મોદી ગુજરાતને લઈને ભયાનક ચિંતામાં, કમલમમાં જ કરશે ડિનર!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 20:39:26

પીએમને ગુજરાત ભાજપની ચિંતા, કેમ બધુ ઓલ વેલ નથી?

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં હાજર પીએમ મોદી ભાજપ અને હાલની કાર્યશૈલીથી બહુ ખુશ નથી એવું લાગી રહ્યુ છે, કમલમમાં ભાજપના કોર નેતાઓ સાથે અચાનક જ મીટીંગનું આયોજન કરાયું, મહાત્મા મંદીરથી નીકળીને પીએમ સીધા જ પહોંચ્યા કમલમ, જ્યાં એકબાજું મીટીંગ ચાલું હતી અને એકબાજું જમવાની તૈયારીઓ


પીએમના ખાસ મનાતા પાટીલ અચાનક દૂર કેમ જવા લાગ્યા?

સી.આર.પાટીલ નરેન્દ્ર મોદીની ખુબ નજીક મનાય છે, પણ છેલ્લા બે દિવસમાં પ્રધાનમંત્રીની મુલાકાતમાં એમની બોડી-લેન્ગ્વેજ, દરેક બેઠકોમાં પાટીલથી રાખેલું અંતર અને છેલ્લે કચ્છમાં પાટીલને ઠોકર વાગી અને પડ્યા તો પીએમએ કોઈ રિએક્શન ના આપ્યું એ જોતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.


કમલમમાં કોઈ નિર્ણય લેવાશે કે ક્લાસ?

છેલ્લા એક મહિનામાં અચાનક જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પકડ બનાવી હોય અને સોશિયલ મીડિયામાં છવાયા હોય એવું દરેક માની રહ્યા છે, ભાજપ આઈ.ટી.સેલમાં ચાલી રહેલા આંતરીખ વિખવાદોના કારણે ભાજપનુું સોશિયલ મીડિયા નબળું પડતું જતુ હતુ તો એક દિવસ પહેલા જ પંકજ શુક્લાને ફરી એકવાર આઈ.ટી.નો ચાર્જ સોંપાયો છે, ત્યારે પીએમ આપના વધતા પ્રભાવને રોકવાનું માર્ગદર્શન અને ભાજપના જ નેતાઓએ એકબીજાની સાથે કરેલા ગેરવર્તનોના કારણે બદલાતી પરિસ્થિતિ પર ક્લાસ લે તેવી સંભાવના છે



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.