માંગરોળમાં કરાઈ નર્મદા જયંતીની ઉજવણી, નર્મદા મૈયાને 1100 ફૂટની સાડી અર્પણ કરાઈ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-17 12:50:59

હિંદુ ધર્મમાં જેટલું મહત્વ દેવી દેવતાઓને આપવામાં આવે છે તેટલું જ મહત્વ પ્રકૃતિને પણ આપવામાં આવે છે. આપણે ત્યાં પ્રકૃતિનું જતન કરવામાં આવે છે. એ પછી પર્વતનું પૂજન હોય કે પછી નદીની પરિક્રમા હોય.... શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે ગંગામાં સ્નાન કરવાથી, નર્મદાના દર્શન કરવા માત્રથી જ્યારે તાપિનું સ્મરણ માત્રથી પાપમાંથી મુક્તિ મળે છે..! નર્મદા નદીને ગુજરાતની જીવા દોરી સમાન માનવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદી વહે છે તેથી જ આપણા ઘરોમાં પાણી આવે છે.! નદીને આપણે માતા સમાન દરજ્જો આપીએ છીએ।.

નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી કરાઈ અર્પણ 

નર્મદા જયંતી મહા સુદ સાતમે આવે છે. ગઈકાલે નર્મદા જયંતી નિમીત્તે અનેક ભક્તો નર્મદા નદીની પૂજા કરતા હોય છે તો કોઈ નદીમાં આસ્થાની ડુબકી લગાવે છે. નદીમાં ફુલ, કંકુ, હળદર જેવી સામગ્રી અર્પણ કરવામાં આવે છે. મધ્યપ્રદેશના અમરકંટકને નર્મદાનું ઉદગમ સ્થાન માનવામાં આવે છે. ત્યારે ગઈકાલે નર્મદા જયંતી નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી હતી. માંગરોળમાં શ્રદ્ધાળુઓએ નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. નર્મદા નદીને સાડી અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. 

image



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.