દિલ્હીમાં નરગીસે લગ્નનો ઈન્કાર કર્યો તો હેવાન બન્યો ઈરફાન, યુવતીના માથા પર સળિયો મારી કરી હત્યા


  • Published By :
  • Published Date : 2023-07-28 21:30:12

રાજધાની દિલ્હીમાં શુક્રવાર (28 જુલાઈ)ના રોજ વધુ એક યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. માલવિયા નગર વિસ્તારમાં અરબિંદો કોલેજ પાસેના પાર્કમાં બપોરે 12 વાગ્યે એક છોકરાએ એક છોકરીને સળિયા વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ધોળા દિવસે થયેલી હત્યાથી ચકચાર મચી ગઈ છે. કમલા નહેરૂ કોલેજની 25 વર્ષીય વિદ્યાર્થિની નરગિસની હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.


સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો કાતિલ


શુક્રવારે બપોરે 12.10ની આસપાસ પોલીસને બાતમી મળી હતી કે એક યુવતીની લાશ પાર્કમાં પડી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને આરોપીઓની ઓળખ માટે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાનું શરૂ કર્યું. તેમાં ઈરફાન જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે નરગીસની હત્યાના સમાચાર મીડિયામાં ફેલાતા જ આરોપી ઈરફાને પોતે પોલીસને સરેન્ડર કરી દીધું હતું.


શા માટે હત્યા કરી? 
 


નરગીસ કમલા નેહરુ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે ઈરફાનની પિતરાઈ બહેન હતી. સંગમ વિહારમાં રહેતો ઈરફાન ડિલિવરી બોય તરીકે કામ કરે છે. નરગીસના પરિવારજનોએ જણાવ્યું કે તે લાંબા સમયથી તેનો પીછો કરી રહ્યો હતો. માત્ર નરગીસ જ નહીં પરિવારના સભ્યોએ પણ ઈરફાનના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. બગીચામાં મળવા આવેલા ઈરફાનને જ્યારે નરગીસે ​​લગ્ન માટે ના પાડી તો ઈરફાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ઈરફાને બેગમાંથી લોખંડનો સળિયો કાઢી તેના પર હુમલો કર્યો હતો.


પૂર્વ આયોજીત કાવતરૂ રચી કરી હત્યા 


ઈરફાનની પૂછપરછ બાદ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ત્રણ દિવસ પહેલા નરગીસની હત્યાની યોજના બનાવી હતી. તે ઘણા દિવસોથી નરગીસનો પીછો કરી રહ્યો હતો અને તે તેના દરેક લોકેશન વિશે પહેલેથી જ જાણતો હતો. તેણે પ્લાન બનાવ્યો હતો કે નરગીસ ના પાડતા જ તેને મારી નાખશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.