Gandhinagarમાં બનશે નાદબ્રહ્મ આર્ટ સેન્ટર, PM Modiએ સેન્ટર બનાવવા જમીન દાનમાં આપી , આર્ટ સેન્ટરમાં હશે આ સુવિધાઓ...


  • Published By :
  • Published Date : 2024-03-13 10:59:04

બાળકના જીવનમાં જેટલું ભણવાનું મહત્વ રહેલું હોય છે તેટલું મહત્વ બીજી બધી પ્રવૃત્તિઓનું પણ રહેલું છે. ડાન્સ, મ્યુઝીક, રમત ગમત જેવી વસ્તુઓ જો બાળકને શીખવાડવામાં આવે તો તેનો સર્વાંગી વિકાસ થતો હોય છે. એવું પણ આપણે ત્યાં માનવામાં આવે છે કે વ્યક્તિને કોઈ કળા આવડવી જોઈએ. કળાના માધ્યમથી અનેક લોકો ઈશ્વરની આરાધના કરતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં રહેલી તેમની જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે અને તે જમીન પર નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનાવવામાં આવશે. અને આ આર્ટ સેન્ટરમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Image

સંગીત અને નૃત્યની અપાશે તાલીમ!

પીએમ મોદીએ ગાંધીનગરમાં રહેલી પોતાની જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે અને એ જમીન પર નાદ બ્રહ્મ આર્ટ સેન્ટર બનવાનું છે. મળતી માહિતી અનુસાર આ આર્ટ સેન્ટરમાં ભારતીય સંગીત કલામાં લોકો આગળ વધે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ભારતીય સંગીત કલાને એક છત નીચે લાવવા માટે આ આર્ટ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. આ આર્ટ સેન્ટર અત્યાધુનિક સુવિધાઓથી પરિપૂર્ણ હશે અને આ સેન્ટરમાં 200 લોકો બેસી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તે ઉપરાંત આ આર્ટ સેન્ટરમાં સંગીત, નૃત્ય શીખવાડમાં આવશે અને તેના માટે અલગ વર્ગખંડોની પણ રચના કરવામાં આવી છે. તે ઉપરાંત 5 પર્ફોર્મન્સ સ્ટુડિયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.   

Image



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.