'લેઉવા પટેલ સમાજ ગુજરાતની આર્થિક અને રાજકીય કરોડરજ્જુ' -નરેશ પટેલ


  • Published By :
  • Published Date : 2023-10-11 12:28:27

રાજ્યના રાજકારણમાં પાટીદારોના પ્રભુત્વનો કોઈ ઈન્કાર ન કરી શકે. સૌરાષ્ટ્રના લેઉઆ સમાજના જાણીતા પાટીદાર નેતા નરેશ પટેલે પણ આ મુદ્દે પાટીદાર સમાજની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ઈકોનોમિકની કરોડરજ્જુ લેઉવા પટેલ સમાજ છે. તેમણે લેઉઆ સમાજના રાજકીય મહત્વ અંગે પણ કહ્યું હતું કે લેઉઆ સમાજ જે તરફ જાય તે તરફ રાજકારણ ઢળે છે. નરેશ પટેલ લેઉવા પટેલનાં કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણનાં સંડેર ખાતે નિર્માણ પામી રહ્યું છે ત્યારે ખોડલધામનાં ખાતમુર્હૂતનાં આયોજન અંગે સંડેરમાં બેઠક મળી હતી જેમાં ભાગ લેવા તેઓ આવ્યા હતા. આ બેઠકમાં સામાજીક અગ્રણી અને પૂર્વ સીએમ આનંદી બેનના પુત્રી અનારબેન પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટીદાર સંગઠનોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 


'લેઉવા પટેલ સમાજ પાસે પૈસાની ઉણપ નથી'


પાટણ જિલ્લાના ગાંધીનગર ખાતે ખોડલધામનાં ભૂમિપૂજન કાર્યક્રમનાં આયોજન અંગે મળેલી બેઠક બાદ નરેશ પટેલે નિવેદન આપ્યું હતું. નરેશ પટેલે જણાવ્યું હતું કે 'ગુજરાતની ઈકોનોમીની કરોડરજ્જુ લેઉવા પટેલ સમાજ છે, ન માત્ર ઈકોનોમિક પરંતુ પોલિટિકલ બેકબોન પણ લેઉવા પટેલ સમાજ છે ગુજરાતમાં લેઉવા પટેલ સમાજ જે તરફ જાય છે તે તરફ રાજકારણ ઢળે છે ત્યારે લેઉવા પટેલ સમાજ પાસે પૈસાની ઉણપ નથી પુષ્કળ રૂપિયા છે, આજનાં જમાનામાં મુખ્ય તાકાતએ સંગઠન છે  તેમજ ખોડલધામ સંસ્થા નથી વિચાર છે. જાતિ આધારિત વસ્તી ગણતરી રાજકીય ચર્ચાનો વિષય છે મારે કોમેન્ટ કરવી યોગ્ય નથી'.

 

સંડેરમાં બનશે ભવ્ય ખોડલધામ


સૌરાષ્ટ્રનાં કાગવડ જેવું જ મંદિર પાટણ પાસે બનવા જઈ રહ્યું છે. ત્યારે 22મી ઓક્ટોબર અને આઠમનાં દિવસે ભવ્ય ખોડલધામનું ખાતમુહૂર્ત થશે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ પણ બનશે. ખોડલધામનાં ખાતમુર્હૂતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત એનસીપી નેતા અને સાંસદ પ્રફુલ પટેલ અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી