મરણોત્તર Bharat Ratnaથી સન્માનિત કરાયા નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, કર્પૂરી ઠાકુર, ડો. સ્વામિનાથનને.. લાલ કૃષ્ણને આવતી કાલે કરાશે સન્માનિત


  • Published By :
  • Published Date : 2024-03-30 13:22:45

પાંચ મહાનવિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જે પાંચ વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરાયા છે તેમાં પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથ તેમજ લાલ કૃષ્ણ અડવાણી છે. લાલ કૃષ્ણ અડવાણી સિવાયના મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે લાલ કૃષ્ણ અડવાણીને આવતી કાલે ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે... 

લાલ કૃષ્ણ અડવાણીને આવતી કાલે કરાશે ભારત રત્નથી સન્માનિત 

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચાર મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને કરવામાં આવ્યા છે જ્યારે લાલ કૃષ્ણ અડવાણીને આવતી કાલે સન્માનિત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે જ સન્માનિત કરવામાં આવવાના હતા પરંતુ તે હાજર ના રહ્યા હતા. આવતી કાલે રાષ્ટ્રપતિ તેમના ઘરે જઈને ભારત રત્નથી સન્માનિત કરશે.. ચારેય મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો છે. 


આ વર્ષે પાંચ મહાનુભાવોના નામની કરાઈ જાહેરાત 

મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે પાંચ મહાનુભાવોને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 2020થી 2023 સુધી કોઈને ભારત રત્ન આપવામાં ન આવ્યો હતો.2014માં સત્તા સંભાળ્યા બાદ મોદીના કાર્યકાળ દરમિયાન મદન મોહન માલવિયા, અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન મળ્યું છે. 2024ની 5 હસ્તીઓ સહિત, અત્યાર સુધી આ સન્માન મેળવનાર લોકોની સંખ્યા 53 હશે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.