જીદ પર બેઠા છે માટે ઓછા ફોર્મ ભરાયા છે. પરિણામે વધારે ફોર્મ ભરાય એ કારણથી જ્ઞાન સહાયક માધ્યમિકની તારીખ સરકારે વધારી છે. 

"જ્ઞાન સહાયક આપોઆપ રદ થઈ જશે"

વિદ્યાર્થીઓના ગ્રુપમાં એક ફોટો ફરતો થયો છે જેમાં લખવામાં આવ્યું છે કે, "આપણી સૌની એકતાના કારણે માધ્યમિક જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. આપણે સૌ ટેટ-ટાટ ઉમેદવારોએ મક્કમ રહી ફોર્મ ન ભરી એકતા દર્શાવી છે. જેના લીધે પૂરતા ફોર્મ નથી ભરાયા. ફોર્મ ન ભરાવાના લીધે ફોર્મ ભરવાની તાલીખ લંબાવામાં આવી છે, હજુ પણ આપણે સૌએ ફોર્મ ન ભરી જ્ઞાન સહાયક રદ કરવાની છે અને જેમણે ફોર્મ ભર્યા છે તે લોકો હવે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે જેથી જ્ઞાન સહાયક આપો આપ રદ થઈ જશે. 

"ખેલ સહાયકની જેમ જ્ઞાન સહાયકનો ખેલ પાડી દેવાનો છે"

આ બધી પરિસ્થિતિની વચ્ચે એક વાત કરવામાં આવી રહી છે કે, "આપણે ખેલ સહાયકની જેમ જ્ઞાન સહાયકનો પણ ખેલ પાડી દેવાનો છે." જેનો અર્થ એ થાય છે કે ખેલ સહાયકની ભરતી માટે સરકારે 5600 જગ્યા માટે કોન્ટ્રાક્ટવાળી ભરતી બહાર પાડી હતી. જેમાં વિદ્યાર્થીઓએ માત્ર 4 હજાર 600 જેટલા જ ફોર્મ ભર્યા હતા. એટલે સરકારને ખેલ અભિરૂચી કસોટી મોકૂફ રાખવી પડી હતી.. 


હવે સરકાર અને વિદ્યાર્થીઓ બંને પોત પોતાના તર્ક સાથે મક્કમ છે તો આગળ આ મામલે શું થશે એ જોવાનું રહેશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.