મિઝોરમ એરપોર્ટ પર મ્યાનમારનું પ્લેન ક્રેશ, સેનાના 14 જવાન સવાર હતા, 6 ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-23 13:54:34

મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમારનું લશ્કરી વિમાન ક્રેશ થયું છે. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મ્યાનમારનું આ સૈન્ય વિમાન મંગળવારે મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર રનવે પરથી લપસી ગયું હતું. વિમાનને તેમના દેશમાં બળવાખોર જૂથની મુશ્કેલીઓ વચ્ચે પૂર્વોત્તર રાજ્યમાં આશ્રય લીધેલા સૈનિકોને બહાર કાઢવા માટે મોકલવામાં આવ્યું હતું.


લેન્ડિંગ દરમિયાન થયું ક્રેશ

 

ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર, પડકારરૂપ લેન્ડિંગ એરિયા તરીકે ઓળખાતા લેંગપુઈનો ટેબલ ટોપ રનવે આ  દુર્ઘટનાનું કારણ બન્યો હતો. ભારતે સોમવારે મ્યાનમારના 184 સૈનિકોને પરત મોકલ્યા જેઓ ગયા અઠવાડિયે વંશીય વિદ્રોહી જૂથ સાથેની અથડામણ વચ્ચે મિઝોરમ ભાગી આવ્યા હતા. આ વાતની પુષ્ટિ કરતા આસામ રાઈફલ્સના એક અધિકારીએ જણાવ્યું કે ગત સપ્તાહે મ્યાનમારના કુલ 276 સૈનિકો પૂર્વોત્તર રાજ્યમાં પ્રવેશ્યા હતા.


વિમાનમાં કુલ 14 લોકો હતા
 

મિઝોરમના એક અધિકારીએ જણાવ્યું કે, 'વિમાન નાના કદનું છે, તેમાં પાયલટ સહિત 14 લોકો સવાર હતા, 6 ઘાયલ થયા છે અને 6 સુરક્ષિત છે. વંશીય બળવાખોર જૂથો અને લોકશાહી તરફી દળો દ્વારા તેમના શિબિરો પર કબજો મેળવ્યા પછી લગભગ 635 મ્યાનમાર સૈનિકો અત્યાર સુધીમાં મિઝોરમ ભાગી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આમાંથી 359 સૈનિકોને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે