આ દિવસે ઉજવાય છે નર્મદા જયંતી, જાણો નર્મદા નદીના ઉત્પત્તિની ગાથા


  • Published By :
  • Published Date : 2023-01-19 17:38:48

આપણા હિંદુ ધર્મમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નદીને, ગાયને આપણે માતા માનીએ છીએ. ગંગા, યમુના, સરસ્વતી સહિતની તમામ નદીઓને આપણે ત્યાં પૂજ્ય માનવામાં આવે છે. ત્યારે ભારતમાં નર્મદા જયંતીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીના રોજ દેવી નર્મદાની ઉત્પતિ થઈ હતી. 

Origin of the Narmada River - Sadhana Weekly - Gujarati Magazine

ભારતમાં નર્મદા જયંતી પર્વને ખૂબ જ મહત્વનો પર્વ માનવામાં આવે છે. આ દિવસ દરમિયાન નર્મદા નદીની પૂજા કરવામાં આવે છે. નર્મદા નદીના ઉત્પત્તિ કેન્દ્ર એવા અમરકંટકમાં આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. નર્મદા નદીને રેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે 28 જાન્યુઆરીના રોજ નર્મદા જયંતી આવી રહી છે.  


અમરકંટક પર થાય છે વિશેષ પૂજાનું આયોજન 

હિંદુ ધર્મમાં નદીમાં સ્નાન કરવાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ગંગામાં સ્નાનનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ નર્મદા નદીમાં સ્નાન કરવાનું છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીના રોજ દેવી નર્મદાની ઉત્પતિ થઈ હતી.  આ દિવસે નર્મદા નદીના ઘાટ પર વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં પણ નર્મદા નદીનો ઉલ્લેખ મળતો આવે છે. માર્કન્ડેય મુનિના અનુસાર નર્મદા નદીના કણ કણમાં ભગવાન શિવનો વાસ રહેલો છે. એવું પણ કહેવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી, નર્મદાના દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે જ્યારે તાપીના  સ્મરણમાત્રથી પાપમાંથી મુક્તિ મળે છે. 


ઉત્પતિની અલગ અલગ મળે છે કથા 

નર્મદા નદીની ઉત્પતિના અલગ અલગ ઉલ્લેખો આપણને  મળે છે. એક પ્રચલિત કથા અનુસાર તપસ્યા કરવા ભગવાન શંકર મૈકલ પર્વત પહોંચ્યા હતા. તપ દરમિયાન તેમના પરસેવાના એક ટિપાથી આ પર્વત પર કુંડ બની ગયો હતો. આ કુંડમાંથી એક દીકરીનો જન્મ થયો. ભોલેનાથના આદેશ અનુસાર આ દીકરીને આપણે નર્મદા નદીના નામે જાણીએ છીએ. નદી રવ એટલે અવાજ કરતી વહેવા લાગી એટલે તેને રેવતી પણ કહેવામાં આવે છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.