Gandhinagarમાં બનશે નાદબ્રહ્મ આર્ટ સેન્ટર, PM Modiએ સેન્ટર બનાવવા જમીન દાનમાં આપી , આર્ટ સેન્ટરમાં હશે આ સુવિધાઓ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-13 10:59:04

બાળકના જીવનમાં જેટલું ભણવાનું મહત્વ રહેલું હોય છે તેટલું મહત્વ બીજી બધી પ્રવૃત્તિઓનું પણ રહેલું છે. ડાન્સ, મ્યુઝીક, રમત ગમત જેવી વસ્તુઓ જો બાળકને શીખવાડવામાં આવે તો તેનો સર્વાંગી વિકાસ થતો હોય છે. એવું પણ આપણે ત્યાં માનવામાં આવે છે કે વ્યક્તિને કોઈ કળા આવડવી જોઈએ. કળાના માધ્યમથી અનેક લોકો ઈશ્વરની આરાધના કરતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં રહેલી તેમની જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે અને તે જમીન પર નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનાવવામાં આવશે. અને આ આર્ટ સેન્ટરમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Image

સંગીત અને નૃત્યની અપાશે તાલીમ!

પીએમ મોદીએ ગાંધીનગરમાં રહેલી પોતાની જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે અને એ જમીન પર નાદ બ્રહ્મ આર્ટ સેન્ટર બનવાનું છે. મળતી માહિતી અનુસાર આ આર્ટ સેન્ટરમાં ભારતીય સંગીત કલામાં લોકો આગળ વધે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ભારતીય સંગીત કલાને એક છત નીચે લાવવા માટે આ આર્ટ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. આ આર્ટ સેન્ટર અત્યાધુનિક સુવિધાઓથી પરિપૂર્ણ હશે અને આ સેન્ટરમાં 200 લોકો બેસી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તે ઉપરાંત આ આર્ટ સેન્ટરમાં સંગીત, નૃત્ય શીખવાડમાં આવશે અને તેના માટે અલગ વર્ગખંડોની પણ રચના કરવામાં આવી છે. તે ઉપરાંત 5 પર્ફોર્મન્સ સ્ટુડિયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.   

Image



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.