ભાજપમાં ચાલતા ભરતી મેળાથી Naran Kachhadia નારાજ? બોલ્યા કે કૉંગ્રેસમાંથી આવેલા કાર્યકરોના કારણે ભાજપના આ હાલ.. સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-05-10 13:56:47

ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમ સીમા પર છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નારાજ હોય તેવું દેખાઈ આવે છે.. ચૂંટણી પુરી થઈ, પરિણામો આવવાના બાકી છે, ભાજપને 25 જીતવાનો ભરોસો છે તો કૉંગ્રેસને 2009ની જેમ 7-8 લોકસભા સીટો જીતવાનો ચાન્સ લાગે છે, પણ ચૂંટણી પુરી થતાની સાથે જ ભાજપમાં જબરદસ્ત ભડકો જોવા મળી રહ્યો છે. 

ભાજપમાં થતા ડખા બતાવે છે કે કશું જ સામાન્ય નથી..!

સામાન્ય રીતે કૉંગ્રેસમાં કકળાટ, કચવાટ, ઝઘડા આ બધુ જોવા મળતું પણ સતત છેલ્લા થોડા મહિનાથી ભાજપમાંથી સામે આવી રહેલા ઝઘડા બતાવે છે કે કશું જ સામાન્ય નથી. આમ અમરેલીના પણ સહકાર ક્ષેત્રમાં દેશના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીના સી.આર.પાટીલ પર પ્રહાર પછી હવે અમરેલીના જ પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ કૉંગ્રેસમાંથી કરાયેલા ભરતીમેળા પર પ્રહાર કર્યા છે. 



નારણ કાછડિયાએ ભરતી મેળા પર કર્યા પ્રહાર! 

તેમનું એક નિવદેન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે એમની જગ્યાએ સવારે કોઈપણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે અને બપોર પછી તેમને પદ આપે અને બીજા દિવસે ટિકિટ આપવામાં આવે છે તે બિલકુલ યોગ્ય નથી. 


સી.આર.પાટીલ પર કરાઈ રહ્યા છે પ્રહાર? 

એ હકિકત છે કે ભાજપે કૉંગ્રેસ મુક્ત કરવાના નામ પર એટલા બધા કાર્યકર્તાઓને ભાજપમાં ભર્યા કે ભાજપ આખી હવે જાણે કૉંગ્રેસના દમ પર ટકેલી છે, જે કાર્યકર્તાઓએ નીચે કૉંગ્રેસની વિચારધારા સામે બાંયો ચડાવી હોય એ લોકોએ પણ કૉંગ્રેસના કાર્યકરોને આવકારવા પડ્યા છે, એવા સંજોગોમાં સામે આવેલુ આ ચિત્ર બતાવે છે કે ભાજપમાં કશું જ સમુસુતરુ નથી ચાલી રહ્યું. ખાસ તો સૌરાષ્ટ્રના નેતાઓ આડકતરી રીતે સી.આર.પાટીલને નિશાન બનાવી રહ્યા છે. ભાજપનું આ આંતરીક યુદ્ધ કૉંગ્રેસને કેટલો ફાયદો કરાવે છે એ જોવું રહ્યું.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .