મિઝોરમ એરપોર્ટ પર મ્યાનમારનું પ્લેન ક્રેશ, સેનાના 14 જવાન સવાર હતા, 6 ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-23 13:54:34

મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમારનું લશ્કરી વિમાન ક્રેશ થયું છે. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મ્યાનમારનું આ સૈન્ય વિમાન મંગળવારે મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર રનવે પરથી લપસી ગયું હતું. વિમાનને તેમના દેશમાં બળવાખોર જૂથની મુશ્કેલીઓ વચ્ચે પૂર્વોત્તર રાજ્યમાં આશ્રય લીધેલા સૈનિકોને બહાર કાઢવા માટે મોકલવામાં આવ્યું હતું.


લેન્ડિંગ દરમિયાન થયું ક્રેશ

 

ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર, પડકારરૂપ લેન્ડિંગ એરિયા તરીકે ઓળખાતા લેંગપુઈનો ટેબલ ટોપ રનવે આ  દુર્ઘટનાનું કારણ બન્યો હતો. ભારતે સોમવારે મ્યાનમારના 184 સૈનિકોને પરત મોકલ્યા જેઓ ગયા અઠવાડિયે વંશીય વિદ્રોહી જૂથ સાથેની અથડામણ વચ્ચે મિઝોરમ ભાગી આવ્યા હતા. આ વાતની પુષ્ટિ કરતા આસામ રાઈફલ્સના એક અધિકારીએ જણાવ્યું કે ગત સપ્તાહે મ્યાનમારના કુલ 276 સૈનિકો પૂર્વોત્તર રાજ્યમાં પ્રવેશ્યા હતા.


વિમાનમાં કુલ 14 લોકો હતા
 

મિઝોરમના એક અધિકારીએ જણાવ્યું કે, 'વિમાન નાના કદનું છે, તેમાં પાયલટ સહિત 14 લોકો સવાર હતા, 6 ઘાયલ થયા છે અને 6 સુરક્ષિત છે. વંશીય બળવાખોર જૂથો અને લોકશાહી તરફી દળો દ્વારા તેમના શિબિરો પર કબજો મેળવ્યા પછી લગભગ 635 મ્યાનમાર સૈનિકો અત્યાર સુધીમાં મિઝોરમ ભાગી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આમાંથી 359 સૈનિકોને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.