Gandhinagarમાં બનશે નાદબ્રહ્મ આર્ટ સેન્ટર, PM Modiએ સેન્ટર બનાવવા જમીન દાનમાં આપી , આર્ટ સેન્ટરમાં હશે આ સુવિધાઓ...


  • Published By :
  • Published Date : 2024-03-13 10:59:04

બાળકના જીવનમાં જેટલું ભણવાનું મહત્વ રહેલું હોય છે તેટલું મહત્વ બીજી બધી પ્રવૃત્તિઓનું પણ રહેલું છે. ડાન્સ, મ્યુઝીક, રમત ગમત જેવી વસ્તુઓ જો બાળકને શીખવાડવામાં આવે તો તેનો સર્વાંગી વિકાસ થતો હોય છે. એવું પણ આપણે ત્યાં માનવામાં આવે છે કે વ્યક્તિને કોઈ કળા આવડવી જોઈએ. કળાના માધ્યમથી અનેક લોકો ઈશ્વરની આરાધના કરતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં રહેલી તેમની જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે અને તે જમીન પર નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનાવવામાં આવશે. અને આ આર્ટ સેન્ટરમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Image

સંગીત અને નૃત્યની અપાશે તાલીમ!

પીએમ મોદીએ ગાંધીનગરમાં રહેલી પોતાની જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે અને એ જમીન પર નાદ બ્રહ્મ આર્ટ સેન્ટર બનવાનું છે. મળતી માહિતી અનુસાર આ આર્ટ સેન્ટરમાં ભારતીય સંગીત કલામાં લોકો આગળ વધે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ભારતીય સંગીત કલાને એક છત નીચે લાવવા માટે આ આર્ટ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. આ આર્ટ સેન્ટર અત્યાધુનિક સુવિધાઓથી પરિપૂર્ણ હશે અને આ સેન્ટરમાં 200 લોકો બેસી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તે ઉપરાંત આ આર્ટ સેન્ટરમાં સંગીત, નૃત્ય શીખવાડમાં આવશે અને તેના માટે અલગ વર્ગખંડોની પણ રચના કરવામાં આવી છે. તે ઉપરાંત 5 પર્ફોર્મન્સ સ્ટુડિયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.   

Image



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.