NAFEDએ ડુંગળીની ખરીદી તો શરૂ કરી છતાં ખેડૂતો થયા નિરાશ, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-03-09 19:07:47

રાજ્યમાં ડુંગળીના ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય  ભાવ ન મળતા હોવાના સમાચાર બાદ સરકારે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ડુંગળી અને બટાકા માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. રાજય સરકારે ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ડુંગળી માટે 90 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રાજ્ય સરકાર ગઈકાલે જાહેરાત કરી હતી કે નાફેડ 9 માર્ચથી ડુંગળીની ખરીદી કરશે. 


NAFEDએ શરૂ કરી ખરીદી 


સરકારની જાહેરાતના પગલે નાફેડની ટીમ આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી અને ડુંગળીની ખરીદી શરૂ કરી હતી. નાફેડે  ધારાધોરણો આધારે રાજકોટ યાર્ડમાં ડુંગળીની ખરીદીની શરૂઆત કરી હતી. નાફેડ દ્વારા ખેડૂતોને પેમેન્ટ ઓનલાઇન ચૂકવણી કરવામાં આવશે. 


NAFED રૂ.7.92 પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદી


ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહે તે માટે નાફેડના અધિકારીઓ રાજકોટ યાર્ડમાં પહોંચી ગયા હતા. રાજકોટ યાર્ડમાં આજથી NAFED દ્વારા જે ડુંગળીની ખરીદી કરવામાં આવી રહ્યો છે તેનો ભાવ 7.92 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવ્યો છે. અગાઉ જે ડુંગળી બે રૂપિયા પ્રતિ કિલો એના ભાવે વેચાતી હતી તે ડુંગળી 7.92 પ્રતિ કિલોના ભાવે આજે નાફેડમાં વેચાઈ રહી છે.


ખેડૂતો થયા નિરાશ


રાજકોટ માર્કેટ યાર્ડમાં NAFEDએ આજે ડુંગળીની ખરીદી તો શરૂ કરી પણ તેના ધારા-ધોરણોની જાહેરાત કરી ન હતી. જેના કારણે  ડુંગળી વેચવા આવનારા ખેડૂતો નિરાશ જોવા મળ્યા હતા. નાફેડે ડુંગળીના ખેડૂતો પાસે આધાર કાર્ડ, 7-12, 8 અ, કેન્સલ ચેક, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા અને 12 નંબર વાવેતરનો દાખલો સહિતના જે કાંઈ પણ ડોક્યુમેન્ટ માંગ્યા હતા. આ ઉપરાંત સારી ક્વોલિટીની જે ડુંગળી હશે અને 45 એમએમની ડુંગળી હશે તેની જ ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવી હતી.


NAFEDનો ભાવ પણ અપૂરતો


ખેડૂતાના જણાવ્યા પ્રમાણે હાલમાં NAFED જે ભાવ આપી રહ્યું છે તેને લઈને એક પણ ખેડૂતોને પોતાના ખર્ચાના પૈસા પણ નીકળી શકે તેમ નથી. તેમજ ડુંગળીના ઓછામાં ઓછા 300થી 350 રૂપિયા ભાવ મળે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે. આ સાથે જ નાફેડ દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે. તેમાં ક્વોલિટીનો જ માલ લેવામાં આવે છે. જ્યારે અમારો રિજેક્ટ કરેલો માલ અમારે કચરામાં નાખવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.