પુણેમાં નબીરાએ સર્જ્યો અકસ્માત, શહેરના નામ બદલાય છે, મૃતકના સરનામાં બદલાય છે પરંતુ નથી બદલાતી તે સિસ્ટમ છે...!


  • Published By :
  • Published Date : 2024-05-22 11:27:37

કરોડોની મોંઘીદાટ ગાડીમાં બેઠેલા નબીરાઓ જ્યારે અકસ્માત સર્જે છે તો તેમને લાગતું હોય છે જેમ પૈસાથી બધું જ ખરીદી શકાય છે તેમ સિસ્ટમ પણ ખરીદી શકાય છે...! થોડા સમય પહેલા અમદાવાદમાં તથ્ય પટેલે અકસ્માત સર્જયો હતો જેમાં અનેક લોકો કચડાઈ ગયા હતા ત્યારે આવો જ એક અકસ્માત પુણેમાં સર્જાયો છે. મોંઘીદાટ ગાડી લઈને નિકળેલો કથિત નાબાલીક છોકરો 200 કિમીની સ્પીડમાં ગાડી ચલાવે છે, અકસ્માત સર્જે છે જેમાં બે લોકોના મોત થઈ જાય છે.. તથ્ય કાંડને થયે 9 મહિના જેટલો સમય વીતિ ગયો છે પરંતુ સિસ્ટમમાં કોઈ બદલાવ નથી આવ્યો...  

પુણેમાં નબીરાએ સર્જ્યો અકસ્માત જેમાં ગયા બે લોકોના જીવ 

નબીરાઓ રસ્તાને પોતાના બાપનો માની બેફામ રીતે વાહન ચલાવે છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગુજરાતમાં થોડા સમય પહેલા એક નબીરાએ ભયંકર રોડ અકસ્માત સર્જ્યો હતો. પોતાની મોંઘીદાટ ગાડીની નીચે અનેક જિંદગીઓને કચડી નાખી હતી..  તથ્ય પટેલ કાંડને આજે યાદ એટલા માટે કરવો છે કે પુણેમાં પણ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે જેમાં બે લોકોના મોત થઈ ગયા છે.. બધા પૈસા વાળા વ્યક્તિઓ ખરાબ હોય તેવું અમે નથી કહી રહ્યા પરંતુ અનેક એવા લોકો હોય છે જે આવા પ્રકારના કૃત્યો કરે છે... પૈસાનું ઘમંડ જાણે તેમના માથે ચડી ગયો હોય તેવું લાગે... 


માત્ર થોડા કલાકોની અંદર નબીરાને મળી ગયા શરતી જામીન! 

જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો આશરે 2.5 કરોડની પોર્શ કાર લઈને જઈ રહ્યો હતો.. 12માં ધોરણમાં પાસ થવાની ખુશીમાં 17 વર્ષ અને 8 મહિનાનો કથિત નાબાલીક છોકરો પાર્ટી કરીને આવી રહ્યો હતો. સંભવત દારૂ પીને ગાડી લઈને નીકળે છે, પ્રાથમીક દ્રષ્ટીએ જોનારા લોકો કહે છે કે 200કિમીની સ્પીડ પર ગાડી હશે, અકસ્માત કરે છે જેમાં બાઈક પર સવાર બે લોકોનું મૃત્યુ થાય છે. આ ઘટનામાં કાર્યવાહી પણ થાય છે.. મૃતદેહ ચિતા પર પહોંચે એના પહેલા બિલ્ડર બાપના બેટાના જામીન મળી જાય છે, જજ જામીનની શરતમાં સજા આપે છે કે બેટા ઓવરસ્પીડીંગ પર નિબંધ લખી આપ..



ઘટના વાયરલ થયા બાદ થઈ કાર્યવાહી 

સવાલો તો જજ દ્વારા આપવામાં આવેલી સજા પર પણ થવા જોઈએ.. જે પ્રકારનું ગંભીર કૃત્ય નબીરા દ્વારા કરવામાં આવ્યું તેની સામે આપવામાં આવેલી સજાને સાચે સજા માનવી કે મજાક? સ્કૂલમાં ભણતા બાળકને જાણે નિબંધ લખવાનું હોમવર્ક ટીચર લખવા માટે આપતા હોય તેવી રીતે જજે આ શરત પર જામીન પણ આપી દીધા! કલાકો વિત્યા પરંતુ પોલીસ બ્લડ સેમ્પલ કલેક્ટ નથી કરતી, ટેસ્ટ નથી થતો, બધુ જ સેટ હતું...પરંતુ આ આખી ઘટના વાયરલ થયા બાદ કાર્યવાહી શરૂ થાય છે.. સગીરના પિતાની ધરપકડ કરવામાં આવી છે.. 


મૃતકોના સરનામા બદલાય પરંતુ કમબક્ત સિસ્ટમ નથી બદલાતી!

આવી ઘટનાઓ જ્યારે સામે આવે છે, ઓવરસ્પીડિંગને કારણે જ્યારે કોઈના મોત થાય છે ત્યારે સવાલ થાય કે આપણે જૂની ઘટનાઓમાંથી ક્યારે શીખીશું? સિસ્ટમમાં બદલાવ ક્યારે આવશે? આ અકસ્માતમાં મૃતકના સરનામા બદલાય છે, મૃતકોની સંખ્યા બદલાય, અકસ્માત સર્જનાર વ્યક્તિનું નામ બદલાય છે, શહેર બદલાય છે.. બધું જ બદલાય છે માત્ર નથી બદલાતી તો તે સિસ્ટમ છે.. બધું ત્યાંનું ત્યાં જ હોય છે..  



નબીરાઓ ક્યારે સમજશે કે રસ્તો તેમના બાપનો નથી? 

જ્યાં સુધી સિસ્ટમ નહીં બદલાય જ્યાં સુધી એવા દાખલા નહીં બેસાડાય કે ગુન્હો ગુન્હો હોય એ પછી પૈસાદાર બાપના સંતાનો સર્જે કે મધ્યમવર્ગથી આવતો માણસ સર્જે.. જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં કરવામાં આવે આવા નબીરાઓ વિરૂદ્ધ ત્યાં સુધી આવા નબીરાઓને લાગશે કે રોડ તેમના બાપનો છે, સિસ્ટમ તેમના બાપની છે... નબીરાઓને એટલું જ કહેવું છે કે આ દેશના રસ્તા તમારા પપ્પાની પ્રોપર્ટી નથી કે જેમ મનફાવે તેમ, બેફામ રીતે ગાડી ચલાવો.. 


પૈસાથી કોઈનો જીવ પાછો નથી આવતો.. 

આ ઘટનાઓ જ્યારે બને છે ત્યારે અનેક વખત જોવામાં આવ્યું છે કે મૃતકના પરિવારને પૈસા આપવાની વાત કરવામાં આવે છે... અકસ્માત સર્જનારા લોકો મૃતકના પરિવારને કહે છે કે આટલા પૈસા તમને અમે આપી દઈએ..અનેક મૃતકોના પરિવારના સભ્યો કહેતા હોય છે કે અમે તમને આટલા રૂપિયા આપીએ તમે અમારા સંતાનોને પાછા લઈ આવો.. પૈસાથી કોઈનો જીવ પાછો નથી આવતો.. 


સંતાન ગુમાવવાની પીડા એ જ સમજી શકે જેમણે... 

એ મા બાપની પીડા કોઈ ના સમજી શકે જેમણે પોતાના જવાન સંતાનોને ગુમાવ્યા છે.. એ પીડા તો એ જ સમજી શકે જે પિતાએ પોતાના સંતાનની લાશને ખભો આપ્યો હોય, મુખાગ્નિ આપી હોય...આ સિસ્ટમમાં બદલાવ આવે તેવી આશા રાખવી તો ના જોઈએ પરંતુ થોડો બદલાવ આવે તેવી આશા... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.