PM મોદીનો ભાવનગરમાં ભવ્ય રોડ શો, ભાષણમાં શહેર સાથેની જુની યાદો વાગોળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 18:20:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી અભિયાન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જેમાં સુરત બાદ આજે બપોરે તેઓ ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વધુ એક રોડ શો કર્યો હતો. આ બાદ તેમણે 5200 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા અને બાદમાં જનસભાને સંબોધી હતી.


મોદીએ ભાવનગરના લોકોની ક્ષમા માંગી 


ભાવનગરમાં રેલીને સંબોધતા પહેલા પીએમ મોદીએ ભાવનગરના લોકોની ક્ષમા માગી હતી. તેમણે કહ્યું કે હું ભૂતકાળમાં ક્યારેય આટલા બધો મોડો ભાવનગર આવ્યો નથી. લાંબા સમય પછી ભાવનગર આવ્યો હોય એવી આ પહેલી ઘટના છે. ભાવગર આવી ન શક્યો એટલા માટે હું ક્ષમા માગું છું. છતાંય આજે તમે જે આશીર્વાદ વરસાવ્યો છે. પ્રેમ વરસાવ્યો છે તેને હું ક્યારેય નહીં ભૂલી શકું. આજે મારી ભાવનગરની મુલાકાત વિશેષ છે. ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસ કર્યો. સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની રહ્યું છે.


ભાવનગરમાં મોદીએ ભાવનગરી ગાંઠીયા યાદ કર્યા         


નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં ભાવનગરમાં ભાવનગરી ગાંઠિયાને યાદ કર્યા હતા. તમે ભાવનગર આવો અને નરસિંહ બાવાના ગાંઠિયા, દાસના પેંડાના યાદ અને જ્યારે ગાઠિયા યાદ કરું તો મને મારા હરિસિંહ દાદા યાદ આવે. વર્ષો પહેલા હું નાનો કાર્યકર્તા તરીકે મને ગાઠીયા ખાવાનું કોઈએ શીખવાડ્યું હોય તો એ હરીસિંહ દાદાએ શીખવાડ્યું. જ્યારે અમદાવાદ આવે ત્યારે ગાઠીયા લેતા આવે અમે સંઘ કાર્યાલયમાં રહીએ અને અમારી ચિંતા કરે. આજે ભાવનગર આવું, હમણા તો નવરાત્રીનું વ્રત ચાલે એટલે બધુ નકામું. છતાં ભાવનગરના ગાઠીયા દેશ અને દુનિયામાં વખણાય એ મોટી વાત છે.


કોણ હતા હરીસિંહ દાદા?


પ્રધાનમંત્રી મોદીએ ભાવનગરમાં  જનસભાને સંબોધી તે દરમિયાન તેમણે હરિસિંહ દાદા યાદ કર્યા હતા. હવે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આ હરિસિંહ દાદા કોણ હતા? હરિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ જનસંઘના પ્રમુખ હતા, તેઓ રાજકોટના મેયર પણ રહી ચુક્યા છે. તેઓ ગઢુલા ગામના વતની હતા. તે સમયના જનસંઘના કાર્યકરોમાં હરીસિંહ દાદાના હુલામણા નામે ઓળખાતા હતા. તેઓ જનસંઘના કામ માટે અમદાવાદમાં મણિનગર સ્થિત હેડગેવાર ભવન આવતા ત્યારે મોદી સહિતના જનસંઘના કાર્યકરો માટે અચૂકપણે નરસિંહ બાવાના ગાંઠિયા લાવતા. મોદી અને તે સમયના કાર્યકરો સાથે બેસીને હરિસિંહ દાદા ભાવનગરી ગાંઠિયાની મિજબાની માણતા. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.