NAFEDએ ડુંગળીની ખરીદી તો શરૂ કરી છતાં ખેડૂતો થયા નિરાશ, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-03-09 19:07:47

રાજ્યમાં ડુંગળીના ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય  ભાવ ન મળતા હોવાના સમાચાર બાદ સરકારે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ડુંગળી અને બટાકા માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. રાજય સરકારે ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ડુંગળી માટે 90 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રાજ્ય સરકાર ગઈકાલે જાહેરાત કરી હતી કે નાફેડ 9 માર્ચથી ડુંગળીની ખરીદી કરશે. 


NAFEDએ શરૂ કરી ખરીદી 


સરકારની જાહેરાતના પગલે નાફેડની ટીમ આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી અને ડુંગળીની ખરીદી શરૂ કરી હતી. નાફેડે  ધારાધોરણો આધારે રાજકોટ યાર્ડમાં ડુંગળીની ખરીદીની શરૂઆત કરી હતી. નાફેડ દ્વારા ખેડૂતોને પેમેન્ટ ઓનલાઇન ચૂકવણી કરવામાં આવશે. 


NAFED રૂ.7.92 પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદી


ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહે તે માટે નાફેડના અધિકારીઓ રાજકોટ યાર્ડમાં પહોંચી ગયા હતા. રાજકોટ યાર્ડમાં આજથી NAFED દ્વારા જે ડુંગળીની ખરીદી કરવામાં આવી રહ્યો છે તેનો ભાવ 7.92 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવ્યો છે. અગાઉ જે ડુંગળી બે રૂપિયા પ્રતિ કિલો એના ભાવે વેચાતી હતી તે ડુંગળી 7.92 પ્રતિ કિલોના ભાવે આજે નાફેડમાં વેચાઈ રહી છે.


ખેડૂતો થયા નિરાશ


રાજકોટ માર્કેટ યાર્ડમાં NAFEDએ આજે ડુંગળીની ખરીદી તો શરૂ કરી પણ તેના ધારા-ધોરણોની જાહેરાત કરી ન હતી. જેના કારણે  ડુંગળી વેચવા આવનારા ખેડૂતો નિરાશ જોવા મળ્યા હતા. નાફેડે ડુંગળીના ખેડૂતો પાસે આધાર કાર્ડ, 7-12, 8 અ, કેન્સલ ચેક, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા અને 12 નંબર વાવેતરનો દાખલો સહિતના જે કાંઈ પણ ડોક્યુમેન્ટ માંગ્યા હતા. આ ઉપરાંત સારી ક્વોલિટીની જે ડુંગળી હશે અને 45 એમએમની ડુંગળી હશે તેની જ ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવી હતી.


NAFEDનો ભાવ પણ અપૂરતો


ખેડૂતાના જણાવ્યા પ્રમાણે હાલમાં NAFED જે ભાવ આપી રહ્યું છે તેને લઈને એક પણ ખેડૂતોને પોતાના ખર્ચાના પૈસા પણ નીકળી શકે તેમ નથી. તેમજ ડુંગળીના ઓછામાં ઓછા 300થી 350 રૂપિયા ભાવ મળે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે. આ સાથે જ નાફેડ દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે. તેમાં ક્વોલિટીનો જ માલ લેવામાં આવે છે. જ્યારે અમારો રિજેક્ટ કરેલો માલ અમારે કચરામાં નાખવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.



પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાતાઓ પાસેથી પૈસાની માગણી કરી છે. વોટની સાથે નોટની અપીલ લલિત વસોયાએ કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો છે જેમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો ભાજપ પણ પોતાની વાત પર મક્કમ છે. આ બધા વચ્ચે રાજકોટમાં ભાજપના મધ્યસ્થી કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે.. તે સિવાય તાપીમાં પણ વિરોધ થયો છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો આજે અંતિમ દિવસ છે. અનેક ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવી દીધું છે જ્યારે આજે અનેક ઉમેદવારો ફોર્મ ભરવાના છે. ગાંધીનગર બઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે, નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ ફોર્મ ભરશે. પરેશ ધાનાણી પણ આજે ફોર્મ ભરવાના છે.

અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!