નામીબિયાના ચિત્તા 'શૌર્ય'નું કુનો નેશનલ પાર્કમાં થયું મોત, પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે


  • Published By :
  • Published Date : 2024-01-16 21:47:28

મધ્યપ્રદેશના શ્યોપુરમાં સ્થિત દેશના એકમાત્ર ચિત્તા સફારી તરીકે જાણીતા કુનો નેશનલ પાર્કમાંથી ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. નામીબિયાથી લાવવામાં આવેલ ચિત્તા 'શૌર્ય'નું મૃત્યુ થયું છે. મોનિટરિંગ ટીમને ચિત્તો ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો, જેની સારવાર કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મુખ્ય વન સંરક્ષક લાયન પ્રોજેક્ટ દ્વારા સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર પાડીને આ માહિતી આપવામાં આવી હતી.


3 વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન મોત થયું  


મળતી માહિતી મુજબ નામીબિયાથી લાવવામાં આવેલા ચિતા શૌર્યને એક મોટા વાડામાં રાખવામાં આવ્યો હતો. મોનિટરિંગ ટીમે મંગળવારે સવારે 11 વાગ્યે તેને બેભાન અવસ્થામાં જોયો હતો. તેને તરત જ નિરીક્ષણ હેઠળ લઈ જવામાં આવ્યો અને CPR આપવામાં આવ્યો હતો. આ પછી થોડી ક્ષણો માટે તેને હોશ આવ્યો, પરંતુ તેની સ્થિતિમાં સુધારો થઈ શક્યો નહીં. સારવાર દરમિયાન 3 વાગ્યાના સુમારે તેમનું મોત નીપજ્યું હતું. આ પછી કુનો મેનેજમેન્ટે ભોપાલ અને દિલ્હીના સિનિયર અધિકારીઓને આની જાણ કરી હતી. તે જ સમયે, પીસીસીએફ અસીમ શ્રીવાસ્તવે ફોન પર માહિતી આપી કે શૌર્ય નામના ચિતાનું મૃત્યુ થયું છે. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે.


કુનોમાં 13 પુખ્ત ચિત્તા અને 4 બચ્ચા રહ્યા


ઉલ્લેખનિય છે કે, નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનોમાં આવેલા કુલ 20 દીપડાઓમાંથી અત્યાર સુધીમાં 10 દીપડાના મોત થયા છે. જેમાં માદા ચિતા જ્વાલાના ત્રણ બચ્ચાનો પણ સમાવેશ થાય છે. હાલમાં, કુનોમાં માત્ર 13 પુખ્ત ચિત્તો અને 4 બચ્ચા જ બચ્યાં છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.