મરણોત્તર Bharat Ratnaથી સન્માનિત કરાયા નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, કર્પૂરી ઠાકુર, ડો. સ્વામિનાથનને.. લાલ કૃષ્ણને આવતી કાલે કરાશે સન્માનિત


  • Published By :
  • Published Date : 2024-03-30 13:22:45

પાંચ મહાનવિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જે પાંચ વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરાયા છે તેમાં પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથ તેમજ લાલ કૃષ્ણ અડવાણી છે. લાલ કૃષ્ણ અડવાણી સિવાયના મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે લાલ કૃષ્ણ અડવાણીને આવતી કાલે ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે... 

લાલ કૃષ્ણ અડવાણીને આવતી કાલે કરાશે ભારત રત્નથી સન્માનિત 

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચાર મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને કરવામાં આવ્યા છે જ્યારે લાલ કૃષ્ણ અડવાણીને આવતી કાલે સન્માનિત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે જ સન્માનિત કરવામાં આવવાના હતા પરંતુ તે હાજર ના રહ્યા હતા. આવતી કાલે રાષ્ટ્રપતિ તેમના ઘરે જઈને ભારત રત્નથી સન્માનિત કરશે.. ચારેય મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો છે. 


આ વર્ષે પાંચ મહાનુભાવોના નામની કરાઈ જાહેરાત 

મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે પાંચ મહાનુભાવોને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 2020થી 2023 સુધી કોઈને ભારત રત્ન આપવામાં ન આવ્યો હતો.2014માં સત્તા સંભાળ્યા બાદ મોદીના કાર્યકાળ દરમિયાન મદન મોહન માલવિયા, અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન મળ્યું છે. 2024ની 5 હસ્તીઓ સહિત, અત્યાર સુધી આ સન્માન મેળવનાર લોકોની સંખ્યા 53 હશે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.