નરેશ પટેલે PMને ખોડલધામ આવવાનું આપ્યું આમંત્રણ, PMએ આમંત્રણનો સ્વીકાર કર્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-23 13:25:01

ગુજરાતમાં ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ગુજરાતની રાજનીતિમાં પટેલ ફેક્ટરને ઘણું મહત્વનું માનવામાં આવે છે. ભાજપે ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ખોડલધામના ટ્રસ્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં પીએમને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.  

શું પીએમ મોદી 31મીએ ખોડલધામ આવશે? દિલ્હીમાં નરેશ પટેલ અને બે ટ્રસ્ટીઓએ PM સાથે કરી મુલાકાત

અટકળો પર મૂકાયું પૂર્ણવિરામ 

ચૂંટણીના માહોલ વચ્ચે એકાએક પીએમ અને નરેશ પટેલ વચ્ચે બેઠક થવાને કારણે અનેક અટકળોએ વેગ પકડ્યો હતો. એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થઈ શકે છે. અટકળો પર પૂર્ણ વિરામ આવી જાય તે માટે ખોડલધામના ટ્રસ્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે આ બેઠકમાં વડાપ્રધાન મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ખોડલધામમાં ધ્વજા ચઢાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેનો તેમણે સ્વીકાર કર્યો છે. 

Photo Gallery | Prime Minister of India

વડાપ્રધાન મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો 

ગુજરાતની રાજનીતિ અને ખોડલધામનો વિશેષ નાતો છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અનેક વખત તેઓ ખોડલધામની મુલાકાતે આવતા હતા. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા લેઉવા પાટીદાર નેતાઓની વડાપ્રધાન સાથે મુલાકાત થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ બેઠકમાં નરેશ પટેલની સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ તેમજ મનસુખ માંડવીયા પણ હાજર રહ્યા હતા. ત્યારે ખોડલધામના ટ્રસ્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે વડાપ્રધાન મોદીની સાથે કેમ બેઠક કરી હતી તે જણાવ્યું છે.તેમણે કહ્યું કે આ બેઠકમાં વડાપ્રધાન મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. વડાપ્રધાનની ઓફિસમાંથી તારીખ આપવામાં આવશે.     




ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..