આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈ મોડાસાના નૈનિલભાઈએ સવાલ કર્યો!


  • Published By :
  • Published Date : 2024-09-12 17:10:48

મોડાસાના નૈનિલભાઈએ અનેક સવાલો કર્યા... આનો જવાબ તમારી પાસે છે? 


કેમ છો દેવાંશી બેન ? 

આશા રાખું કે આપ મજામાં હશો ! 

મારે એક વાત કરવી હતી ગુજરાત માં ચાલતા આયુષ્યમાન કાર્ડ યોજના બાબતે જેની અંદર પાંચ લાખ સુધી ની સારવાર સરકારે નક્કી કરેલી હોસ્પિટલ માં થાય છે 


આજે હું મારા દાદી ને લઇ ને ગુજરાત ની પ્રખ્યાત એવી GCS હોસ્પિટલ જે અમદાવાદમાં આવેલી છે ત્યાં ગયો હતો 

મારા દાદી ને સ્વાદુપિંડ નાં માથા નાં ભાગે એક નાની ગાંઠ છે જેના અંતર્ગત Oncology surgical વિભાગ માં બતાવવાનું હતું અને અમે ત્યાં ડો ઉર્વીશ શાહ નામ નાં ડોકટર ને મળ્યા .

ડોકટર એ એમને એમ કીધું કે ઓપરેશન કરવું પડે તેમ છે... તો અમે કહ્યું કે સારું સાહેબ અમે તૈયાર છીએ .. 

પછી મે પ્રશ્ન પૂછ્યું ડોકટર ને કે સાહેબ અહીંયા અમે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ઓપરેશન કરવા માગીએ છીએ કારણ કે અમારી નાણાકીય પરિસ્થિતિ હાલ સારી નથી ...  

ડોકટર એ જવાબ આપ્યો કે નાં ભાઈ એ યોજનામાં ઓપરેશન નઈ થાય કારણ કે એમને પોસાતું નથી  ઓપરેશન મોગુ છે ૩ થી ૪ લાખ નું છે .... 

મે પૂછ્યું કે આ યોજનામાં તો પાંચ લાખ સુધી સારવાર મફત થાય છે તો એમને વળતો જવાબ આપ્યો કે તમને પોસાય તો અહીંયા કરાવો બાકી તમે GCRI કે સિવિલ જેવી જગ્યા પર જાઓ ત્યાં તપાસ કરો 


આવો જવાબ આપી ને એમને ત્યાંથી એમને રવાના કર્યા 



હવે મારો પ્રશ્ન એ છે કે મેમ આવું જ કરવું હોય તો પછી આયુષ્યમાન કાર્ડ ની જરૂર શું ? 


મારા દાદી ન એ ગાંઠ લગભગ કેન્સર ની હોય તેવું ડોકટરો કહી ચુંક્યા છે અને મારે બાયોપ્સી માટે એ ગાંઠ કાઢવું જરૂરી છે તાત્કાલિક પણ ડોકટરો સાચે ભગવાન નાં સ્વરૂપ હોય તો આવું જવાબ કેમ દેતા હસે.. 


હું માનું છું કે ડોકટરો ને પોસાતું ની હોય એક સમય માટે .. તો પછી સરકાર કેમ આં કાર્ડ ઉપર આટલો જશ  લઈ રહી છે ? 


અને સાચે કોઈ હોસ્પિટલ આવો જવાબ આપી શકે ખરો કે એમને પોસાતું નથી તમે બીજે જાઓ ! 





દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.