ટિકિટ વિશે નરેન્દ્ર ભાઈ અને અમિતભાઈ નિર્ણય લેશેઃ સીઆર પાટીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 10:10:44

ભાવનગરના વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિત 20 હજાર જેટલા કાર્યકર્તાઓ જોડાયા હતા. ભાવનગરમાં સીઆર પાટીલે મહત્વની જાહેરાત કરી હતી કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જાહેર કરશે. જાહેર છે કે આમ આદમી પાર્ટીના વિધાનસભાના ચહેરાના નામ જાહેર થઈ ગયા છે જ્યારે કોંગ્રેસ ઘરે-ઘરે જઈ મતદારોને મનાવી રહી છે. કોંગ્રેસ પણ ટૂંક સયમાં પોતાના ચહેરા સામે રાખી શકે છે. 


સીઆર પાટીલે ટિકિટ મામલે શું નિવેદન આપ્યું?

ભાજપના પ્રદેશ પ્રમુખે ભલે રેલીમાં આ નિવેદન આપ્યું પરંતુ તેનો ઈશારો ભાજપના મહત્વકાંક્ષી નેતાને હતો. સીઆર પાટીલે મંચ પર ભાષણ આપતા જણાવ્યું હતું કે, "ચૂંટણી અગાઉ વિધાનસભાની બેઠકો માટે કયા નેતાને ટિકિટ મળશે તે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ નક્કી કરશે. કોઈ પણ કાર્યકર્તાઓની લાગણી ના દુભાય અને મતભેદ ના થાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ તમામ કાર્યકર્તાને સારી રીતે ઓળખે છે. છતાં પણ કોઈની લાગણી દુભાતી હોય તો મને કહેજો હું ઉપર સુધી વાત પહોંચાડીશ."


ભારતીય જનતા પાર્ટીની ભાવનગરની વન ડે વન ડિસ્ટ્રીક્ટ રેલીમાં 20 હજાર જેટલા ભાજપના નેતા જોડાયા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સિવાય ભારતીબેન શિયાળ, જિતુ વાઘાણી, આરસી મકવાણા અને સામાજિક અને ન્યાય વિભાગના મંત્રી આત્મારામ પરમાર સહિતના અનેક નેતાઓ જોડાયા હતા. 


સીઆર પાટીલ કેજરીવાલ વિશે રેલીમાં શું બોલ્યા?

સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતનો હાથ હંમેશા મફતનું આપવા માટે લંબાવાયો છે, ગુજરાતે ક્યારેય મફતનું લેવા માટે હાથ નથી લંબાવ્યો. કેજરીવાલની 10 લાખની નોકરીની જાહેરાત હવામાં વાતો છે. ગુજરાત સરકારમાં કુલ સાડા પાંચ લાખ સરકારી કર્મચારી છે ને કેજરીવાલ 10 લાખની નોકરીની વાતો કરે છે. 


ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે રાજકીય પક્ષોની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાંચ જેટલા પક્ષો ચૂંટણી લડવા માટે નિકળશે. પરંતુ મુખ્ય રીતે જોઈએ તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામવાનો છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને કોંગ્રેસના વરિષ્ઠ નિરીક્ષક અશોક ગેહલોત પણ આજે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે 2 સપ્ટેમ્બરથી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની મુલાકાત લીધી હતી અને દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર અને સુરત જેવા સ્થળોની મુલાકાત લીધી હતી.     

 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .