આવતી કાલે PM તરીકે Narendra Modi ત્રીજી વખત લેશે શપથ, શેખ હસીના આવ્યા ભારત, જાણો કયા વિદેશી નેતાઓને અપાયું આમંત્રણ?


  • Published By :
  • Published Date : 2024-06-08 16:58:30

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર પીએમ પદના શપથ 9મી તારીખે એટલે કે આવતી કાલે લેવાના છે. પરિણામો આવ્યા બાદ વિદેશના અનેક નેતાઓએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીના શપથ સમારોહમાં સામેલ થવા માટે ભારતના અનેક પાડોશી દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અનેક વડાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે અને શપથ સમારોહમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારત આવી પહોંચ્યા છે.  

મુરલી મનોહર જોશી, એલ.કે. અડવાણી સહિતના નેતાઓ સાથે કરી હતી મુલાકાત 

મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા. આ વખતે એનડીએની સરકાર બનવાની છે. ગઈકાલે એનડીએની સંસદીય દળની બેઠક મળી હતી અને નેતા તરીકે પ્રધાનમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી. આવતી કાલે એટલે કે 9 તારીખે પીએમ મોદી ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે.. ગઈકાલે પીએમ મોદી એલ.કે.અડવાની, મુરલી મનોહર જોશી, રાષ્ટ્રપતિ સહિતના અનેક દિગ્ગજ નેતાઓને મળ્યા હતા. આ શપથવિધિમાં ભારતના પાડોશી દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 



શપથ વિધીના સમારોહમાં ભાગ લેવા શેખ હસીના આવ્યા ભારત 

પીએમ મોદીના શપથ સમારોહમાં અનેક રાષ્ટ્રના વડાઓ ભારતના મહેમાન બની શકે છે.  નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં " neighbour હુડ ફર્સ્ટ પોલિસી " અંતર્ગત જે હિન્દ મહાસાગરના દેશો છે તેમની સાથે સહયોગ વધારવાના હેતુથી આ મહેમાનોની યાદી તૈયાર કરવામાં આવી છે.  શેખ હસીના ભારત આવી પહોંચ્યા છે. તે સિવાય નેપાળના પીએમ પુશ્પ કમાલ દહલ, ભૂતાનના રાજા નામગ્યેલ વાન્ગચૂક , શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે , ઉપરાંત માલદિવ્સના વડા મોહમ્મદ મુઇઝઝયુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 


વિવિધ દેશના વડાઓને આપવામાં આવ્યું છે આમંત્રણ

હાલમાં maldives  સાથેના આપણા સબંધો થોડાક તણાવભર્યા હતા પણ આ આમંત્રણથી સબંધોમાં મીઠાશ વધી શકે છે. વાત કરીએ શ્રીલંકન રાષ્ટ્ર પ્રમુખ રાનિલ વિક્રમસિંઘની તો ૪ જૂનના રોજ તેમને PM મોદી સાથે ફોન પર વાત થઈ હતી , ત્યારે તેમને આ શપથ વિધિમાં હાજર રહેવા આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું હતું . ઉપરાંત બાંગલાદેશના PM શેખ હસીના સાથે પણ ફોન પર વાત થઈ હતી. મહત્વનું છે આવતી કાલે ના માત્ર પીએમ તરીકે નરેન્દ્ર મોદી શપથ લેશે પરંતુ તેમની સાથે મંત્રીમંડળ પણ શપથ લેશે. આ મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સસ્પેન્સ છે.. અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.  


શું ઈન્ડિ ગઠબંધનના નેતાઓ રહેશે શપથ સમારોહમાં હાજર?

જ્યારે ઈન્ડિ ગઠબંધનના નેતાઓ આ શપથ સમારોહમાં હાજર રહેશે કે નહીં તે સવાલ જયરામ રમેશને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે માત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એમારા નેતાઓને આમંત્રણ આપવામાં નથી આવ્યું. જ્યારે અમારા નેતાઓને આમંત્રણ આપવામાં આવશે તે બાદ વિચારણા કરવામાં આવશે.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.