જ્ઞાન સહાયક માધ્યમિકની અરજીની તારીખ પાછળ ઠેલાતા TET-TAT ઉમેદવારોના ગ્રુપમાં ગણગણાટ શરૂ


  • Published By :
  • Published Date : 2023-09-04 16:32:06

"મિત્રો, બધા આવી જ રીતે સંગઠીત રહેજો. જેમ આપણે ફોર્મ ન ભરીને ખેલ સહાયકનો ખેલ પાડી દીધો એવી જ રીતે સરકારની કોન્ટ્રાક્ટવાળી જ્ઞાન સહાયક ભરતીનો પણ ખેલ પાડી દેવાનો છે." આ અમે નથી કહી રહ્યા, પણ આવું ટેટ-ટાટના વિદ્યાર્થીઓના વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મેસેજ ફરતા થયા છે. જ્ઞાન સહાયકની અરજીના ફોર્મ પાછળ ઠેલાતા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ગણગણાટ શરૂ કરી દીધો છે. 


જ્ઞાન સહાયક માધ્યમિકની અરજી કરવાની તારીખ વધારાઈ 

સરકારની વેબસાઈટ પર આજ સવારથી એક મેસેજ ફરી રહ્યો છે કે જ્ઞાન સહાયક માધ્યમિક અરજી માટેની છેલ્લી તારીખ જે આજની હતી એ બદલી દેવામાં આવી છે. હવે માધ્યમિક માટેની છેલ્લી અરજી 11 સપ્ટેમ્બર કરવામાં આવી છે. સરકારે આ નિર્ણય કર્યો તેની પાછળના સરકારના કે શિક્ષણ વિભાગના અનેક તર્ક હોય શકે છે પણ વિદ્યાર્થીઓના ગ્રુપમાં આવી વાતો કરવામાં આવી રહી છે. તેમનું માનવું છે કે જ્ઞાન સહાયક મામલે સરકાર સામે વિદ્યાર્થીઓની જીત થઈ રહી છે. આવું કહેવા પાછળ વિદ્યાર્થીઓનો તર્ક છે કે માધ્યમિક જ્ઞાન સહાયક માટે લગભગ 6 હજાર શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીઓ ફોર્મ ન ભરવાની જીદ પર બેઠા છે માટે ઓછા ફોર્મ ભરાયા છે. પરિણામે વધારે ફોર્મ ભરાય એ કારણથી જ્ઞાન સહાયક માધ્યમિકની તારીખ સરકારે વધારી છે. 

"જ્ઞાન સહાયક આપોઆપ રદ થઈ જશે"

વિદ્યાર્થીઓના ગ્રુપમાં એક ફોટો ફરતો થયો છે જેમાં લખવામાં આવ્યું છે કે, "આપણી સૌની એકતાના કારણે માધ્યમિક જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. આપણે સૌ ટેટ-ટાટ ઉમેદવારોએ મક્કમ રહી ફોર્મ ન ભરી એકતા દર્શાવી છે. જેના લીધે પૂરતા ફોર્મ નથી ભરાયા. ફોર્મ ન ભરાવાના લીધે ફોર્મ ભરવાની તાલીખ લંબાવામાં આવી છે, હજુ પણ આપણે સૌએ ફોર્મ ન ભરી જ્ઞાન સહાયક રદ કરવાની છે અને જેમણે ફોર્મ ભર્યા છે તે લોકો હવે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે જેથી જ્ઞાન સહાયક આપો આપ રદ થઈ જશે. 

"ખેલ સહાયકની જેમ જ્ઞાન સહાયકનો ખેલ પાડી દેવાનો છે"

આ બધી પરિસ્થિતિની વચ્ચે એક વાત કરવામાં આવી રહી છે કે, "આપણે ખેલ સહાયકની જેમ જ્ઞાન સહાયકનો પણ ખેલ પાડી દેવાનો છે." જેનો અર્થ એ થાય છે કે ખેલ સહાયકની ભરતી માટે સરકારે 5600 જગ્યા માટે કોન્ટ્રાક્ટવાળી ભરતી બહાર પાડી હતી. જેમાં વિદ્યાર્થીઓએ માત્ર 4 હજાર 600 જેટલા જ ફોર્મ ભર્યા હતા. એટલે સરકારને ખેલ અભિરૂચી કસોટી મોકૂફ રાખવી પડી હતી.. 


હવે સરકાર અને વિદ્યાર્થીઓ બંને પોત પોતાના તર્ક સાથે મક્કમ છે તો આગળ આ મામલે શું થશે એ જોવાનું રહેશે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.