ભાજપમાં ચાલતા ભરતી મેળાથી Naran Kachhadia નારાજ? બોલ્યા કે કૉંગ્રેસમાંથી આવેલા કાર્યકરોના કારણે ભાજપના આ હાલ.. સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-05-10 13:56:47

ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમ સીમા પર છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નારાજ હોય તેવું દેખાઈ આવે છે.. ચૂંટણી પુરી થઈ, પરિણામો આવવાના બાકી છે, ભાજપને 25 જીતવાનો ભરોસો છે તો કૉંગ્રેસને 2009ની જેમ 7-8 લોકસભા સીટો જીતવાનો ચાન્સ લાગે છે, પણ ચૂંટણી પુરી થતાની સાથે જ ભાજપમાં જબરદસ્ત ભડકો જોવા મળી રહ્યો છે. 

ભાજપમાં થતા ડખા બતાવે છે કે કશું જ સામાન્ય નથી..!

સામાન્ય રીતે કૉંગ્રેસમાં કકળાટ, કચવાટ, ઝઘડા આ બધુ જોવા મળતું પણ સતત છેલ્લા થોડા મહિનાથી ભાજપમાંથી સામે આવી રહેલા ઝઘડા બતાવે છે કે કશું જ સામાન્ય નથી. આમ અમરેલીના પણ સહકાર ક્ષેત્રમાં દેશના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીના સી.આર.પાટીલ પર પ્રહાર પછી હવે અમરેલીના જ પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ કૉંગ્રેસમાંથી કરાયેલા ભરતીમેળા પર પ્રહાર કર્યા છે. 



નારણ કાછડિયાએ ભરતી મેળા પર કર્યા પ્રહાર! 

તેમનું એક નિવદેન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે એમની જગ્યાએ સવારે કોઈપણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે અને બપોર પછી તેમને પદ આપે અને બીજા દિવસે ટિકિટ આપવામાં આવે છે તે બિલકુલ યોગ્ય નથી. 


સી.આર.પાટીલ પર કરાઈ રહ્યા છે પ્રહાર? 

એ હકિકત છે કે ભાજપે કૉંગ્રેસ મુક્ત કરવાના નામ પર એટલા બધા કાર્યકર્તાઓને ભાજપમાં ભર્યા કે ભાજપ આખી હવે જાણે કૉંગ્રેસના દમ પર ટકેલી છે, જે કાર્યકર્તાઓએ નીચે કૉંગ્રેસની વિચારધારા સામે બાંયો ચડાવી હોય એ લોકોએ પણ કૉંગ્રેસના કાર્યકરોને આવકારવા પડ્યા છે, એવા સંજોગોમાં સામે આવેલુ આ ચિત્ર બતાવે છે કે ભાજપમાં કશું જ સમુસુતરુ નથી ચાલી રહ્યું. ખાસ તો સૌરાષ્ટ્રના નેતાઓ આડકતરી રીતે સી.આર.પાટીલને નિશાન બનાવી રહ્યા છે. ભાજપનું આ આંતરીક યુદ્ધ કૉંગ્રેસને કેટલો ફાયદો કરાવે છે એ જોવું રહ્યું.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.