Narmada:કેવડિયામાં મ્યુઝિયમમાં કામ કરતા યુવકોને માર મારતા મોત, Chaitar Vasava અને Mansukh Vasavaએ કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-08-08 17:43:47

નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની નજીક ગરુડેશ્વર ખાતે બનતું આદિવાસી મ્યુઝિયમ વિશ્વ આદિવાસી દિવસના એદ દિવસ પહેલાં  વિવાદમાં આવ્યું છે. મ્યુઝિયમમાં કામ કરતાં 6 શખ્સોએ મોડી રાત્રે બે યુવાનોને એટલા માર્યા કે તેમના મૃત્યુ થઈ ગયા છે. આખી વાત એમ છે કે ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામે નીચલા ફળિયામાં રહેતો જયેશ તડવી અને ગભાણા ગામે નીચલા ફળિયામાં રહેતા સંજય તડવી બંને ગઇરાત્રે આદિવાસી મ્યુઝિયમમાં ગયા હતાં. આ વખતે બંને ચોરી કરવા માટે આવ્યા છે તેવી શંકા રાખી મ્યુઝિયમમાં કામ કરતાં કર્મચારીઓએ બંનેને પકડી લઈ હાથ બાંધી દીધા અને ઢોરની જેમ માર્યા.

શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના બાદ બંનેને સારવાર માટે ગરૂડેશ્વરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સારવાર દરમિયાન જયેશ તડવીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગરૂડેશ્વર પોલીસ તેમજ નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્યો પણ હોસ્પિટલ દોડી ગયા અને ત્યાં ચૈતર વસાવા સહિત એમના સમર્થકોએ હોબાળો કર્યો. હકીકતમાં જે બીજો છોકરો હતો સંજય તડવીએ પોલીસ સાથે વાત કરતાં કહ્યું કે  હું અને મારો મૃત મિત્ર જયેશ બંને મ્યુઝિયમની ખુલ્લી જગ્યામાં લોખંડના સળિયા પડયા  હતાં તેના ટુકડા ભંગારમાં વેચીને પૈસા મળશે તેવી લાલચમાં ચોરી કરવાનું વિચારીને ત્યાં ગયા હતા. ત્યારે હુમલાખોરોએ અમને ઝડપી પાડી જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી હુમલો કર્યો હતો. 

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી ટ્વિટ

હવે સવાલ એ થાય છે કે એ યુવાનો ચોરી કરવા ગયા એ ખોટી વાત છે પણ સામે વાળા વ્યક્તિને આ અધિકાર કોણે આપ્યો કે એ લોકોને આ રીતે મારે કે એ મરી જાય? આ મુદ્દે ભરૂચના સાંસદે પણ ટ્વીટ કરીને કાર્યવાહી કરવાની વાત કરી છે. ઘટનામાં બુધવારે મૃત્યુ પામનાર જયેશભાઈ શનાભાઈ તડવીને કંપની તરફથી 20 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે. જ્યારે આજે મૃત્યુ પામનાર સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને પહેલાં 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. બાકીના 15 લાખ રૂપિયા ચુકવવાની કાર્યવાહી ચાલુ જ છે. 



આ મુદ્દે રાજનીતિ થાય છે કે પછી...

ચૈતર વસાવા અને તેમના સાગરિતો આ ઘટનાને રાજકીય મુદ્દો બનાવે છે, તે ખરેખર ન બનાવવો જોઈએ. આ એક સંવેદનાનો વિષય છે. તેમાં બધાએ સાથે મળીને ભોગ બનનારા વ્યક્તિઓની મદદ માટે આગળ આવવું જોઈએ. અમે લોકો આ ઘટનાને લઈને ખુબ જ દુઃખી છીએ. મૃતકોના પરિવારને ન્યાય મળે તે માટેની કાર્યવાહી પણ ચાલુ જ છે. મૃતકોના આત્મા ને શાંતિ મળે એના માટે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. તો હવે ખરેખર આ ઘટનામાં કાર્યવાહી થાય છે કે પછી રાજનીતિ એ જોવાનું રહ્યું..  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.