નાસાએ ફરી એકવાર સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું મિશન કર્યું કેન્સલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-13 19:19:39

સુનિતા વિલિયમ્સ કે જેઓ ગુજરાતના દીકરી છે , તેમને લઇને એક નવા સમાચાર સામે આવ્યા છે નાસા અને સ્પેસએક્સએ તેમને પૃથ્વી પર પરત લાવવાનું મિશન ફરી એક વાર કેન્સલ કર્યું છે . નાસાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અવકાશયાત્રીઓને પરત લાવવા ક્રીયુ - ૧૦ નામનું મિશન અટકાવી દીધું છે . તો આવો જાણીએ  શું કામ ફરીએક વાર અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવામાં વાર થાય તેમ છે .

After nine months in space, NASA astronauts Sunita Williams, Barry Wilmore  to return from ISS on this day - After nine months in space, NASA  astronauts Sunita Williams, Barry Wilmore to return


ગુજરાતના દીકરી એવા સુનિતા વિલિયમ્સ કે જેઓ છેલ્લા આઠ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં  છે , તેમને પૃથ્વી પર પરત લાવવા નાસાએ યુએસના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટર પરથી સ્પેસએક્સ નામનું રોકેટ લોન્ચ કરવાનો નિર્ણય લીધો હતો . જોકે, રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામીને કારણે મિશન મુલતવી રાખવામાં આવ્યું છે .  આપને જણાવી દઈએ  બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ છેલ્લા આઠ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. તેઓ જૂન 2024માં ત્યાં પહોંચ્યા હતા. તેમને ત્યાં ફક્ત એક અઠવાડિયા માટે રોકાવાનું હતું. આ બંને અવકાશયાત્રીઓ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા ISS પહોંચ્યા હતા. સપ્ટેમ્બરમાં અવકાશયાન કોઈપણ ક્રૂ વિના પૃથ્વી પર પાછું ફર્યું હતું .  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જાન્યુઆરીમાં પ્લેટફોર્મ X  પર લખ્યું હતું: મેં મસ્કને આ બે 'બહાદુર અવકાશયાત્રીઓ'ને પાછા લાવવા કહ્યું છે. આમને બાઈડન વહીવટીતંત્ર દ્વારા અવકાશમાં છોડવામાં આવ્યા છે. તેઓ ઘણા મહિનાઓથી અવકાશ મથક પર રાહ જોઈ રહ્યા છે. મસ્ક ટૂંક સમયમાં આના પર કામ શરૂ કરશે. આશા છે કે બધા સુરક્ષિત હશે.

Donald Trump - Wikipedia



સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર એકલા એવા અવકાશયાત્રી નથી જે આટલા લાંબા સમય સુધી અવકાશમાં અટવાયેલા છે . ફ્રેન્ક રુબીઓ કે જેઓ ૨૦૨૨માં ISS પર પહોંચ્યા હતા તેઓ કુલ ૩૭૧ દિવસ પછી ઓક્ટોબર ૨૦૨૩માં પાછા ફર્યા હતા . જો આપણું શરીર લાંબા સમય સુધી અવકાશમાં રહે તો , આપણા હાડકા અને સ્નાયુઓમાં પોલાણ વધતું જાય છે . અવકાશયાત્રી જયારે પૃથ્વી પર પાછા ફરે ત્યારે , આ હાડકામાં અને સ્નાયુમાં પોલાણ ઘટતા ૪ વર્ષ જેવો સમય લાગી જાય છે . જોકે આ સમસ્યાના સમાધાન રૂપે અવકાશયાત્રીઓએ  રોજ બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઈઝ  કરવી પડે છે . 

ઝીરો ગ્રેવિટીથી અવકાશયાત્રીઓનું વજન પણ ઘટે છે અને દ્રષ્ટિમાં પણ ખામી સર્જાય છે . 

તો હવે જોવાનું એ છે કે , સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ક્યારે પૃથ્વી પર પાછા ફરે છે ?




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.