દિલ્હીમાં નરગીસે લગ્નનો ઈન્કાર કર્યો તો હેવાન બન્યો ઈરફાન, યુવતીના માથા પર સળિયો મારી કરી હત્યા


  • Published By :
  • Published Date : 2023-07-28 21:30:12

રાજધાની દિલ્હીમાં શુક્રવાર (28 જુલાઈ)ના રોજ વધુ એક યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. માલવિયા નગર વિસ્તારમાં અરબિંદો કોલેજ પાસેના પાર્કમાં બપોરે 12 વાગ્યે એક છોકરાએ એક છોકરીને સળિયા વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ધોળા દિવસે થયેલી હત્યાથી ચકચાર મચી ગઈ છે. કમલા નહેરૂ કોલેજની 25 વર્ષીય વિદ્યાર્થિની નરગિસની હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.


સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો કાતિલ


શુક્રવારે બપોરે 12.10ની આસપાસ પોલીસને બાતમી મળી હતી કે એક યુવતીની લાશ પાર્કમાં પડી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને આરોપીઓની ઓળખ માટે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાનું શરૂ કર્યું. તેમાં ઈરફાન જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે નરગીસની હત્યાના સમાચાર મીડિયામાં ફેલાતા જ આરોપી ઈરફાને પોતે પોલીસને સરેન્ડર કરી દીધું હતું.


શા માટે હત્યા કરી? 
 


નરગીસ કમલા નેહરુ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે ઈરફાનની પિતરાઈ બહેન હતી. સંગમ વિહારમાં રહેતો ઈરફાન ડિલિવરી બોય તરીકે કામ કરે છે. નરગીસના પરિવારજનોએ જણાવ્યું કે તે લાંબા સમયથી તેનો પીછો કરી રહ્યો હતો. માત્ર નરગીસ જ નહીં પરિવારના સભ્યોએ પણ ઈરફાનના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. બગીચામાં મળવા આવેલા ઈરફાનને જ્યારે નરગીસે ​​લગ્ન માટે ના પાડી તો ઈરફાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ઈરફાને બેગમાંથી લોખંડનો સળિયો કાઢી તેના પર હુમલો કર્યો હતો.


પૂર્વ આયોજીત કાવતરૂ રચી કરી હત્યા 


ઈરફાનની પૂછપરછ બાદ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ત્રણ દિવસ પહેલા નરગીસની હત્યાની યોજના બનાવી હતી. તે ઘણા દિવસોથી નરગીસનો પીછો કરી રહ્યો હતો અને તે તેના દરેક લોકેશન વિશે પહેલેથી જ જાણતો હતો. તેણે પ્લાન બનાવ્યો હતો કે નરગીસ ના પાડતા જ તેને મારી નાખશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .