મરણોત્તર Bharat Ratnaથી સન્માનિત કરાયા નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, કર્પૂરી ઠાકુર, ડો. સ્વામિનાથનને.. લાલ કૃષ્ણને આવતી કાલે કરાશે સન્માનિત


  • Published By :
  • Published Date : 2024-03-30 13:22:45

પાંચ મહાનવિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જે પાંચ વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરાયા છે તેમાં પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથ તેમજ લાલ કૃષ્ણ અડવાણી છે. લાલ કૃષ્ણ અડવાણી સિવાયના મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે લાલ કૃષ્ણ અડવાણીને આવતી કાલે ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે... 

લાલ કૃષ્ણ અડવાણીને આવતી કાલે કરાશે ભારત રત્નથી સન્માનિત 

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચાર મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને કરવામાં આવ્યા છે જ્યારે લાલ કૃષ્ણ અડવાણીને આવતી કાલે સન્માનિત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે જ સન્માનિત કરવામાં આવવાના હતા પરંતુ તે હાજર ના રહ્યા હતા. આવતી કાલે રાષ્ટ્રપતિ તેમના ઘરે જઈને ભારત રત્નથી સન્માનિત કરશે.. ચારેય મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો છે. 


આ વર્ષે પાંચ મહાનુભાવોના નામની કરાઈ જાહેરાત 

મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે પાંચ મહાનુભાવોને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 2020થી 2023 સુધી કોઈને ભારત રત્ન આપવામાં ન આવ્યો હતો.2014માં સત્તા સંભાળ્યા બાદ મોદીના કાર્યકાળ દરમિયાન મદન મોહન માલવિયા, અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન મળ્યું છે. 2024ની 5 હસ્તીઓ સહિત, અત્યાર સુધી આ સન્માન મેળવનાર લોકોની સંખ્યા 53 હશે. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.