NAFEDએ ડુંગળીની ખરીદી તો શરૂ કરી છતાં ખેડૂતો થયા નિરાશ, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-03-09 19:07:47

રાજ્યમાં ડુંગળીના ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય  ભાવ ન મળતા હોવાના સમાચાર બાદ સરકારે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ડુંગળી અને બટાકા માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. રાજય સરકારે ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ડુંગળી માટે 90 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રાજ્ય સરકાર ગઈકાલે જાહેરાત કરી હતી કે નાફેડ 9 માર્ચથી ડુંગળીની ખરીદી કરશે. 


NAFEDએ શરૂ કરી ખરીદી 


સરકારની જાહેરાતના પગલે નાફેડની ટીમ આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી અને ડુંગળીની ખરીદી શરૂ કરી હતી. નાફેડે  ધારાધોરણો આધારે રાજકોટ યાર્ડમાં ડુંગળીની ખરીદીની શરૂઆત કરી હતી. નાફેડ દ્વારા ખેડૂતોને પેમેન્ટ ઓનલાઇન ચૂકવણી કરવામાં આવશે. 


NAFED રૂ.7.92 પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદી


ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહે તે માટે નાફેડના અધિકારીઓ રાજકોટ યાર્ડમાં પહોંચી ગયા હતા. રાજકોટ યાર્ડમાં આજથી NAFED દ્વારા જે ડુંગળીની ખરીદી કરવામાં આવી રહ્યો છે તેનો ભાવ 7.92 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવ્યો છે. અગાઉ જે ડુંગળી બે રૂપિયા પ્રતિ કિલો એના ભાવે વેચાતી હતી તે ડુંગળી 7.92 પ્રતિ કિલોના ભાવે આજે નાફેડમાં વેચાઈ રહી છે.


ખેડૂતો થયા નિરાશ


રાજકોટ માર્કેટ યાર્ડમાં NAFEDએ આજે ડુંગળીની ખરીદી તો શરૂ કરી પણ તેના ધારા-ધોરણોની જાહેરાત કરી ન હતી. જેના કારણે  ડુંગળી વેચવા આવનારા ખેડૂતો નિરાશ જોવા મળ્યા હતા. નાફેડે ડુંગળીના ખેડૂતો પાસે આધાર કાર્ડ, 7-12, 8 અ, કેન્સલ ચેક, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા અને 12 નંબર વાવેતરનો દાખલો સહિતના જે કાંઈ પણ ડોક્યુમેન્ટ માંગ્યા હતા. આ ઉપરાંત સારી ક્વોલિટીની જે ડુંગળી હશે અને 45 એમએમની ડુંગળી હશે તેની જ ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવી હતી.


NAFEDનો ભાવ પણ અપૂરતો


ખેડૂતાના જણાવ્યા પ્રમાણે હાલમાં NAFED જે ભાવ આપી રહ્યું છે તેને લઈને એક પણ ખેડૂતોને પોતાના ખર્ચાના પૈસા પણ નીકળી શકે તેમ નથી. તેમજ ડુંગળીના ઓછામાં ઓછા 300થી 350 રૂપિયા ભાવ મળે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે. આ સાથે જ નાફેડ દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે. તેમાં ક્વોલિટીનો જ માલ લેવામાં આવે છે. જ્યારે અમારો રિજેક્ટ કરેલો માલ અમારે કચરામાં નાખવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.