મિઝોરમ એરપોર્ટ પર મ્યાનમારનું પ્લેન ક્રેશ, સેનાના 14 જવાન સવાર હતા, 6 ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-23 13:54:34

મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમારનું લશ્કરી વિમાન ક્રેશ થયું છે. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મ્યાનમારનું આ સૈન્ય વિમાન મંગળવારે મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર રનવે પરથી લપસી ગયું હતું. વિમાનને તેમના દેશમાં બળવાખોર જૂથની મુશ્કેલીઓ વચ્ચે પૂર્વોત્તર રાજ્યમાં આશ્રય લીધેલા સૈનિકોને બહાર કાઢવા માટે મોકલવામાં આવ્યું હતું.


લેન્ડિંગ દરમિયાન થયું ક્રેશ

 

ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર, પડકારરૂપ લેન્ડિંગ એરિયા તરીકે ઓળખાતા લેંગપુઈનો ટેબલ ટોપ રનવે આ  દુર્ઘટનાનું કારણ બન્યો હતો. ભારતે સોમવારે મ્યાનમારના 184 સૈનિકોને પરત મોકલ્યા જેઓ ગયા અઠવાડિયે વંશીય વિદ્રોહી જૂથ સાથેની અથડામણ વચ્ચે મિઝોરમ ભાગી આવ્યા હતા. આ વાતની પુષ્ટિ કરતા આસામ રાઈફલ્સના એક અધિકારીએ જણાવ્યું કે ગત સપ્તાહે મ્યાનમારના કુલ 276 સૈનિકો પૂર્વોત્તર રાજ્યમાં પ્રવેશ્યા હતા.


વિમાનમાં કુલ 14 લોકો હતા
 

મિઝોરમના એક અધિકારીએ જણાવ્યું કે, 'વિમાન નાના કદનું છે, તેમાં પાયલટ સહિત 14 લોકો સવાર હતા, 6 ઘાયલ થયા છે અને 6 સુરક્ષિત છે. વંશીય બળવાખોર જૂથો અને લોકશાહી તરફી દળો દ્વારા તેમના શિબિરો પર કબજો મેળવ્યા પછી લગભગ 635 મ્યાનમાર સૈનિકો અત્યાર સુધીમાં મિઝોરમ ભાગી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આમાંથી 359 સૈનિકોને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.