નરેશ પટેલે PMને ખોડલધામ આવવાનું આપ્યું આમંત્રણ, PMએ આમંત્રણનો સ્વીકાર કર્યો


  • Published By :
  • Published Date : 2022-10-23 13:25:01

ગુજરાતમાં ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ગુજરાતની રાજનીતિમાં પટેલ ફેક્ટરને ઘણું મહત્વનું માનવામાં આવે છે. ભાજપે ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ખોડલધામના ટ્રસ્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં પીએમને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.  

શું પીએમ મોદી 31મીએ ખોડલધામ આવશે? દિલ્હીમાં નરેશ પટેલ અને બે ટ્રસ્ટીઓએ PM સાથે કરી મુલાકાત

અટકળો પર મૂકાયું પૂર્ણવિરામ 

ચૂંટણીના માહોલ વચ્ચે એકાએક પીએમ અને નરેશ પટેલ વચ્ચે બેઠક થવાને કારણે અનેક અટકળોએ વેગ પકડ્યો હતો. એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થઈ શકે છે. અટકળો પર પૂર્ણ વિરામ આવી જાય તે માટે ખોડલધામના ટ્રસ્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે આ બેઠકમાં વડાપ્રધાન મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ખોડલધામમાં ધ્વજા ચઢાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેનો તેમણે સ્વીકાર કર્યો છે. 

Photo Gallery | Prime Minister of India

વડાપ્રધાન મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો 

ગુજરાતની રાજનીતિ અને ખોડલધામનો વિશેષ નાતો છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અનેક વખત તેઓ ખોડલધામની મુલાકાતે આવતા હતા. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા લેઉવા પાટીદાર નેતાઓની વડાપ્રધાન સાથે મુલાકાત થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ બેઠકમાં નરેશ પટેલની સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ તેમજ મનસુખ માંડવીયા પણ હાજર રહ્યા હતા. ત્યારે ખોડલધામના ટ્રસ્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે વડાપ્રધાન મોદીની સાથે કેમ બેઠક કરી હતી તે જણાવ્યું છે.તેમણે કહ્યું કે આ બેઠકમાં વડાપ્રધાન મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. વડાપ્રધાનની ઓફિસમાંથી તારીખ આપવામાં આવશે.     




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.