નામીબિયાના ચિત્તા 'શૌર્ય'નું કુનો નેશનલ પાર્કમાં થયું મોત, પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે


  • Published By :
  • Published Date : 2024-01-16 21:47:28

મધ્યપ્રદેશના શ્યોપુરમાં સ્થિત દેશના એકમાત્ર ચિત્તા સફારી તરીકે જાણીતા કુનો નેશનલ પાર્કમાંથી ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. નામીબિયાથી લાવવામાં આવેલ ચિત્તા 'શૌર્ય'નું મૃત્યુ થયું છે. મોનિટરિંગ ટીમને ચિત્તો ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો, જેની સારવાર કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મુખ્ય વન સંરક્ષક લાયન પ્રોજેક્ટ દ્વારા સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર પાડીને આ માહિતી આપવામાં આવી હતી.


3 વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન મોત થયું  


મળતી માહિતી મુજબ નામીબિયાથી લાવવામાં આવેલા ચિતા શૌર્યને એક મોટા વાડામાં રાખવામાં આવ્યો હતો. મોનિટરિંગ ટીમે મંગળવારે સવારે 11 વાગ્યે તેને બેભાન અવસ્થામાં જોયો હતો. તેને તરત જ નિરીક્ષણ હેઠળ લઈ જવામાં આવ્યો અને CPR આપવામાં આવ્યો હતો. આ પછી થોડી ક્ષણો માટે તેને હોશ આવ્યો, પરંતુ તેની સ્થિતિમાં સુધારો થઈ શક્યો નહીં. સારવાર દરમિયાન 3 વાગ્યાના સુમારે તેમનું મોત નીપજ્યું હતું. આ પછી કુનો મેનેજમેન્ટે ભોપાલ અને દિલ્હીના સિનિયર અધિકારીઓને આની જાણ કરી હતી. તે જ સમયે, પીસીસીએફ અસીમ શ્રીવાસ્તવે ફોન પર માહિતી આપી કે શૌર્ય નામના ચિતાનું મૃત્યુ થયું છે. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે.


કુનોમાં 13 પુખ્ત ચિત્તા અને 4 બચ્ચા રહ્યા


ઉલ્લેખનિય છે કે, નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનોમાં આવેલા કુલ 20 દીપડાઓમાંથી અત્યાર સુધીમાં 10 દીપડાના મોત થયા છે. જેમાં માદા ચિતા જ્વાલાના ત્રણ બચ્ચાનો પણ સમાવેશ થાય છે. હાલમાં, કુનોમાં માત્ર 13 પુખ્ત ચિત્તો અને 4 બચ્ચા જ બચ્યાં છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે