દિલ્હીમાં નરગીસે લગ્નનો ઈન્કાર કર્યો તો હેવાન બન્યો ઈરફાન, યુવતીના માથા પર સળિયો મારી કરી હત્યા


  • Published By :
  • Published Date : 2023-07-28 21:30:12

રાજધાની દિલ્હીમાં શુક્રવાર (28 જુલાઈ)ના રોજ વધુ એક યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. માલવિયા નગર વિસ્તારમાં અરબિંદો કોલેજ પાસેના પાર્કમાં બપોરે 12 વાગ્યે એક છોકરાએ એક છોકરીને સળિયા વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ધોળા દિવસે થયેલી હત્યાથી ચકચાર મચી ગઈ છે. કમલા નહેરૂ કોલેજની 25 વર્ષીય વિદ્યાર્થિની નરગિસની હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.


સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો કાતિલ


શુક્રવારે બપોરે 12.10ની આસપાસ પોલીસને બાતમી મળી હતી કે એક યુવતીની લાશ પાર્કમાં પડી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને આરોપીઓની ઓળખ માટે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાનું શરૂ કર્યું. તેમાં ઈરફાન જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે નરગીસની હત્યાના સમાચાર મીડિયામાં ફેલાતા જ આરોપી ઈરફાને પોતે પોલીસને સરેન્ડર કરી દીધું હતું.


શા માટે હત્યા કરી? 
 


નરગીસ કમલા નેહરુ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે ઈરફાનની પિતરાઈ બહેન હતી. સંગમ વિહારમાં રહેતો ઈરફાન ડિલિવરી બોય તરીકે કામ કરે છે. નરગીસના પરિવારજનોએ જણાવ્યું કે તે લાંબા સમયથી તેનો પીછો કરી રહ્યો હતો. માત્ર નરગીસ જ નહીં પરિવારના સભ્યોએ પણ ઈરફાનના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. બગીચામાં મળવા આવેલા ઈરફાનને જ્યારે નરગીસે ​​લગ્ન માટે ના પાડી તો ઈરફાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ઈરફાને બેગમાંથી લોખંડનો સળિયો કાઢી તેના પર હુમલો કર્યો હતો.


પૂર્વ આયોજીત કાવતરૂ રચી કરી હત્યા 


ઈરફાનની પૂછપરછ બાદ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ત્રણ દિવસ પહેલા નરગીસની હત્યાની યોજના બનાવી હતી. તે ઘણા દિવસોથી નરગીસનો પીછો કરી રહ્યો હતો અને તે તેના દરેક લોકેશન વિશે પહેલેથી જ જાણતો હતો. તેણે પ્લાન બનાવ્યો હતો કે નરગીસ ના પાડતા જ તેને મારી નાખશે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.