દિલ્હીમાં નરગીસે લગ્નનો ઈન્કાર કર્યો તો હેવાન બન્યો ઈરફાન, યુવતીના માથા પર સળિયો મારી કરી હત્યા


  • Published By :
  • Published Date : 2023-07-28 21:30:12

રાજધાની દિલ્હીમાં શુક્રવાર (28 જુલાઈ)ના રોજ વધુ એક યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. માલવિયા નગર વિસ્તારમાં અરબિંદો કોલેજ પાસેના પાર્કમાં બપોરે 12 વાગ્યે એક છોકરાએ એક છોકરીને સળિયા વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ધોળા દિવસે થયેલી હત્યાથી ચકચાર મચી ગઈ છે. કમલા નહેરૂ કોલેજની 25 વર્ષીય વિદ્યાર્થિની નરગિસની હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.


સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો કાતિલ


શુક્રવારે બપોરે 12.10ની આસપાસ પોલીસને બાતમી મળી હતી કે એક યુવતીની લાશ પાર્કમાં પડી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને આરોપીઓની ઓળખ માટે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાનું શરૂ કર્યું. તેમાં ઈરફાન જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે નરગીસની હત્યાના સમાચાર મીડિયામાં ફેલાતા જ આરોપી ઈરફાને પોતે પોલીસને સરેન્ડર કરી દીધું હતું.


શા માટે હત્યા કરી? 
 


નરગીસ કમલા નેહરુ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે ઈરફાનની પિતરાઈ બહેન હતી. સંગમ વિહારમાં રહેતો ઈરફાન ડિલિવરી બોય તરીકે કામ કરે છે. નરગીસના પરિવારજનોએ જણાવ્યું કે તે લાંબા સમયથી તેનો પીછો કરી રહ્યો હતો. માત્ર નરગીસ જ નહીં પરિવારના સભ્યોએ પણ ઈરફાનના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. બગીચામાં મળવા આવેલા ઈરફાનને જ્યારે નરગીસે ​​લગ્ન માટે ના પાડી તો ઈરફાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ઈરફાને બેગમાંથી લોખંડનો સળિયો કાઢી તેના પર હુમલો કર્યો હતો.


પૂર્વ આયોજીત કાવતરૂ રચી કરી હત્યા 


ઈરફાનની પૂછપરછ બાદ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ત્રણ દિવસ પહેલા નરગીસની હત્યાની યોજના બનાવી હતી. તે ઘણા દિવસોથી નરગીસનો પીછો કરી રહ્યો હતો અને તે તેના દરેક લોકેશન વિશે પહેલેથી જ જાણતો હતો. તેણે પ્લાન બનાવ્યો હતો કે નરગીસ ના પાડતા જ તેને મારી નાખશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.