મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24ના મોત, મૃતકોમાં 12 નવજાત શિશુ, 70ની હાલત ગંભીર, આરોગ્ય તંત્ર પર ઉઠ્યા સવાલો


  • Published By :
  • Published Date : 2023-10-02 22:59:04

મહારાષ્ટ્રના નાંદેડમાં આરોગ્ય વિભાગની બેદરકારીનો એક મોટો મામલો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીંની સરકારી હોસ્પિટલમાં 12 શિશુઓ સહિત ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. સોમવારે, વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) એ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોમાંથી ઓછામાં ઓછા 12 બાળકો છે, કેટલાક મૃતકોમાં માત્ર 2 થી 4 દિવસના શીશુઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે બાકીના પુખ્ત વયના છે.


દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા 


નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ એસઆર વાકોડેએ જણાવ્યું છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ દર્દીઓ છે. તેમણે કહ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના દર્દીઓ એવા હતા જેમને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા. જો કે, બાકીના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દવાઓ એક જાણીતી ફાર્મા કંપની પાસેથી ખરીદવાની હતી, પરંતુ કેટલાક કારણોસર દવાઓ ખરીદી શકાઈ નથી.


નર્સિંગ અને મેડિકલ સ્ટાફની અછત


ભૂતપૂર્વ સીએમ અને નાંદેડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે આ મૃત્યુ સિવાય, જિલ્લાની અન્ય ખાનગી હોસ્પિટલોમાંથી રેફર કરાયેલા અન્ય 70 દર્દીઓની હાલત ચિંતાજનક' હોવાનું જાણવા મળે છે. ચવ્હાણે કહ્યું કે મેં હોસ્પિટલના ડીન સાથે વાત કરી, તેમણે કહ્યું કે નર્સિંગ અને મેડિકલ સ્ટાફની અછત છે. કેટલાક ઈક્વિપમેન્ટ કામ કરતા નથી અને કેટલાક વિભાગો વિવિધ કારણોસર કાર્યરત નથી. આ બહુ ગંભીર મુદ્દો છે. શિવસેના (UBT) ના ઉપનેતા સુષ્મા અંધારેએ સરકાર પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને ઓગસ્ટના મધ્યમાં થાણેની છત્રપતિ શિવાજી મહારાજ સરકારી હોસ્પિટલમાં 18 દર્દીઓના સમાન મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.