નાસાએ ફરી એકવાર સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું મિશન કર્યું કેન્સલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-13 19:19:39

સુનિતા વિલિયમ્સ કે જેઓ ગુજરાતના દીકરી છે , તેમને લઇને એક નવા સમાચાર સામે આવ્યા છે નાસા અને સ્પેસએક્સએ તેમને પૃથ્વી પર પરત લાવવાનું મિશન ફરી એક વાર કેન્સલ કર્યું છે . નાસાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અવકાશયાત્રીઓને પરત લાવવા ક્રીયુ - ૧૦ નામનું મિશન અટકાવી દીધું છે . તો આવો જાણીએ  શું કામ ફરીએક વાર અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવામાં વાર થાય તેમ છે .

After nine months in space, NASA astronauts Sunita Williams, Barry Wilmore  to return from ISS on this day - After nine months in space, NASA  astronauts Sunita Williams, Barry Wilmore to return


ગુજરાતના દીકરી એવા સુનિતા વિલિયમ્સ કે જેઓ છેલ્લા આઠ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં  છે , તેમને પૃથ્વી પર પરત લાવવા નાસાએ યુએસના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટર પરથી સ્પેસએક્સ નામનું રોકેટ લોન્ચ કરવાનો નિર્ણય લીધો હતો . જોકે, રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામીને કારણે મિશન મુલતવી રાખવામાં આવ્યું છે .  આપને જણાવી દઈએ  બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ છેલ્લા આઠ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. તેઓ જૂન 2024માં ત્યાં પહોંચ્યા હતા. તેમને ત્યાં ફક્ત એક અઠવાડિયા માટે રોકાવાનું હતું. આ બંને અવકાશયાત્રીઓ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા ISS પહોંચ્યા હતા. સપ્ટેમ્બરમાં અવકાશયાન કોઈપણ ક્રૂ વિના પૃથ્વી પર પાછું ફર્યું હતું .  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જાન્યુઆરીમાં પ્લેટફોર્મ X  પર લખ્યું હતું: મેં મસ્કને આ બે 'બહાદુર અવકાશયાત્રીઓ'ને પાછા લાવવા કહ્યું છે. આમને બાઈડન વહીવટીતંત્ર દ્વારા અવકાશમાં છોડવામાં આવ્યા છે. તેઓ ઘણા મહિનાઓથી અવકાશ મથક પર રાહ જોઈ રહ્યા છે. મસ્ક ટૂંક સમયમાં આના પર કામ શરૂ કરશે. આશા છે કે બધા સુરક્ષિત હશે.

Donald Trump - Wikipedia



સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર એકલા એવા અવકાશયાત્રી નથી જે આટલા લાંબા સમય સુધી અવકાશમાં અટવાયેલા છે . ફ્રેન્ક રુબીઓ કે જેઓ ૨૦૨૨માં ISS પર પહોંચ્યા હતા તેઓ કુલ ૩૭૧ દિવસ પછી ઓક્ટોબર ૨૦૨૩માં પાછા ફર્યા હતા . જો આપણું શરીર લાંબા સમય સુધી અવકાશમાં રહે તો , આપણા હાડકા અને સ્નાયુઓમાં પોલાણ વધતું જાય છે . અવકાશયાત્રી જયારે પૃથ્વી પર પાછા ફરે ત્યારે , આ હાડકામાં અને સ્નાયુમાં પોલાણ ઘટતા ૪ વર્ષ જેવો સમય લાગી જાય છે . જોકે આ સમસ્યાના સમાધાન રૂપે અવકાશયાત્રીઓએ  રોજ બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઈઝ  કરવી પડે છે . 

ઝીરો ગ્રેવિટીથી અવકાશયાત્રીઓનું વજન પણ ઘટે છે અને દ્રષ્ટિમાં પણ ખામી સર્જાય છે . 

તો હવે જોવાનું એ છે કે , સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ક્યારે પૃથ્વી પર પાછા ફરે છે ?




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.