મિઝોરમ એરપોર્ટ પર મ્યાનમારનું પ્લેન ક્રેશ, સેનાના 14 જવાન સવાર હતા, 6 ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-23 13:54:34

મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમારનું લશ્કરી વિમાન ક્રેશ થયું છે. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મ્યાનમારનું આ સૈન્ય વિમાન મંગળવારે મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર રનવે પરથી લપસી ગયું હતું. વિમાનને તેમના દેશમાં બળવાખોર જૂથની મુશ્કેલીઓ વચ્ચે પૂર્વોત્તર રાજ્યમાં આશ્રય લીધેલા સૈનિકોને બહાર કાઢવા માટે મોકલવામાં આવ્યું હતું.


લેન્ડિંગ દરમિયાન થયું ક્રેશ

 

ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર, પડકારરૂપ લેન્ડિંગ એરિયા તરીકે ઓળખાતા લેંગપુઈનો ટેબલ ટોપ રનવે આ  દુર્ઘટનાનું કારણ બન્યો હતો. ભારતે સોમવારે મ્યાનમારના 184 સૈનિકોને પરત મોકલ્યા જેઓ ગયા અઠવાડિયે વંશીય વિદ્રોહી જૂથ સાથેની અથડામણ વચ્ચે મિઝોરમ ભાગી આવ્યા હતા. આ વાતની પુષ્ટિ કરતા આસામ રાઈફલ્સના એક અધિકારીએ જણાવ્યું કે ગત સપ્તાહે મ્યાનમારના કુલ 276 સૈનિકો પૂર્વોત્તર રાજ્યમાં પ્રવેશ્યા હતા.


વિમાનમાં કુલ 14 લોકો હતા
 

મિઝોરમના એક અધિકારીએ જણાવ્યું કે, 'વિમાન નાના કદનું છે, તેમાં પાયલટ સહિત 14 લોકો સવાર હતા, 6 ઘાયલ થયા છે અને 6 સુરક્ષિત છે. વંશીય બળવાખોર જૂથો અને લોકશાહી તરફી દળો દ્વારા તેમના શિબિરો પર કબજો મેળવ્યા પછી લગભગ 635 મ્યાનમાર સૈનિકો અત્યાર સુધીમાં મિઝોરમ ભાગી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આમાંથી 359 સૈનિકોને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.