આ દિવસે ઉજવાય છે નર્મદા જયંતી, જાણો નર્મદા નદીના ઉત્પત્તિની ગાથા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-19 17:38:48

આપણા હિંદુ ધર્મમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નદીને, ગાયને આપણે માતા માનીએ છીએ. ગંગા, યમુના, સરસ્વતી સહિતની તમામ નદીઓને આપણે ત્યાં પૂજ્ય માનવામાં આવે છે. ત્યારે ભારતમાં નર્મદા જયંતીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીના રોજ દેવી નર્મદાની ઉત્પતિ થઈ હતી. 

Origin of the Narmada River - Sadhana Weekly - Gujarati Magazine

ભારતમાં નર્મદા જયંતી પર્વને ખૂબ જ મહત્વનો પર્વ માનવામાં આવે છે. આ દિવસ દરમિયાન નર્મદા નદીની પૂજા કરવામાં આવે છે. નર્મદા નદીના ઉત્પત્તિ કેન્દ્ર એવા અમરકંટકમાં આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. નર્મદા નદીને રેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે 28 જાન્યુઆરીના રોજ નર્મદા જયંતી આવી રહી છે.  


અમરકંટક પર થાય છે વિશેષ પૂજાનું આયોજન 

હિંદુ ધર્મમાં નદીમાં સ્નાન કરવાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ગંગામાં સ્નાનનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ નર્મદા નદીમાં સ્નાન કરવાનું છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીના રોજ દેવી નર્મદાની ઉત્પતિ થઈ હતી.  આ દિવસે નર્મદા નદીના ઘાટ પર વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં પણ નર્મદા નદીનો ઉલ્લેખ મળતો આવે છે. માર્કન્ડેય મુનિના અનુસાર નર્મદા નદીના કણ કણમાં ભગવાન શિવનો વાસ રહેલો છે. એવું પણ કહેવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી, નર્મદાના દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે જ્યારે તાપીના  સ્મરણમાત્રથી પાપમાંથી મુક્તિ મળે છે. 


ઉત્પતિની અલગ અલગ મળે છે કથા 

નર્મદા નદીની ઉત્પતિના અલગ અલગ ઉલ્લેખો આપણને  મળે છે. એક પ્રચલિત કથા અનુસાર તપસ્યા કરવા ભગવાન શંકર મૈકલ પર્વત પહોંચ્યા હતા. તપ દરમિયાન તેમના પરસેવાના એક ટિપાથી આ પર્વત પર કુંડ બની ગયો હતો. આ કુંડમાંથી એક દીકરીનો જન્મ થયો. ભોલેનાથના આદેશ અનુસાર આ દીકરીને આપણે નર્મદા નદીના નામે જાણીએ છીએ. નદી રવ એટલે અવાજ કરતી વહેવા લાગી એટલે તેને રેવતી પણ કહેવામાં આવે છે.




વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.