નરેશ પટેલે PMને ખોડલધામ આવવાનું આપ્યું આમંત્રણ, PMએ આમંત્રણનો સ્વીકાર કર્યો


  • Published By :
  • Published Date : 2022-10-23 13:25:01

ગુજરાતમાં ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ગુજરાતની રાજનીતિમાં પટેલ ફેક્ટરને ઘણું મહત્વનું માનવામાં આવે છે. ભાજપે ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ખોડલધામના ટ્રસ્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં પીએમને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.  

શું પીએમ મોદી 31મીએ ખોડલધામ આવશે? દિલ્હીમાં નરેશ પટેલ અને બે ટ્રસ્ટીઓએ PM સાથે કરી મુલાકાત

અટકળો પર મૂકાયું પૂર્ણવિરામ 

ચૂંટણીના માહોલ વચ્ચે એકાએક પીએમ અને નરેશ પટેલ વચ્ચે બેઠક થવાને કારણે અનેક અટકળોએ વેગ પકડ્યો હતો. એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થઈ શકે છે. અટકળો પર પૂર્ણ વિરામ આવી જાય તે માટે ખોડલધામના ટ્રસ્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે આ બેઠકમાં વડાપ્રધાન મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ખોડલધામમાં ધ્વજા ચઢાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેનો તેમણે સ્વીકાર કર્યો છે. 

Photo Gallery | Prime Minister of India

વડાપ્રધાન મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો 

ગુજરાતની રાજનીતિ અને ખોડલધામનો વિશેષ નાતો છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અનેક વખત તેઓ ખોડલધામની મુલાકાતે આવતા હતા. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા લેઉવા પાટીદાર નેતાઓની વડાપ્રધાન સાથે મુલાકાત થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ બેઠકમાં નરેશ પટેલની સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ તેમજ મનસુખ માંડવીયા પણ હાજર રહ્યા હતા. ત્યારે ખોડલધામના ટ્રસ્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે વડાપ્રધાન મોદીની સાથે કેમ બેઠક કરી હતી તે જણાવ્યું છે.તેમણે કહ્યું કે આ બેઠકમાં વડાપ્રધાન મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. વડાપ્રધાનની ઓફિસમાંથી તારીખ આપવામાં આવશે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.