આવતી કાલે PM તરીકે Narendra Modi ત્રીજી વખત લેશે શપથ, શેખ હસીના આવ્યા ભારત, જાણો કયા વિદેશી નેતાઓને અપાયું આમંત્રણ?


  • Published By :
  • Published Date : 2024-06-08 16:58:30

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર પીએમ પદના શપથ 9મી તારીખે એટલે કે આવતી કાલે લેવાના છે. પરિણામો આવ્યા બાદ વિદેશના અનેક નેતાઓએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીના શપથ સમારોહમાં સામેલ થવા માટે ભારતના અનેક પાડોશી દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અનેક વડાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે અને શપથ સમારોહમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારત આવી પહોંચ્યા છે.  

મુરલી મનોહર જોશી, એલ.કે. અડવાણી સહિતના નેતાઓ સાથે કરી હતી મુલાકાત 

મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા. આ વખતે એનડીએની સરકાર બનવાની છે. ગઈકાલે એનડીએની સંસદીય દળની બેઠક મળી હતી અને નેતા તરીકે પ્રધાનમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી. આવતી કાલે એટલે કે 9 તારીખે પીએમ મોદી ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે.. ગઈકાલે પીએમ મોદી એલ.કે.અડવાની, મુરલી મનોહર જોશી, રાષ્ટ્રપતિ સહિતના અનેક દિગ્ગજ નેતાઓને મળ્યા હતા. આ શપથવિધિમાં ભારતના પાડોશી દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 



શપથ વિધીના સમારોહમાં ભાગ લેવા શેખ હસીના આવ્યા ભારત 

પીએમ મોદીના શપથ સમારોહમાં અનેક રાષ્ટ્રના વડાઓ ભારતના મહેમાન બની શકે છે.  નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં " neighbour હુડ ફર્સ્ટ પોલિસી " અંતર્ગત જે હિન્દ મહાસાગરના દેશો છે તેમની સાથે સહયોગ વધારવાના હેતુથી આ મહેમાનોની યાદી તૈયાર કરવામાં આવી છે.  શેખ હસીના ભારત આવી પહોંચ્યા છે. તે સિવાય નેપાળના પીએમ પુશ્પ કમાલ દહલ, ભૂતાનના રાજા નામગ્યેલ વાન્ગચૂક , શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે , ઉપરાંત માલદિવ્સના વડા મોહમ્મદ મુઇઝઝયુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 


વિવિધ દેશના વડાઓને આપવામાં આવ્યું છે આમંત્રણ

હાલમાં maldives  સાથેના આપણા સબંધો થોડાક તણાવભર્યા હતા પણ આ આમંત્રણથી સબંધોમાં મીઠાશ વધી શકે છે. વાત કરીએ શ્રીલંકન રાષ્ટ્ર પ્રમુખ રાનિલ વિક્રમસિંઘની તો ૪ જૂનના રોજ તેમને PM મોદી સાથે ફોન પર વાત થઈ હતી , ત્યારે તેમને આ શપથ વિધિમાં હાજર રહેવા આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું હતું . ઉપરાંત બાંગલાદેશના PM શેખ હસીના સાથે પણ ફોન પર વાત થઈ હતી. મહત્વનું છે આવતી કાલે ના માત્ર પીએમ તરીકે નરેન્દ્ર મોદી શપથ લેશે પરંતુ તેમની સાથે મંત્રીમંડળ પણ શપથ લેશે. આ મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સસ્પેન્સ છે.. અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.  


શું ઈન્ડિ ગઠબંધનના નેતાઓ રહેશે શપથ સમારોહમાં હાજર?

જ્યારે ઈન્ડિ ગઠબંધનના નેતાઓ આ શપથ સમારોહમાં હાજર રહેશે કે નહીં તે સવાલ જયરામ રમેશને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે માત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એમારા નેતાઓને આમંત્રણ આપવામાં નથી આવ્યું. જ્યારે અમારા નેતાઓને આમંત્રણ આપવામાં આવશે તે બાદ વિચારણા કરવામાં આવશે.. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.