નસવાડી : આ દ્રશ્યો જોઈ તમે કહેશો ગામ બદલાય છે પરિસ્થિતિ નથી બદલાતી! મહિલાને પ્રસુતિના સમયે આ રીતે લઈ જવા લોકો મજબૂર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-05 11:51:36

વિકસીત ગુજરાત આ શબ્દ આપણે અનેક વખત સાંભળતા હોઈએ છીએ..  પરંતુ આ શબ્દ જ્યારે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો સાંભળતા હશે ત્યારે તેમને સવાલ થતો હશે કે આ વિકાસ એટલું શું? આવો સવાલ તેમના દિમાગમાં થવો એટલા માટે પણ કદાચ સ્વાભાવિક છે કારણ કે અંતરિયાળ વિસ્તારની પરિસ્થિતિ હજી નથી બદલાઈ... અનેક વીડિયો આપણી સામે છે જેમાં હોસ્પિટલ ખસેડવા માટે ઝોળીનો સહારો લેવો પડતો હોય છે.. અનેક વખત આવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે ત્યારે નસવાડીથી પણ આવો વીડિયો સામે આવ્યો છે જેમાં દર્દીને ઝોળીના સહારે લઈ જવામાં આવે છે. 

ગામડાઓ બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી!

અમે અનેક વખત અંતરિયાળ વિસ્તારની પરિસ્થિતિ બતાવતા હોઈએ છીએ જેમાં રસ્તો સારો ન હોવાને કારણે હોસ્પિટલ લઈ જવામાં અગવડ પડે છે... એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી જેને કારણે ઝોળીમાં દર્દીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા પડે છે...  જીવ બચાવવા માટે દર્દીના જીવને જોખમમાં મૂકવો પડે છે અનેક વખત! ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તાર એવા  છે જ્યાંની પરિસ્થિતિ આવી જ છે, માત્ર ગામ બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી જ રહે છે... જો અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને વિકાસ શું છે તેવું પૂછવામાં આવે તો તેમને પ્રશ્ન થાય કે વિકાસ શું હોય? વિકાસની ખબર એટલા માટે નથી થતી કારણ કે વિકાસ તેમની સુધી આટલા સમય બાદ પણ નથી પહોંચ્યો.       

 

જીવના જોખમે દર્દીને ખસેડાયા એમ્બ્યુલન્સ સુધી  

વિકાસ એ શું હોય? આ ગામના લોકોને વિકાસ એ શું એ ખબર નથી કારણકે ત્યાં વિકાસ પહોંચ્યો નથી અને આવા તો ગુજરાતમાં અનેક ગામડાઓ છે. જે વીડિયો સામે આવ્યો છે તે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુંડા ગામનો છે. મળતી માહિતી અનુસાર ફળિયાની સગર્ભા અર્મિલાબેનને પ્રસૂતિનો દુખાવો ઉપડતાં તેમને ગામના કાચા રસ્તે ઝોળી કરીને લઈ જવા પડ્યા કારણકે  108 આવી શકે તેવા રસ્તા જ ન હતા... ઝોળી બનાવી અંદર સૂવડાવી ઉંચકીને નિશાના ગામ સુધી લઇ જવા પડ્યા ત્યાં સગર્ભાએ રાત્રે બાળકને જન્મ આપ્યો હતો. સવારમાં બાળકને ગુમડા જેવું હોઇ નસવાડી બતાવવા લાવ્યા હતા. પછી ખિલખિલાટ વાન મહિલાને નિશાના ગામ સુધી મુકવા આવી હતી. ત્યાંથી ફરી માતા બાળક ને પરિવારજનો બાઈક પર ઘરે લાવ્યા હતા. 


આવા દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય કે... 

મહત્વનું છે કે આમ આઝાદીના વર્ષો વીત્યા બાદ પણ હજુ જો અહિયાં રસ્તા નથી પહોંચ્યા તો આપણે કયા વિકાસની વાતો કરી રહ્યા છીએ? ગુજરાતને આપણે વિકસીત રાજ્ય માનીએ છીએ, દેશ વિદેશોમાં ડંકો પણ વગાડીએ છીએ પરંતુ જ્યારે આવા વીડિયો સામે આવે છે ત્યારે વિચાર આવે કે શું સાચે આખા ગુજરાતમાં વિકાસ થઈ ગયો છે..? ગુજરાતમાં વિકાસ થયો છે તેની ના નથી પરંતુ જ્યારે આવા વીડિયો સામે આવે છે ત્યારે વિકાસની કરવામાં આવતી વાતો, જાહેરાત પર અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો મનમાં પ્રશ્ન કરતા હશે કે શું આવા અંતરિયાળ વિસ્તાર ગુજરાતમાં નથી આવતા?   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.