PM મોદીનો ભાવનગરમાં ભવ્ય રોડ શો, ભાષણમાં શહેર સાથેની જુની યાદો વાગોળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 18:20:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી અભિયાન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જેમાં સુરત બાદ આજે બપોરે તેઓ ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વધુ એક રોડ શો કર્યો હતો. આ બાદ તેમણે 5200 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા અને બાદમાં જનસભાને સંબોધી હતી.


મોદીએ ભાવનગરના લોકોની ક્ષમા માંગી 


ભાવનગરમાં રેલીને સંબોધતા પહેલા પીએમ મોદીએ ભાવનગરના લોકોની ક્ષમા માગી હતી. તેમણે કહ્યું કે હું ભૂતકાળમાં ક્યારેય આટલા બધો મોડો ભાવનગર આવ્યો નથી. લાંબા સમય પછી ભાવનગર આવ્યો હોય એવી આ પહેલી ઘટના છે. ભાવગર આવી ન શક્યો એટલા માટે હું ક્ષમા માગું છું. છતાંય આજે તમે જે આશીર્વાદ વરસાવ્યો છે. પ્રેમ વરસાવ્યો છે તેને હું ક્યારેય નહીં ભૂલી શકું. આજે મારી ભાવનગરની મુલાકાત વિશેષ છે. ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસ કર્યો. સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની રહ્યું છે.


ભાવનગરમાં મોદીએ ભાવનગરી ગાંઠીયા યાદ કર્યા         


નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં ભાવનગરમાં ભાવનગરી ગાંઠિયાને યાદ કર્યા હતા. તમે ભાવનગર આવો અને નરસિંહ બાવાના ગાંઠિયા, દાસના પેંડાના યાદ અને જ્યારે ગાઠિયા યાદ કરું તો મને મારા હરિસિંહ દાદા યાદ આવે. વર્ષો પહેલા હું નાનો કાર્યકર્તા તરીકે મને ગાઠીયા ખાવાનું કોઈએ શીખવાડ્યું હોય તો એ હરીસિંહ દાદાએ શીખવાડ્યું. જ્યારે અમદાવાદ આવે ત્યારે ગાઠીયા લેતા આવે અમે સંઘ કાર્યાલયમાં રહીએ અને અમારી ચિંતા કરે. આજે ભાવનગર આવું, હમણા તો નવરાત્રીનું વ્રત ચાલે એટલે બધુ નકામું. છતાં ભાવનગરના ગાઠીયા દેશ અને દુનિયામાં વખણાય એ મોટી વાત છે.


કોણ હતા હરીસિંહ દાદા?


પ્રધાનમંત્રી મોદીએ ભાવનગરમાં  જનસભાને સંબોધી તે દરમિયાન તેમણે હરિસિંહ દાદા યાદ કર્યા હતા. હવે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આ હરિસિંહ દાદા કોણ હતા? હરિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ જનસંઘના પ્રમુખ હતા, તેઓ રાજકોટના મેયર પણ રહી ચુક્યા છે. તેઓ ગઢુલા ગામના વતની હતા. તે સમયના જનસંઘના કાર્યકરોમાં હરીસિંહ દાદાના હુલામણા નામે ઓળખાતા હતા. તેઓ જનસંઘના કામ માટે અમદાવાદમાં મણિનગર સ્થિત હેડગેવાર ભવન આવતા ત્યારે મોદી સહિતના જનસંઘના કાર્યકરો માટે અચૂકપણે નરસિંહ બાવાના ગાંઠિયા લાવતા. મોદી અને તે સમયના કાર્યકરો સાથે બેસીને હરિસિંહ દાદા ભાવનગરી ગાંઠિયાની મિજબાની માણતા. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.