PM મોદીનો ભાવનગરમાં ભવ્ય રોડ શો, ભાષણમાં શહેર સાથેની જુની યાદો વાગોળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 18:20:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી અભિયાન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જેમાં સુરત બાદ આજે બપોરે તેઓ ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વધુ એક રોડ શો કર્યો હતો. આ બાદ તેમણે 5200 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા અને બાદમાં જનસભાને સંબોધી હતી.


મોદીએ ભાવનગરના લોકોની ક્ષમા માંગી 


ભાવનગરમાં રેલીને સંબોધતા પહેલા પીએમ મોદીએ ભાવનગરના લોકોની ક્ષમા માગી હતી. તેમણે કહ્યું કે હું ભૂતકાળમાં ક્યારેય આટલા બધો મોડો ભાવનગર આવ્યો નથી. લાંબા સમય પછી ભાવનગર આવ્યો હોય એવી આ પહેલી ઘટના છે. ભાવગર આવી ન શક્યો એટલા માટે હું ક્ષમા માગું છું. છતાંય આજે તમે જે આશીર્વાદ વરસાવ્યો છે. પ્રેમ વરસાવ્યો છે તેને હું ક્યારેય નહીં ભૂલી શકું. આજે મારી ભાવનગરની મુલાકાત વિશેષ છે. ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસ કર્યો. સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની રહ્યું છે.


ભાવનગરમાં મોદીએ ભાવનગરી ગાંઠીયા યાદ કર્યા         


નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં ભાવનગરમાં ભાવનગરી ગાંઠિયાને યાદ કર્યા હતા. તમે ભાવનગર આવો અને નરસિંહ બાવાના ગાંઠિયા, દાસના પેંડાના યાદ અને જ્યારે ગાઠિયા યાદ કરું તો મને મારા હરિસિંહ દાદા યાદ આવે. વર્ષો પહેલા હું નાનો કાર્યકર્તા તરીકે મને ગાઠીયા ખાવાનું કોઈએ શીખવાડ્યું હોય તો એ હરીસિંહ દાદાએ શીખવાડ્યું. જ્યારે અમદાવાદ આવે ત્યારે ગાઠીયા લેતા આવે અમે સંઘ કાર્યાલયમાં રહીએ અને અમારી ચિંતા કરે. આજે ભાવનગર આવું, હમણા તો નવરાત્રીનું વ્રત ચાલે એટલે બધુ નકામું. છતાં ભાવનગરના ગાઠીયા દેશ અને દુનિયામાં વખણાય એ મોટી વાત છે.


કોણ હતા હરીસિંહ દાદા?


પ્રધાનમંત્રી મોદીએ ભાવનગરમાં  જનસભાને સંબોધી તે દરમિયાન તેમણે હરિસિંહ દાદા યાદ કર્યા હતા. હવે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આ હરિસિંહ દાદા કોણ હતા? હરિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ જનસંઘના પ્રમુખ હતા, તેઓ રાજકોટના મેયર પણ રહી ચુક્યા છે. તેઓ ગઢુલા ગામના વતની હતા. તે સમયના જનસંઘના કાર્યકરોમાં હરીસિંહ દાદાના હુલામણા નામે ઓળખાતા હતા. તેઓ જનસંઘના કામ માટે અમદાવાદમાં મણિનગર સ્થિત હેડગેવાર ભવન આવતા ત્યારે મોદી સહિતના જનસંઘના કાર્યકરો માટે અચૂકપણે નરસિંહ બાવાના ગાંઠિયા લાવતા. મોદી અને તે સમયના કાર્યકરો સાથે બેસીને હરિસિંહ દાદા ભાવનગરી ગાંઠિયાની મિજબાની માણતા. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .