મોદી ગુજરાતને લઈને ભયાનક ચિંતામાં, કમલમમાં જ કરશે ડિનર!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 20:39:26

પીએમને ગુજરાત ભાજપની ચિંતા, કેમ બધુ ઓલ વેલ નથી?

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં હાજર પીએમ મોદી ભાજપ અને હાલની કાર્યશૈલીથી બહુ ખુશ નથી એવું લાગી રહ્યુ છે, કમલમમાં ભાજપના કોર નેતાઓ સાથે અચાનક જ મીટીંગનું આયોજન કરાયું, મહાત્મા મંદીરથી નીકળીને પીએમ સીધા જ પહોંચ્યા કમલમ, જ્યાં એકબાજું મીટીંગ ચાલું હતી અને એકબાજું જમવાની તૈયારીઓ


પીએમના ખાસ મનાતા પાટીલ અચાનક દૂર કેમ જવા લાગ્યા?

સી.આર.પાટીલ નરેન્દ્ર મોદીની ખુબ નજીક મનાય છે, પણ છેલ્લા બે દિવસમાં પ્રધાનમંત્રીની મુલાકાતમાં એમની બોડી-લેન્ગ્વેજ, દરેક બેઠકોમાં પાટીલથી રાખેલું અંતર અને છેલ્લે કચ્છમાં પાટીલને ઠોકર વાગી અને પડ્યા તો પીએમએ કોઈ રિએક્શન ના આપ્યું એ જોતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.


કમલમમાં કોઈ નિર્ણય લેવાશે કે ક્લાસ?

છેલ્લા એક મહિનામાં અચાનક જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પકડ બનાવી હોય અને સોશિયલ મીડિયામાં છવાયા હોય એવું દરેક માની રહ્યા છે, ભાજપ આઈ.ટી.સેલમાં ચાલી રહેલા આંતરીખ વિખવાદોના કારણે ભાજપનુું સોશિયલ મીડિયા નબળું પડતું જતુ હતુ તો એક દિવસ પહેલા જ પંકજ શુક્લાને ફરી એકવાર આઈ.ટી.નો ચાર્જ સોંપાયો છે, ત્યારે પીએમ આપના વધતા પ્રભાવને રોકવાનું માર્ગદર્શન અને ભાજપના જ નેતાઓએ એકબીજાની સાથે કરેલા ગેરવર્તનોના કારણે બદલાતી પરિસ્થિતિ પર ક્લાસ લે તેવી સંભાવના છે



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .