આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈ મોડાસાના નૈનિલભાઈએ સવાલ કર્યો!


  • Published By :
  • Published Date : 2024-09-12 17:10:48

મોડાસાના નૈનિલભાઈએ અનેક સવાલો કર્યા... આનો જવાબ તમારી પાસે છે? 


કેમ છો દેવાંશી બેન ? 

આશા રાખું કે આપ મજામાં હશો ! 

મારે એક વાત કરવી હતી ગુજરાત માં ચાલતા આયુષ્યમાન કાર્ડ યોજના બાબતે જેની અંદર પાંચ લાખ સુધી ની સારવાર સરકારે નક્કી કરેલી હોસ્પિટલ માં થાય છે 


આજે હું મારા દાદી ને લઇ ને ગુજરાત ની પ્રખ્યાત એવી GCS હોસ્પિટલ જે અમદાવાદમાં આવેલી છે ત્યાં ગયો હતો 

મારા દાદી ને સ્વાદુપિંડ નાં માથા નાં ભાગે એક નાની ગાંઠ છે જેના અંતર્ગત Oncology surgical વિભાગ માં બતાવવાનું હતું અને અમે ત્યાં ડો ઉર્વીશ શાહ નામ નાં ડોકટર ને મળ્યા .

ડોકટર એ એમને એમ કીધું કે ઓપરેશન કરવું પડે તેમ છે... તો અમે કહ્યું કે સારું સાહેબ અમે તૈયાર છીએ .. 

પછી મે પ્રશ્ન પૂછ્યું ડોકટર ને કે સાહેબ અહીંયા અમે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ઓપરેશન કરવા માગીએ છીએ કારણ કે અમારી નાણાકીય પરિસ્થિતિ હાલ સારી નથી ...  

ડોકટર એ જવાબ આપ્યો કે નાં ભાઈ એ યોજનામાં ઓપરેશન નઈ થાય કારણ કે એમને પોસાતું નથી  ઓપરેશન મોગુ છે ૩ થી ૪ લાખ નું છે .... 

મે પૂછ્યું કે આ યોજનામાં તો પાંચ લાખ સુધી સારવાર મફત થાય છે તો એમને વળતો જવાબ આપ્યો કે તમને પોસાય તો અહીંયા કરાવો બાકી તમે GCRI કે સિવિલ જેવી જગ્યા પર જાઓ ત્યાં તપાસ કરો 


આવો જવાબ આપી ને એમને ત્યાંથી એમને રવાના કર્યા 



હવે મારો પ્રશ્ન એ છે કે મેમ આવું જ કરવું હોય તો પછી આયુષ્યમાન કાર્ડ ની જરૂર શું ? 


મારા દાદી ન એ ગાંઠ લગભગ કેન્સર ની હોય તેવું ડોકટરો કહી ચુંક્યા છે અને મારે બાયોપ્સી માટે એ ગાંઠ કાઢવું જરૂરી છે તાત્કાલિક પણ ડોકટરો સાચે ભગવાન નાં સ્વરૂપ હોય તો આવું જવાબ કેમ દેતા હસે.. 


હું માનું છું કે ડોકટરો ને પોસાતું ની હોય એક સમય માટે .. તો પછી સરકાર કેમ આં કાર્ડ ઉપર આટલો જશ  લઈ રહી છે ? 


અને સાચે કોઈ હોસ્પિટલ આવો જવાબ આપી શકે ખરો કે એમને પોસાતું નથી તમે બીજે જાઓ ! 





મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.