નાસાએ ફરી એકવાર સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું મિશન કર્યું કેન્સલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-13 19:19:39

સુનિતા વિલિયમ્સ કે જેઓ ગુજરાતના દીકરી છે , તેમને લઇને એક નવા સમાચાર સામે આવ્યા છે નાસા અને સ્પેસએક્સએ તેમને પૃથ્વી પર પરત લાવવાનું મિશન ફરી એક વાર કેન્સલ કર્યું છે . નાસાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અવકાશયાત્રીઓને પરત લાવવા ક્રીયુ - ૧૦ નામનું મિશન અટકાવી દીધું છે . તો આવો જાણીએ  શું કામ ફરીએક વાર અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવામાં વાર થાય તેમ છે .

After nine months in space, NASA astronauts Sunita Williams, Barry Wilmore  to return from ISS on this day - After nine months in space, NASA  astronauts Sunita Williams, Barry Wilmore to return


ગુજરાતના દીકરી એવા સુનિતા વિલિયમ્સ કે જેઓ છેલ્લા આઠ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં  છે , તેમને પૃથ્વી પર પરત લાવવા નાસાએ યુએસના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટર પરથી સ્પેસએક્સ નામનું રોકેટ લોન્ચ કરવાનો નિર્ણય લીધો હતો . જોકે, રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામીને કારણે મિશન મુલતવી રાખવામાં આવ્યું છે .  આપને જણાવી દઈએ  બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ છેલ્લા આઠ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. તેઓ જૂન 2024માં ત્યાં પહોંચ્યા હતા. તેમને ત્યાં ફક્ત એક અઠવાડિયા માટે રોકાવાનું હતું. આ બંને અવકાશયાત્રીઓ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા ISS પહોંચ્યા હતા. સપ્ટેમ્બરમાં અવકાશયાન કોઈપણ ક્રૂ વિના પૃથ્વી પર પાછું ફર્યું હતું .  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જાન્યુઆરીમાં પ્લેટફોર્મ X  પર લખ્યું હતું: મેં મસ્કને આ બે 'બહાદુર અવકાશયાત્રીઓ'ને પાછા લાવવા કહ્યું છે. આમને બાઈડન વહીવટીતંત્ર દ્વારા અવકાશમાં છોડવામાં આવ્યા છે. તેઓ ઘણા મહિનાઓથી અવકાશ મથક પર રાહ જોઈ રહ્યા છે. મસ્ક ટૂંક સમયમાં આના પર કામ શરૂ કરશે. આશા છે કે બધા સુરક્ષિત હશે.

Donald Trump - Wikipedia



સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર એકલા એવા અવકાશયાત્રી નથી જે આટલા લાંબા સમય સુધી અવકાશમાં અટવાયેલા છે . ફ્રેન્ક રુબીઓ કે જેઓ ૨૦૨૨માં ISS પર પહોંચ્યા હતા તેઓ કુલ ૩૭૧ દિવસ પછી ઓક્ટોબર ૨૦૨૩માં પાછા ફર્યા હતા . જો આપણું શરીર લાંબા સમય સુધી અવકાશમાં રહે તો , આપણા હાડકા અને સ્નાયુઓમાં પોલાણ વધતું જાય છે . અવકાશયાત્રી જયારે પૃથ્વી પર પાછા ફરે ત્યારે , આ હાડકામાં અને સ્નાયુમાં પોલાણ ઘટતા ૪ વર્ષ જેવો સમય લાગી જાય છે . જોકે આ સમસ્યાના સમાધાન રૂપે અવકાશયાત્રીઓએ  રોજ બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઈઝ  કરવી પડે છે . 

ઝીરો ગ્રેવિટીથી અવકાશયાત્રીઓનું વજન પણ ઘટે છે અને દ્રષ્ટિમાં પણ ખામી સર્જાય છે . 

તો હવે જોવાનું એ છે કે , સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ક્યારે પૃથ્વી પર પાછા ફરે છે ?




Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.