પ્લેનમાં બેસી નરેશ પટેલની દોડ,દિગ્ગ્જ નેતાઓના પત્તા કપાશે ?


  • Published By :
  • Published Date : 2022-11-05 12:44:06

સૌરાષ્ટ્રનું રાજકારણ દાયકાઓથી મજબૂત છે. ગાંધીનગર સુધી પહોંચવા માટે સૌરાષ્ટ્રમાં કોઈપણ પાર્ટીનો દબદબો હોવો જરૂરી છે, એટલે જ તમામ પાર્ટીઓ સૌરાષ્ટ્ર પર ફોકસ કરી રહી છે.એક બાદ એક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણના અન્ય એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખોડલધામના અધ્યક્ષ અને સૌરાષ્ટ્રમાં પાટીદારનો મજબૂત ચહેરો ગણાતા નરેશ પટેલ અને પાટીદાર અગ્રણી રમેશ ટિલાળાએ અમિત શાહ સાથે મુલાકાત કર્યાના અહેવાલ મળ્યા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચામાં હોય તેવો પાટીદાર ચહેરાઓમાં ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાનું નામ પણ સામેલ છે. બોઘરા સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજનો મોટો ચહેરો છે. ત્યારે નરેશ પટેલ અને રમેશ ટિલાળાએ શાહ સાથે કરેલી મુલાકાતથી બોઘરા v/s ટિલાળાનો ઘાટ સર્જાઈ શકે છે.

 

રાજકોટમાં રાજકારણમાં ભારે ઊથલપાથલ

રાજકોટ શહેરની દક્ષિણ બેઠક હવે હાઈ પ્રોફાઈલ બની ગઈ છે.તાજેતરમાં જ નરેશ પટેલની દિલ્હીમાં પીએમ મોદી સાથેની મુલાકાતને લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ હતી. ત્યારે હવે રાજકોટની દક્ષિણ બેઠક માટે ખોડલધામે લોબિંગ શરૂ કર્યું છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ દાવેદારી કરી છે.નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ભાજપના મોવડી મંડળ સાથે મુલાકાત કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે. ખાસ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદની મુલાકાત કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. તમને જણાવી દઇએ કે, રાજકોટની દક્ષિણ બેઠકમાં ભાજપના ઉપાધ્યક્ષ ભારત બોઘરા પણ લોબિંગ કરી રહ્યાં છે.

 

કોણ છે ભરત બોઘરા ?

2009માં લોકસભાની ચૂંટણીમાં બાવળિયાએ રાજકોટ બેઠક પર જીત મેળવી અને જસદણ વિધાનસભાની પેટાચૂંટણી આવી. એમાં મોદીએ બોઘરાને ટિકિટ આપી અને પહેલીવાર ભાજપે કોંગ્રેસના ગઢમાં જીત હાંસલ કરી હતી.હાલ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કોઈ ચર્ચામાં હોય તો ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા. તેઓ સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજનો મોટો ચહેરો છે. ભરત બોઘરાને જસદણ બેઠક પરથી ટિકિટ માગવાની ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે મનાઈ કરી છે.સંગઠનમાં હાલ બોઘરા ખૂબ જ સક્રિય છે. 

 

કોણ છે રમેશ ટીલાળા ?

રમેશ ટીલાળા ખોડલધામના ટ્રસ્ટી અને તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે. તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માંગે છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં મોટું નામ છે. રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ચેરમેન પણ છે. શાપર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અને ખેતીથી કરિયરની શરૂઆત કરનારા ટીલાળાએ આજે 7 ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે અને 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.