ભાજપમાં ચાલતા ભરતી મેળાથી Naran Kachhadia નારાજ? બોલ્યા કે કૉંગ્રેસમાંથી આવેલા કાર્યકરોના કારણે ભાજપના આ હાલ.. સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-05-10 13:56:47

ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમ સીમા પર છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નારાજ હોય તેવું દેખાઈ આવે છે.. ચૂંટણી પુરી થઈ, પરિણામો આવવાના બાકી છે, ભાજપને 25 જીતવાનો ભરોસો છે તો કૉંગ્રેસને 2009ની જેમ 7-8 લોકસભા સીટો જીતવાનો ચાન્સ લાગે છે, પણ ચૂંટણી પુરી થતાની સાથે જ ભાજપમાં જબરદસ્ત ભડકો જોવા મળી રહ્યો છે. 

ભાજપમાં થતા ડખા બતાવે છે કે કશું જ સામાન્ય નથી..!

સામાન્ય રીતે કૉંગ્રેસમાં કકળાટ, કચવાટ, ઝઘડા આ બધુ જોવા મળતું પણ સતત છેલ્લા થોડા મહિનાથી ભાજપમાંથી સામે આવી રહેલા ઝઘડા બતાવે છે કે કશું જ સામાન્ય નથી. આમ અમરેલીના પણ સહકાર ક્ષેત્રમાં દેશના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીના સી.આર.પાટીલ પર પ્રહાર પછી હવે અમરેલીના જ પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ કૉંગ્રેસમાંથી કરાયેલા ભરતીમેળા પર પ્રહાર કર્યા છે. 



નારણ કાછડિયાએ ભરતી મેળા પર કર્યા પ્રહાર! 

તેમનું એક નિવદેન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે એમની જગ્યાએ સવારે કોઈપણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે અને બપોર પછી તેમને પદ આપે અને બીજા દિવસે ટિકિટ આપવામાં આવે છે તે બિલકુલ યોગ્ય નથી. 


સી.આર.પાટીલ પર કરાઈ રહ્યા છે પ્રહાર? 

એ હકિકત છે કે ભાજપે કૉંગ્રેસ મુક્ત કરવાના નામ પર એટલા બધા કાર્યકર્તાઓને ભાજપમાં ભર્યા કે ભાજપ આખી હવે જાણે કૉંગ્રેસના દમ પર ટકેલી છે, જે કાર્યકર્તાઓએ નીચે કૉંગ્રેસની વિચારધારા સામે બાંયો ચડાવી હોય એ લોકોએ પણ કૉંગ્રેસના કાર્યકરોને આવકારવા પડ્યા છે, એવા સંજોગોમાં સામે આવેલુ આ ચિત્ર બતાવે છે કે ભાજપમાં કશું જ સમુસુતરુ નથી ચાલી રહ્યું. ખાસ તો સૌરાષ્ટ્રના નેતાઓ આડકતરી રીતે સી.આર.પાટીલને નિશાન બનાવી રહ્યા છે. ભાજપનું આ આંતરીક યુદ્ધ કૉંગ્રેસને કેટલો ફાયદો કરાવે છે એ જોવું રહ્યું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે