નામીબિયાના ચિત્તા 'શૌર્ય'નું કુનો નેશનલ પાર્કમાં થયું મોત, પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે


  • Published By :
  • Published Date : 2024-01-16 21:47:28

મધ્યપ્રદેશના શ્યોપુરમાં સ્થિત દેશના એકમાત્ર ચિત્તા સફારી તરીકે જાણીતા કુનો નેશનલ પાર્કમાંથી ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. નામીબિયાથી લાવવામાં આવેલ ચિત્તા 'શૌર્ય'નું મૃત્યુ થયું છે. મોનિટરિંગ ટીમને ચિત્તો ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો, જેની સારવાર કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મુખ્ય વન સંરક્ષક લાયન પ્રોજેક્ટ દ્વારા સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર પાડીને આ માહિતી આપવામાં આવી હતી.


3 વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન મોત થયું  


મળતી માહિતી મુજબ નામીબિયાથી લાવવામાં આવેલા ચિતા શૌર્યને એક મોટા વાડામાં રાખવામાં આવ્યો હતો. મોનિટરિંગ ટીમે મંગળવારે સવારે 11 વાગ્યે તેને બેભાન અવસ્થામાં જોયો હતો. તેને તરત જ નિરીક્ષણ હેઠળ લઈ જવામાં આવ્યો અને CPR આપવામાં આવ્યો હતો. આ પછી થોડી ક્ષણો માટે તેને હોશ આવ્યો, પરંતુ તેની સ્થિતિમાં સુધારો થઈ શક્યો નહીં. સારવાર દરમિયાન 3 વાગ્યાના સુમારે તેમનું મોત નીપજ્યું હતું. આ પછી કુનો મેનેજમેન્ટે ભોપાલ અને દિલ્હીના સિનિયર અધિકારીઓને આની જાણ કરી હતી. તે જ સમયે, પીસીસીએફ અસીમ શ્રીવાસ્તવે ફોન પર માહિતી આપી કે શૌર્ય નામના ચિતાનું મૃત્યુ થયું છે. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે.


કુનોમાં 13 પુખ્ત ચિત્તા અને 4 બચ્ચા રહ્યા


ઉલ્લેખનિય છે કે, નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનોમાં આવેલા કુલ 20 દીપડાઓમાંથી અત્યાર સુધીમાં 10 દીપડાના મોત થયા છે. જેમાં માદા ચિતા જ્વાલાના ત્રણ બચ્ચાનો પણ સમાવેશ થાય છે. હાલમાં, કુનોમાં માત્ર 13 પુખ્ત ચિત્તો અને 4 બચ્ચા જ બચ્યાં છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે