આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈ મોડાસાના નૈનિલભાઈએ સવાલ કર્યો!


  • Published By :
  • Published Date : 2024-09-12 17:10:48

મોડાસાના નૈનિલભાઈએ અનેક સવાલો કર્યા... આનો જવાબ તમારી પાસે છે? 


કેમ છો દેવાંશી બેન ? 

આશા રાખું કે આપ મજામાં હશો ! 

મારે એક વાત કરવી હતી ગુજરાત માં ચાલતા આયુષ્યમાન કાર્ડ યોજના બાબતે જેની અંદર પાંચ લાખ સુધી ની સારવાર સરકારે નક્કી કરેલી હોસ્પિટલ માં થાય છે 


આજે હું મારા દાદી ને લઇ ને ગુજરાત ની પ્રખ્યાત એવી GCS હોસ્પિટલ જે અમદાવાદમાં આવેલી છે ત્યાં ગયો હતો 

મારા દાદી ને સ્વાદુપિંડ નાં માથા નાં ભાગે એક નાની ગાંઠ છે જેના અંતર્ગત Oncology surgical વિભાગ માં બતાવવાનું હતું અને અમે ત્યાં ડો ઉર્વીશ શાહ નામ નાં ડોકટર ને મળ્યા .

ડોકટર એ એમને એમ કીધું કે ઓપરેશન કરવું પડે તેમ છે... તો અમે કહ્યું કે સારું સાહેબ અમે તૈયાર છીએ .. 

પછી મે પ્રશ્ન પૂછ્યું ડોકટર ને કે સાહેબ અહીંયા અમે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ઓપરેશન કરવા માગીએ છીએ કારણ કે અમારી નાણાકીય પરિસ્થિતિ હાલ સારી નથી ...  

ડોકટર એ જવાબ આપ્યો કે નાં ભાઈ એ યોજનામાં ઓપરેશન નઈ થાય કારણ કે એમને પોસાતું નથી  ઓપરેશન મોગુ છે ૩ થી ૪ લાખ નું છે .... 

મે પૂછ્યું કે આ યોજનામાં તો પાંચ લાખ સુધી સારવાર મફત થાય છે તો એમને વળતો જવાબ આપ્યો કે તમને પોસાય તો અહીંયા કરાવો બાકી તમે GCRI કે સિવિલ જેવી જગ્યા પર જાઓ ત્યાં તપાસ કરો 


આવો જવાબ આપી ને એમને ત્યાંથી એમને રવાના કર્યા 



હવે મારો પ્રશ્ન એ છે કે મેમ આવું જ કરવું હોય તો પછી આયુષ્યમાન કાર્ડ ની જરૂર શું ? 


મારા દાદી ન એ ગાંઠ લગભગ કેન્સર ની હોય તેવું ડોકટરો કહી ચુંક્યા છે અને મારે બાયોપ્સી માટે એ ગાંઠ કાઢવું જરૂરી છે તાત્કાલિક પણ ડોકટરો સાચે ભગવાન નાં સ્વરૂપ હોય તો આવું જવાબ કેમ દેતા હસે.. 


હું માનું છું કે ડોકટરો ને પોસાતું ની હોય એક સમય માટે .. તો પછી સરકાર કેમ આં કાર્ડ ઉપર આટલો જશ  લઈ રહી છે ? 


અને સાચે કોઈ હોસ્પિટલ આવો જવાબ આપી શકે ખરો કે એમને પોસાતું નથી તમે બીજે જાઓ ! 





ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.