આ ગામ નથી! સાક્ષાત દ્વારિકા નગરી છે; 7-7 વર્ષથી પાણીમાં ડૂબેલું છે...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 20:27:28

STORY BY SAMIR PARMAR 

પ્રિય વાંચકો! અમેં તમને થોડા પ્રશ્ન પૂછવાના છીએ. તમે દિલ પર હાથ રાખીને જવાબ આપજો હોંને! તમને કેવું લાગે જો તમારે તમારું પાક્કું ઘર મૂકીને ઝૂંપડામાં રહેવું પડે? તે ઝૂંપડામાં લાઈટ ના હોય તો? રાત્રે સૂઈએ તો મચ્છરો કરડીને તમારું શરીર સોજાળી દે તો? તમારું ગામ પાણીમાં ડૂબી જાય અને તમને ભણવા ના મળે તો? તમારા ગામની હાલતના કારણે તમારા લગન ના થાય તો? તમારી પાસે ખેતીની જમીન હોય છતાં તમારે બીજાને ત્યાં મજૂરી કરીને ગુજરાત ચલાવવું પડે તો? તમને સહાય મળે પણ તેમાં ગોલમાલ થઈ જાય તો? સાત સાત વર્ષથી 3 મુખ્યમંત્રીઓ બદલે, ગાંધીનગરમાં તેમને રજૂઆત કરી તમારા ચપ્પલ ઘસાઈ જાય છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ રહે તો?


કહેવાતા વિકસિત ગુજરાતમાં એક ગામ એવું છે જેમાં આવી સમસ્યા સામે લોકો સાત-સાત વર્ષથી લડી રહ્યા છે... જ્યારે કુદરાત કોપે ત્યારે જ સરકારની જરૂર પડતી હોય છે અને જો સરકાર પણ ત્યારે કામ ના લાગે તો શું કામની હોય છે સરકાર?


2015થી ગામ પાણીમાં ડૂબેલું છે

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં એક નાગલા ગામ છે. આ ગામમાં 2015માં અતિવૃષ્ટિ થઈ હતી. આ વિસ્તારના લોકોના ભાગ્ય પણ ફૂટેલા લાગે છે કે તેમનો જન્મ એવા વિસ્તારમાં થયો જ્યાં વધારે વરસાદ થાય ત્યાર બાદ પાણી ઓસરતા નથી. અતિવૃષ્ટિના કારણે પૂર આવેલું હતું અને નાગલા ગામ પાણીમાં ડૂબી ગયું હતું. લોકોના કોસે તો પણ કોસી-કોસીને કુદરતને કેટલી કોસે? તેમનો તો પ્રદેશ જ એવો છે. અત્યારે 2022નું વર્ષ ચાલી રહ્યું છે અને આ ઘટનાને થયાના સાત વર્ષ થયા છે. આટ આટલા વર્ષો થઈ ગયા બાદ પણ આ ગામમાં પાણી ભરેલુંને ભરેલું જ છે.


અમારે તો મજૂરી સિવાય કોઈ ઉદ્ધાર નથીઃ ગ્રામજનો


આ ઘટના બન્યા બાદ લોકોએ સ્થળાંતર કર્યું હતું અને ગ્રામજનો બાજુના ટેકરાવાળા વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યા હતા. લોકો ટેકરા પર ઝુંપડા બાંધીને રહેવા મજબૂર થયા હતા અને હાલ પણ લોકો ત્યાં જ રહી રહ્યા છે. અમેં ઝુંપડા પણ જોયા. ત્યાં કોઈ મચ્છરદાની નહોતી, વીજળી નહોતી, બસ ઝુંપડું અને તેમાં ખાટલા. અમુક ઝુંપડામાં તો ખાટલા પણ નહોતા, લોકો નીચે સૂઈ રહેતા હતા અને આમ કામ ચલાવતા હતા. સાત વર્ષ બાદ પણ આ ગામમાં પહોંચવાની હિંમત માત્ર બે જ લોકોએ કરી છે અને તેઓ જ નાગલામાં રહે છે. બાકીના લોકો હજુ પણ ગામની બહાર રહેવા મજબૂર છે. નાગલા ગામના લોકોનો રોજગાર ખેતી, ખેતમજૂરી અને પશુપાલન પર છે. 


અમારા છોકરા ભણવા જાય તો જાય ક્યાં? ગ્રામજનો


ગામડામાં પૂરની પરિસ્થિતિ થતાં શાળાઓ પણ ડૂબી ગઈ હતી. જો કે આજની તારીખે પણ આ નિશાળો ડૂબેલી જ છે. છોકરાઓને ભણવા માટે દૂર બીજા ગામમાં જવું પડે છે. નાગલાના સમજેલા લોકોએ તો હાઈકોર્ટ સુધી પણ ફરિયાદ કરી દીધી છે પણ તે મામલે કોઈ સુનાવણી નથી થઈ. 2015માં આનંદીબેનની સરકારે NDRFની ટીમ મોકલી લોકોને ગામમાંથી બચાવ્યા હતા. સાત વર્ષમાં ગુજરાત રાજ્યમાં ત્રણ મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા પણ ગામની પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમના પછી વિજય રૂપાણી આવ્યા અને હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે. આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીએ આ ગામની મુલાકાત પણ લીધી હતી અને પૂનર્વસનની જગ્યા આપવાનો વાયદો કર્યો હતો. જે મામલે હજુ પણ કોઈ કામગીરી નથી થઈ. આ ગામના એક રૂપિયાવાળા ભાઈનું કહેવું છે કે, મારે તો 20-25 લાખનું મકાન છોડી તંબુમાં રહેવું પડે છે.  


એક ભાઈ પોતાની તકલીફ કહેતા રડી પડ્યા 


સ્થાનિક વ્યક્તિએ પોતાની તકલીફ કહી રડતા-રડતા જણાવ્યું હતું કે હાલ આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત છે. તેમણે પણ આ ગામની મુલાકાત લીધી છે. ગામના 500 હેક્ટર જમીનમાં તકલીફ છે. સરકારે નિકાલની કામગીરી કરી છે તેવું ગ્રામલોકોનું કહેવું છે પણ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે ટેન્ડરિંગમાં ભ્રષ્ટાચાર થતાં પરિસ્થિતિ ત્યાંને ત્યાં જ છે. થરાદ તાલુકામાં લગ્ન માટે નાગલા ગામનું નામ સંભળાય તો લોકો લગ્ન માટે પણ ના પાડી દે છે. નાગલા ગામના લોકો માટે 400 પ્લોટિંગ માટેનું પૂનર્વસન તૈયાર છે. નાગલા ગામના લોકો ઓગસ્ટમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા તેમની સાથે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા. 


આ ગામની પરિસ્થિતિ સાંભળી અમારાથી ના રહેવાયું 

થોડા સમયમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની જનતા કોને સરકાર બનાવવા જઈ રહી છે તે જાણવા અમેં ઈલેક્શન યાત્રા કરી રહ્યા છીએ. અત્યારે ઉત્તર ગુજરાતના ગામડાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા ચાલી રહી છે. જમાવટના રિપોર્ટર સદ્દામ અને કેમેરામેન બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામે પહોચ્યા હતા અને આ ગામની સમસ્યા જોઈને તેઓએ ગામના લોકોને ન્યાય અપાવવાના પ્રયાસથી રિપોર્ટિંગ કર્યું હતું.


વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.