જ્ઞાન સહાયક માધ્યમિકની અરજીની તારીખ પાછળ ઠેલાતા TET-TAT ઉમેદવારોના ગ્રુપમાં ગણગણાટ શરૂ


  • Published By :
  • Published Date : 2023-09-04 16:32:06

"મિત્રો, બધા આવી જ રીતે સંગઠીત રહેજો. જેમ આપણે ફોર્મ ન ભરીને ખેલ સહાયકનો ખેલ પાડી દીધો એવી જ રીતે સરકારની કોન્ટ્રાક્ટવાળી જ્ઞાન સહાયક ભરતીનો પણ ખેલ પાડી દેવાનો છે." આ અમે નથી કહી રહ્યા, પણ આવું ટેટ-ટાટના વિદ્યાર્થીઓના વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મેસેજ ફરતા થયા છે. જ્ઞાન સહાયકની અરજીના ફોર્મ પાછળ ઠેલાતા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ગણગણાટ શરૂ કરી દીધો છે. 


જ્ઞાન સહાયક માધ્યમિકની અરજી કરવાની તારીખ વધારાઈ 

સરકારની વેબસાઈટ પર આજ સવારથી એક મેસેજ ફરી રહ્યો છે કે જ્ઞાન સહાયક માધ્યમિક અરજી માટેની છેલ્લી તારીખ જે આજની હતી એ બદલી દેવામાં આવી છે. હવે માધ્યમિક માટેની છેલ્લી અરજી 11 સપ્ટેમ્બર કરવામાં આવી છે. સરકારે આ નિર્ણય કર્યો તેની પાછળના સરકારના કે શિક્ષણ વિભાગના અનેક તર્ક હોય શકે છે પણ વિદ્યાર્થીઓના ગ્રુપમાં આવી વાતો કરવામાં આવી રહી છે. તેમનું માનવું છે કે જ્ઞાન સહાયક મામલે સરકાર સામે વિદ્યાર્થીઓની જીત થઈ રહી છે. આવું કહેવા પાછળ વિદ્યાર્થીઓનો તર્ક છે કે માધ્યમિક જ્ઞાન સહાયક માટે લગભગ 6 હજાર શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીઓ ફોર્મ ન ભરવાની જીદ પર બેઠા છે માટે ઓછા ફોર્મ ભરાયા છે. પરિણામે વધારે ફોર્મ ભરાય એ કારણથી જ્ઞાન સહાયક માધ્યમિકની તારીખ સરકારે વધારી છે. 

"જ્ઞાન સહાયક આપોઆપ રદ થઈ જશે"

વિદ્યાર્થીઓના ગ્રુપમાં એક ફોટો ફરતો થયો છે જેમાં લખવામાં આવ્યું છે કે, "આપણી સૌની એકતાના કારણે માધ્યમિક જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. આપણે સૌ ટેટ-ટાટ ઉમેદવારોએ મક્કમ રહી ફોર્મ ન ભરી એકતા દર્શાવી છે. જેના લીધે પૂરતા ફોર્મ નથી ભરાયા. ફોર્મ ન ભરાવાના લીધે ફોર્મ ભરવાની તાલીખ લંબાવામાં આવી છે, હજુ પણ આપણે સૌએ ફોર્મ ન ભરી જ્ઞાન સહાયક રદ કરવાની છે અને જેમણે ફોર્મ ભર્યા છે તે લોકો હવે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે જેથી જ્ઞાન સહાયક આપો આપ રદ થઈ જશે. 

"ખેલ સહાયકની જેમ જ્ઞાન સહાયકનો ખેલ પાડી દેવાનો છે"

આ બધી પરિસ્થિતિની વચ્ચે એક વાત કરવામાં આવી રહી છે કે, "આપણે ખેલ સહાયકની જેમ જ્ઞાન સહાયકનો પણ ખેલ પાડી દેવાનો છે." જેનો અર્થ એ થાય છે કે ખેલ સહાયકની ભરતી માટે સરકારે 5600 જગ્યા માટે કોન્ટ્રાક્ટવાળી ભરતી બહાર પાડી હતી. જેમાં વિદ્યાર્થીઓએ માત્ર 4 હજાર 600 જેટલા જ ફોર્મ ભર્યા હતા. એટલે સરકારને ખેલ અભિરૂચી કસોટી મોકૂફ રાખવી પડી હતી.. 


હવે સરકાર અને વિદ્યાર્થીઓ બંને પોત પોતાના તર્ક સાથે મક્કમ છે તો આગળ આ મામલે શું થશે એ જોવાનું રહેશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.