નામીબિયાના ચિત્તા 'શૌર્ય'નું કુનો નેશનલ પાર્કમાં થયું મોત, પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે


  • Published By :
  • Published Date : 2024-01-16 21:47:28

મધ્યપ્રદેશના શ્યોપુરમાં સ્થિત દેશના એકમાત્ર ચિત્તા સફારી તરીકે જાણીતા કુનો નેશનલ પાર્કમાંથી ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. નામીબિયાથી લાવવામાં આવેલ ચિત્તા 'શૌર્ય'નું મૃત્યુ થયું છે. મોનિટરિંગ ટીમને ચિત્તો ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો, જેની સારવાર કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મુખ્ય વન સંરક્ષક લાયન પ્રોજેક્ટ દ્વારા સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર પાડીને આ માહિતી આપવામાં આવી હતી.


3 વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન મોત થયું  


મળતી માહિતી મુજબ નામીબિયાથી લાવવામાં આવેલા ચિતા શૌર્યને એક મોટા વાડામાં રાખવામાં આવ્યો હતો. મોનિટરિંગ ટીમે મંગળવારે સવારે 11 વાગ્યે તેને બેભાન અવસ્થામાં જોયો હતો. તેને તરત જ નિરીક્ષણ હેઠળ લઈ જવામાં આવ્યો અને CPR આપવામાં આવ્યો હતો. આ પછી થોડી ક્ષણો માટે તેને હોશ આવ્યો, પરંતુ તેની સ્થિતિમાં સુધારો થઈ શક્યો નહીં. સારવાર દરમિયાન 3 વાગ્યાના સુમારે તેમનું મોત નીપજ્યું હતું. આ પછી કુનો મેનેજમેન્ટે ભોપાલ અને દિલ્હીના સિનિયર અધિકારીઓને આની જાણ કરી હતી. તે જ સમયે, પીસીસીએફ અસીમ શ્રીવાસ્તવે ફોન પર માહિતી આપી કે શૌર્ય નામના ચિતાનું મૃત્યુ થયું છે. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે.


કુનોમાં 13 પુખ્ત ચિત્તા અને 4 બચ્ચા રહ્યા


ઉલ્લેખનિય છે કે, નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનોમાં આવેલા કુલ 20 દીપડાઓમાંથી અત્યાર સુધીમાં 10 દીપડાના મોત થયા છે. જેમાં માદા ચિતા જ્વાલાના ત્રણ બચ્ચાનો પણ સમાવેશ થાય છે. હાલમાં, કુનોમાં માત્ર 13 પુખ્ત ચિત્તો અને 4 બચ્ચા જ બચ્યાં છે.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.