માંગરોળમાં કરાઈ નર્મદા જયંતીની ઉજવણી, નર્મદા મૈયાને 1100 ફૂટની સાડી અર્પણ કરાઈ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-17 12:50:59

હિંદુ ધર્મમાં જેટલું મહત્વ દેવી દેવતાઓને આપવામાં આવે છે તેટલું જ મહત્વ પ્રકૃતિને પણ આપવામાં આવે છે. આપણે ત્યાં પ્રકૃતિનું જતન કરવામાં આવે છે. એ પછી પર્વતનું પૂજન હોય કે પછી નદીની પરિક્રમા હોય.... શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે ગંગામાં સ્નાન કરવાથી, નર્મદાના દર્શન કરવા માત્રથી જ્યારે તાપિનું સ્મરણ માત્રથી પાપમાંથી મુક્તિ મળે છે..! નર્મદા નદીને ગુજરાતની જીવા દોરી સમાન માનવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદી વહે છે તેથી જ આપણા ઘરોમાં પાણી આવે છે.! નદીને આપણે માતા સમાન દરજ્જો આપીએ છીએ।.

નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી કરાઈ અર્પણ 

નર્મદા જયંતી મહા સુદ સાતમે આવે છે. ગઈકાલે નર્મદા જયંતી નિમીત્તે અનેક ભક્તો નર્મદા નદીની પૂજા કરતા હોય છે તો કોઈ નદીમાં આસ્થાની ડુબકી લગાવે છે. નદીમાં ફુલ, કંકુ, હળદર જેવી સામગ્રી અર્પણ કરવામાં આવે છે. મધ્યપ્રદેશના અમરકંટકને નર્મદાનું ઉદગમ સ્થાન માનવામાં આવે છે. ત્યારે ગઈકાલે નર્મદા જયંતી નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી હતી. માંગરોળમાં શ્રદ્ધાળુઓએ નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. નર્મદા નદીને સાડી અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. 

image



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.