માંગરોળમાં કરાઈ નર્મદા જયંતીની ઉજવણી, નર્મદા મૈયાને 1100 ફૂટની સાડી અર્પણ કરાઈ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-17 12:50:59

હિંદુ ધર્મમાં જેટલું મહત્વ દેવી દેવતાઓને આપવામાં આવે છે તેટલું જ મહત્વ પ્રકૃતિને પણ આપવામાં આવે છે. આપણે ત્યાં પ્રકૃતિનું જતન કરવામાં આવે છે. એ પછી પર્વતનું પૂજન હોય કે પછી નદીની પરિક્રમા હોય.... શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે ગંગામાં સ્નાન કરવાથી, નર્મદાના દર્શન કરવા માત્રથી જ્યારે તાપિનું સ્મરણ માત્રથી પાપમાંથી મુક્તિ મળે છે..! નર્મદા નદીને ગુજરાતની જીવા દોરી સમાન માનવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદી વહે છે તેથી જ આપણા ઘરોમાં પાણી આવે છે.! નદીને આપણે માતા સમાન દરજ્જો આપીએ છીએ।.

નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી કરાઈ અર્પણ 

નર્મદા જયંતી મહા સુદ સાતમે આવે છે. ગઈકાલે નર્મદા જયંતી નિમીત્તે અનેક ભક્તો નર્મદા નદીની પૂજા કરતા હોય છે તો કોઈ નદીમાં આસ્થાની ડુબકી લગાવે છે. નદીમાં ફુલ, કંકુ, હળદર જેવી સામગ્રી અર્પણ કરવામાં આવે છે. મધ્યપ્રદેશના અમરકંટકને નર્મદાનું ઉદગમ સ્થાન માનવામાં આવે છે. ત્યારે ગઈકાલે નર્મદા જયંતી નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી હતી. માંગરોળમાં શ્રદ્ધાળુઓએ નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. નર્મદા નદીને સાડી અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. 

image



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે