આ ગામ નથી! સાક્ષાત દ્વારિકા નગરી છે; 7-7 વર્ષથી પાણીમાં ડૂબેલું છે...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 20:27:28

STORY BY SAMIR PARMAR 

પ્રિય વાંચકો! અમેં તમને થોડા પ્રશ્ન પૂછવાના છીએ. તમે દિલ પર હાથ રાખીને જવાબ આપજો હોંને! તમને કેવું લાગે જો તમારે તમારું પાક્કું ઘર મૂકીને ઝૂંપડામાં રહેવું પડે? તે ઝૂંપડામાં લાઈટ ના હોય તો? રાત્રે સૂઈએ તો મચ્છરો કરડીને તમારું શરીર સોજાળી દે તો? તમારું ગામ પાણીમાં ડૂબી જાય અને તમને ભણવા ના મળે તો? તમારા ગામની હાલતના કારણે તમારા લગન ના થાય તો? તમારી પાસે ખેતીની જમીન હોય છતાં તમારે બીજાને ત્યાં મજૂરી કરીને ગુજરાત ચલાવવું પડે તો? તમને સહાય મળે પણ તેમાં ગોલમાલ થઈ જાય તો? સાત સાત વર્ષથી 3 મુખ્યમંત્રીઓ બદલે, ગાંધીનગરમાં તેમને રજૂઆત કરી તમારા ચપ્પલ ઘસાઈ જાય છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ રહે તો?


કહેવાતા વિકસિત ગુજરાતમાં એક ગામ એવું છે જેમાં આવી સમસ્યા સામે લોકો સાત-સાત વર્ષથી લડી રહ્યા છે... જ્યારે કુદરાત કોપે ત્યારે જ સરકારની જરૂર પડતી હોય છે અને જો સરકાર પણ ત્યારે કામ ના લાગે તો શું કામની હોય છે સરકાર?


2015થી ગામ પાણીમાં ડૂબેલું છે

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં એક નાગલા ગામ છે. આ ગામમાં 2015માં અતિવૃષ્ટિ થઈ હતી. આ વિસ્તારના લોકોના ભાગ્ય પણ ફૂટેલા લાગે છે કે તેમનો જન્મ એવા વિસ્તારમાં થયો જ્યાં વધારે વરસાદ થાય ત્યાર બાદ પાણી ઓસરતા નથી. અતિવૃષ્ટિના કારણે પૂર આવેલું હતું અને નાગલા ગામ પાણીમાં ડૂબી ગયું હતું. લોકોના કોસે તો પણ કોસી-કોસીને કુદરતને કેટલી કોસે? તેમનો તો પ્રદેશ જ એવો છે. અત્યારે 2022નું વર્ષ ચાલી રહ્યું છે અને આ ઘટનાને થયાના સાત વર્ષ થયા છે. આટ આટલા વર્ષો થઈ ગયા બાદ પણ આ ગામમાં પાણી ભરેલુંને ભરેલું જ છે.


અમારે તો મજૂરી સિવાય કોઈ ઉદ્ધાર નથીઃ ગ્રામજનો


આ ઘટના બન્યા બાદ લોકોએ સ્થળાંતર કર્યું હતું અને ગ્રામજનો બાજુના ટેકરાવાળા વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યા હતા. લોકો ટેકરા પર ઝુંપડા બાંધીને રહેવા મજબૂર થયા હતા અને હાલ પણ લોકો ત્યાં જ રહી રહ્યા છે. અમેં ઝુંપડા પણ જોયા. ત્યાં કોઈ મચ્છરદાની નહોતી, વીજળી નહોતી, બસ ઝુંપડું અને તેમાં ખાટલા. અમુક ઝુંપડામાં તો ખાટલા પણ નહોતા, લોકો નીચે સૂઈ રહેતા હતા અને આમ કામ ચલાવતા હતા. સાત વર્ષ બાદ પણ આ ગામમાં પહોંચવાની હિંમત માત્ર બે જ લોકોએ કરી છે અને તેઓ જ નાગલામાં રહે છે. બાકીના લોકો હજુ પણ ગામની બહાર રહેવા મજબૂર છે. નાગલા ગામના લોકોનો રોજગાર ખેતી, ખેતમજૂરી અને પશુપાલન પર છે. 


અમારા છોકરા ભણવા જાય તો જાય ક્યાં? ગ્રામજનો


ગામડામાં પૂરની પરિસ્થિતિ થતાં શાળાઓ પણ ડૂબી ગઈ હતી. જો કે આજની તારીખે પણ આ નિશાળો ડૂબેલી જ છે. છોકરાઓને ભણવા માટે દૂર બીજા ગામમાં જવું પડે છે. નાગલાના સમજેલા લોકોએ તો હાઈકોર્ટ સુધી પણ ફરિયાદ કરી દીધી છે પણ તે મામલે કોઈ સુનાવણી નથી થઈ. 2015માં આનંદીબેનની સરકારે NDRFની ટીમ મોકલી લોકોને ગામમાંથી બચાવ્યા હતા. સાત વર્ષમાં ગુજરાત રાજ્યમાં ત્રણ મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા પણ ગામની પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમના પછી વિજય રૂપાણી આવ્યા અને હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે. આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીએ આ ગામની મુલાકાત પણ લીધી હતી અને પૂનર્વસનની જગ્યા આપવાનો વાયદો કર્યો હતો. જે મામલે હજુ પણ કોઈ કામગીરી નથી થઈ. આ ગામના એક રૂપિયાવાળા ભાઈનું કહેવું છે કે, મારે તો 20-25 લાખનું મકાન છોડી તંબુમાં રહેવું પડે છે.  


એક ભાઈ પોતાની તકલીફ કહેતા રડી પડ્યા 


સ્થાનિક વ્યક્તિએ પોતાની તકલીફ કહી રડતા-રડતા જણાવ્યું હતું કે હાલ આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત છે. તેમણે પણ આ ગામની મુલાકાત લીધી છે. ગામના 500 હેક્ટર જમીનમાં તકલીફ છે. સરકારે નિકાલની કામગીરી કરી છે તેવું ગ્રામલોકોનું કહેવું છે પણ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે ટેન્ડરિંગમાં ભ્રષ્ટાચાર થતાં પરિસ્થિતિ ત્યાંને ત્યાં જ છે. થરાદ તાલુકામાં લગ્ન માટે નાગલા ગામનું નામ સંભળાય તો લોકો લગ્ન માટે પણ ના પાડી દે છે. નાગલા ગામના લોકો માટે 400 પ્લોટિંગ માટેનું પૂનર્વસન તૈયાર છે. નાગલા ગામના લોકો ઓગસ્ટમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા તેમની સાથે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા. 


આ ગામની પરિસ્થિતિ સાંભળી અમારાથી ના રહેવાયું 

થોડા સમયમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની જનતા કોને સરકાર બનાવવા જઈ રહી છે તે જાણવા અમેં ઈલેક્શન યાત્રા કરી રહ્યા છીએ. અત્યારે ઉત્તર ગુજરાતના ગામડાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા ચાલી રહી છે. જમાવટના રિપોર્ટર સદ્દામ અને કેમેરામેન બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામે પહોચ્યા હતા અને આ ગામની સમસ્યા જોઈને તેઓએ ગામના લોકોને ન્યાય અપાવવાના પ્રયાસથી રિપોર્ટિંગ કર્યું હતું.


વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.