Narmada:કેવડિયામાં મ્યુઝિયમમાં કામ કરતા યુવકોને માર મારતા મોત, Chaitar Vasava અને Mansukh Vasavaએ કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-08-08 17:43:47

નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની નજીક ગરુડેશ્વર ખાતે બનતું આદિવાસી મ્યુઝિયમ વિશ્વ આદિવાસી દિવસના એદ દિવસ પહેલાં  વિવાદમાં આવ્યું છે. મ્યુઝિયમમાં કામ કરતાં 6 શખ્સોએ મોડી રાત્રે બે યુવાનોને એટલા માર્યા કે તેમના મૃત્યુ થઈ ગયા છે. આખી વાત એમ છે કે ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામે નીચલા ફળિયામાં રહેતો જયેશ તડવી અને ગભાણા ગામે નીચલા ફળિયામાં રહેતા સંજય તડવી બંને ગઇરાત્રે આદિવાસી મ્યુઝિયમમાં ગયા હતાં. આ વખતે બંને ચોરી કરવા માટે આવ્યા છે તેવી શંકા રાખી મ્યુઝિયમમાં કામ કરતાં કર્મચારીઓએ બંનેને પકડી લઈ હાથ બાંધી દીધા અને ઢોરની જેમ માર્યા.

શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના બાદ બંનેને સારવાર માટે ગરૂડેશ્વરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સારવાર દરમિયાન જયેશ તડવીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગરૂડેશ્વર પોલીસ તેમજ નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્યો પણ હોસ્પિટલ દોડી ગયા અને ત્યાં ચૈતર વસાવા સહિત એમના સમર્થકોએ હોબાળો કર્યો. હકીકતમાં જે બીજો છોકરો હતો સંજય તડવીએ પોલીસ સાથે વાત કરતાં કહ્યું કે  હું અને મારો મૃત મિત્ર જયેશ બંને મ્યુઝિયમની ખુલ્લી જગ્યામાં લોખંડના સળિયા પડયા  હતાં તેના ટુકડા ભંગારમાં વેચીને પૈસા મળશે તેવી લાલચમાં ચોરી કરવાનું વિચારીને ત્યાં ગયા હતા. ત્યારે હુમલાખોરોએ અમને ઝડપી પાડી જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી હુમલો કર્યો હતો. 

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી ટ્વિટ

હવે સવાલ એ થાય છે કે એ યુવાનો ચોરી કરવા ગયા એ ખોટી વાત છે પણ સામે વાળા વ્યક્તિને આ અધિકાર કોણે આપ્યો કે એ લોકોને આ રીતે મારે કે એ મરી જાય? આ મુદ્દે ભરૂચના સાંસદે પણ ટ્વીટ કરીને કાર્યવાહી કરવાની વાત કરી છે. ઘટનામાં બુધવારે મૃત્યુ પામનાર જયેશભાઈ શનાભાઈ તડવીને કંપની તરફથી 20 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે. જ્યારે આજે મૃત્યુ પામનાર સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને પહેલાં 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. બાકીના 15 લાખ રૂપિયા ચુકવવાની કાર્યવાહી ચાલુ જ છે. 



આ મુદ્દે રાજનીતિ થાય છે કે પછી...

ચૈતર વસાવા અને તેમના સાગરિતો આ ઘટનાને રાજકીય મુદ્દો બનાવે છે, તે ખરેખર ન બનાવવો જોઈએ. આ એક સંવેદનાનો વિષય છે. તેમાં બધાએ સાથે મળીને ભોગ બનનારા વ્યક્તિઓની મદદ માટે આગળ આવવું જોઈએ. અમે લોકો આ ઘટનાને લઈને ખુબ જ દુઃખી છીએ. મૃતકોના પરિવારને ન્યાય મળે તે માટેની કાર્યવાહી પણ ચાલુ જ છે. મૃતકોના આત્મા ને શાંતિ મળે એના માટે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. તો હવે ખરેખર આ ઘટનામાં કાર્યવાહી થાય છે કે પછી રાજનીતિ એ જોવાનું રહ્યું..  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.