સુરતમાં તૈયાર કરાઈ PM મોદીની 156 ગ્રામ સોનાની મૂર્તિ, શા માટે બનાવાઈ આ મૂર્તિ?


  • Published By :
  • Published Date : 2023-01-19 12:27:51

ડાયમંડ સીટી તરીકે વિશ્વ પ્રખ્યાત સુરતમાં પીએમ મોદીની સોનાની અતિભવ્ય સોનાની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.  ગુજરાતમાં 156 સીટ જીત બદલ આ 156 ગ્રામ સોનાની મૂર્તિ બનાવવામાં આવી છે. મૂર્તિને બનાવવામાં 7 મહિના લાગ્યા છે. 15 થી 20 કારીગરોએ આ મૂર્તિ બનાવવા મહેનત કરી છે. આ મૂર્તિની અંદાજીત કિંમત રૂપિયા 11 લાખ છે. રાધિકા ચેન્સ કંપનીમાં મૂર્તિ બનાવવામાં આવી છે.


ગુજરાતમાં જીત ચશ PM મોદીને


આ ગોલ્ડન મોદીની મૂર્તિ તૈયાર કરનારા જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે "ગુજરાતમાં જે 156 સીટો આવી છે, તે એક ક્યારેય ઇતિહાસમાં જોવા મળી નથી અને કદાચ ભવિષ્યમાં પણ જોવા મળશે નહીં. જ્યારે PM મોદીએ 156 સીટો જીતી ત્યારે જ અમે વિચારી લીધું હતું અને અમારી ટીમને કહી દીધું હતું કે, તેમની એક ગોલ્ડમાં પ્રતિકૃતિ બનાવવામાં આવશે." જ્વેલર્સ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત માટે પીએમ મોદીને યશ આપી રહ્યા છે, તે માટે જ આ સુંદર મૂર્તિ બનાવી છે.


મૂર્તિની વિશેષતા શું છે? 


આ મૂર્તિ 18 કેરેટ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિ હુંબહુ જોવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી લાગે છે. તેમના ચશ્મા, ચેહરા અને આંખો જોઈને તમે લાગશે કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હુંબહુ પ્રતિકૃતિ છે. જેની અંદાજીત 11 લાખની કિંમત છે. રાધિકા ચેન્સ કંપનીમાં મૂર્તિ બનાવવામાં આવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.