Gandhinagarમાં બનશે નાદબ્રહ્મ આર્ટ સેન્ટર, PM Modiએ સેન્ટર બનાવવા જમીન દાનમાં આપી , આર્ટ સેન્ટરમાં હશે આ સુવિધાઓ...


  • Published By :
  • Published Date : 2024-03-13 10:59:04

બાળકના જીવનમાં જેટલું ભણવાનું મહત્વ રહેલું હોય છે તેટલું મહત્વ બીજી બધી પ્રવૃત્તિઓનું પણ રહેલું છે. ડાન્સ, મ્યુઝીક, રમત ગમત જેવી વસ્તુઓ જો બાળકને શીખવાડવામાં આવે તો તેનો સર્વાંગી વિકાસ થતો હોય છે. એવું પણ આપણે ત્યાં માનવામાં આવે છે કે વ્યક્તિને કોઈ કળા આવડવી જોઈએ. કળાના માધ્યમથી અનેક લોકો ઈશ્વરની આરાધના કરતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં રહેલી તેમની જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે અને તે જમીન પર નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનાવવામાં આવશે. અને આ આર્ટ સેન્ટરમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Image

સંગીત અને નૃત્યની અપાશે તાલીમ!

પીએમ મોદીએ ગાંધીનગરમાં રહેલી પોતાની જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે અને એ જમીન પર નાદ બ્રહ્મ આર્ટ સેન્ટર બનવાનું છે. મળતી માહિતી અનુસાર આ આર્ટ સેન્ટરમાં ભારતીય સંગીત કલામાં લોકો આગળ વધે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ભારતીય સંગીત કલાને એક છત નીચે લાવવા માટે આ આર્ટ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. આ આર્ટ સેન્ટર અત્યાધુનિક સુવિધાઓથી પરિપૂર્ણ હશે અને આ સેન્ટરમાં 200 લોકો બેસી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તે ઉપરાંત આ આર્ટ સેન્ટરમાં સંગીત, નૃત્ય શીખવાડમાં આવશે અને તેના માટે અલગ વર્ગખંડોની પણ રચના કરવામાં આવી છે. તે ઉપરાંત 5 પર્ફોર્મન્સ સ્ટુડિયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.   

Image



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે