પુણેમાં નબીરાએ સર્જ્યો અકસ્માત, શહેરના નામ બદલાય છે, મૃતકના સરનામાં બદલાય છે પરંતુ નથી બદલાતી તે સિસ્ટમ છે...!


  • Published By :
  • Published Date : 2024-05-22 11:27:37

કરોડોની મોંઘીદાટ ગાડીમાં બેઠેલા નબીરાઓ જ્યારે અકસ્માત સર્જે છે તો તેમને લાગતું હોય છે જેમ પૈસાથી બધું જ ખરીદી શકાય છે તેમ સિસ્ટમ પણ ખરીદી શકાય છે...! થોડા સમય પહેલા અમદાવાદમાં તથ્ય પટેલે અકસ્માત સર્જયો હતો જેમાં અનેક લોકો કચડાઈ ગયા હતા ત્યારે આવો જ એક અકસ્માત પુણેમાં સર્જાયો છે. મોંઘીદાટ ગાડી લઈને નિકળેલો કથિત નાબાલીક છોકરો 200 કિમીની સ્પીડમાં ગાડી ચલાવે છે, અકસ્માત સર્જે છે જેમાં બે લોકોના મોત થઈ જાય છે.. તથ્ય કાંડને થયે 9 મહિના જેટલો સમય વીતિ ગયો છે પરંતુ સિસ્ટમમાં કોઈ બદલાવ નથી આવ્યો...  

પુણેમાં નબીરાએ સર્જ્યો અકસ્માત જેમાં ગયા બે લોકોના જીવ 

નબીરાઓ રસ્તાને પોતાના બાપનો માની બેફામ રીતે વાહન ચલાવે છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગુજરાતમાં થોડા સમય પહેલા એક નબીરાએ ભયંકર રોડ અકસ્માત સર્જ્યો હતો. પોતાની મોંઘીદાટ ગાડીની નીચે અનેક જિંદગીઓને કચડી નાખી હતી..  તથ્ય પટેલ કાંડને આજે યાદ એટલા માટે કરવો છે કે પુણેમાં પણ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે જેમાં બે લોકોના મોત થઈ ગયા છે.. બધા પૈસા વાળા વ્યક્તિઓ ખરાબ હોય તેવું અમે નથી કહી રહ્યા પરંતુ અનેક એવા લોકો હોય છે જે આવા પ્રકારના કૃત્યો કરે છે... પૈસાનું ઘમંડ જાણે તેમના માથે ચડી ગયો હોય તેવું લાગે... 


માત્ર થોડા કલાકોની અંદર નબીરાને મળી ગયા શરતી જામીન! 

જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો આશરે 2.5 કરોડની પોર્શ કાર લઈને જઈ રહ્યો હતો.. 12માં ધોરણમાં પાસ થવાની ખુશીમાં 17 વર્ષ અને 8 મહિનાનો કથિત નાબાલીક છોકરો પાર્ટી કરીને આવી રહ્યો હતો. સંભવત દારૂ પીને ગાડી લઈને નીકળે છે, પ્રાથમીક દ્રષ્ટીએ જોનારા લોકો કહે છે કે 200કિમીની સ્પીડ પર ગાડી હશે, અકસ્માત કરે છે જેમાં બાઈક પર સવાર બે લોકોનું મૃત્યુ થાય છે. આ ઘટનામાં કાર્યવાહી પણ થાય છે.. મૃતદેહ ચિતા પર પહોંચે એના પહેલા બિલ્ડર બાપના બેટાના જામીન મળી જાય છે, જજ જામીનની શરતમાં સજા આપે છે કે બેટા ઓવરસ્પીડીંગ પર નિબંધ લખી આપ..



ઘટના વાયરલ થયા બાદ થઈ કાર્યવાહી 

સવાલો તો જજ દ્વારા આપવામાં આવેલી સજા પર પણ થવા જોઈએ.. જે પ્રકારનું ગંભીર કૃત્ય નબીરા દ્વારા કરવામાં આવ્યું તેની સામે આપવામાં આવેલી સજાને સાચે સજા માનવી કે મજાક? સ્કૂલમાં ભણતા બાળકને જાણે નિબંધ લખવાનું હોમવર્ક ટીચર લખવા માટે આપતા હોય તેવી રીતે જજે આ શરત પર જામીન પણ આપી દીધા! કલાકો વિત્યા પરંતુ પોલીસ બ્લડ સેમ્પલ કલેક્ટ નથી કરતી, ટેસ્ટ નથી થતો, બધુ જ સેટ હતું...પરંતુ આ આખી ઘટના વાયરલ થયા બાદ કાર્યવાહી શરૂ થાય છે.. સગીરના પિતાની ધરપકડ કરવામાં આવી છે.. 


મૃતકોના સરનામા બદલાય પરંતુ કમબક્ત સિસ્ટમ નથી બદલાતી!

આવી ઘટનાઓ જ્યારે સામે આવે છે, ઓવરસ્પીડિંગને કારણે જ્યારે કોઈના મોત થાય છે ત્યારે સવાલ થાય કે આપણે જૂની ઘટનાઓમાંથી ક્યારે શીખીશું? સિસ્ટમમાં બદલાવ ક્યારે આવશે? આ અકસ્માતમાં મૃતકના સરનામા બદલાય છે, મૃતકોની સંખ્યા બદલાય, અકસ્માત સર્જનાર વ્યક્તિનું નામ બદલાય છે, શહેર બદલાય છે.. બધું જ બદલાય છે માત્ર નથી બદલાતી તો તે સિસ્ટમ છે.. બધું ત્યાંનું ત્યાં જ હોય છે..  



નબીરાઓ ક્યારે સમજશે કે રસ્તો તેમના બાપનો નથી? 

જ્યાં સુધી સિસ્ટમ નહીં બદલાય જ્યાં સુધી એવા દાખલા નહીં બેસાડાય કે ગુન્હો ગુન્હો હોય એ પછી પૈસાદાર બાપના સંતાનો સર્જે કે મધ્યમવર્ગથી આવતો માણસ સર્જે.. જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં કરવામાં આવે આવા નબીરાઓ વિરૂદ્ધ ત્યાં સુધી આવા નબીરાઓને લાગશે કે રોડ તેમના બાપનો છે, સિસ્ટમ તેમના બાપની છે... નબીરાઓને એટલું જ કહેવું છે કે આ દેશના રસ્તા તમારા પપ્પાની પ્રોપર્ટી નથી કે જેમ મનફાવે તેમ, બેફામ રીતે ગાડી ચલાવો.. 


પૈસાથી કોઈનો જીવ પાછો નથી આવતો.. 

આ ઘટનાઓ જ્યારે બને છે ત્યારે અનેક વખત જોવામાં આવ્યું છે કે મૃતકના પરિવારને પૈસા આપવાની વાત કરવામાં આવે છે... અકસ્માત સર્જનારા લોકો મૃતકના પરિવારને કહે છે કે આટલા પૈસા તમને અમે આપી દઈએ..અનેક મૃતકોના પરિવારના સભ્યો કહેતા હોય છે કે અમે તમને આટલા રૂપિયા આપીએ તમે અમારા સંતાનોને પાછા લઈ આવો.. પૈસાથી કોઈનો જીવ પાછો નથી આવતો.. 


સંતાન ગુમાવવાની પીડા એ જ સમજી શકે જેમણે... 

એ મા બાપની પીડા કોઈ ના સમજી શકે જેમણે પોતાના જવાન સંતાનોને ગુમાવ્યા છે.. એ પીડા તો એ જ સમજી શકે જે પિતાએ પોતાના સંતાનની લાશને ખભો આપ્યો હોય, મુખાગ્નિ આપી હોય...આ સિસ્ટમમાં બદલાવ આવે તેવી આશા રાખવી તો ના જોઈએ પરંતુ થોડો બદલાવ આવે તેવી આશા... 



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.