નસવાડી : આ દ્રશ્યો જોઈ તમે કહેશો ગામ બદલાય છે પરિસ્થિતિ નથી બદલાતી! મહિલાને પ્રસુતિના સમયે આ રીતે લઈ જવા લોકો મજબૂર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-05 11:51:36

વિકસીત ગુજરાત આ શબ્દ આપણે અનેક વખત સાંભળતા હોઈએ છીએ..  પરંતુ આ શબ્દ જ્યારે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો સાંભળતા હશે ત્યારે તેમને સવાલ થતો હશે કે આ વિકાસ એટલું શું? આવો સવાલ તેમના દિમાગમાં થવો એટલા માટે પણ કદાચ સ્વાભાવિક છે કારણ કે અંતરિયાળ વિસ્તારની પરિસ્થિતિ હજી નથી બદલાઈ... અનેક વીડિયો આપણી સામે છે જેમાં હોસ્પિટલ ખસેડવા માટે ઝોળીનો સહારો લેવો પડતો હોય છે.. અનેક વખત આવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે ત્યારે નસવાડીથી પણ આવો વીડિયો સામે આવ્યો છે જેમાં દર્દીને ઝોળીના સહારે લઈ જવામાં આવે છે. 

ગામડાઓ બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી!

અમે અનેક વખત અંતરિયાળ વિસ્તારની પરિસ્થિતિ બતાવતા હોઈએ છીએ જેમાં રસ્તો સારો ન હોવાને કારણે હોસ્પિટલ લઈ જવામાં અગવડ પડે છે... એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી જેને કારણે ઝોળીમાં દર્દીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા પડે છે...  જીવ બચાવવા માટે દર્દીના જીવને જોખમમાં મૂકવો પડે છે અનેક વખત! ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તાર એવા  છે જ્યાંની પરિસ્થિતિ આવી જ છે, માત્ર ગામ બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી જ રહે છે... જો અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને વિકાસ શું છે તેવું પૂછવામાં આવે તો તેમને પ્રશ્ન થાય કે વિકાસ શું હોય? વિકાસની ખબર એટલા માટે નથી થતી કારણ કે વિકાસ તેમની સુધી આટલા સમય બાદ પણ નથી પહોંચ્યો.       

 

જીવના જોખમે દર્દીને ખસેડાયા એમ્બ્યુલન્સ સુધી  

વિકાસ એ શું હોય? આ ગામના લોકોને વિકાસ એ શું એ ખબર નથી કારણકે ત્યાં વિકાસ પહોંચ્યો નથી અને આવા તો ગુજરાતમાં અનેક ગામડાઓ છે. જે વીડિયો સામે આવ્યો છે તે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુંડા ગામનો છે. મળતી માહિતી અનુસાર ફળિયાની સગર્ભા અર્મિલાબેનને પ્રસૂતિનો દુખાવો ઉપડતાં તેમને ગામના કાચા રસ્તે ઝોળી કરીને લઈ જવા પડ્યા કારણકે  108 આવી શકે તેવા રસ્તા જ ન હતા... ઝોળી બનાવી અંદર સૂવડાવી ઉંચકીને નિશાના ગામ સુધી લઇ જવા પડ્યા ત્યાં સગર્ભાએ રાત્રે બાળકને જન્મ આપ્યો હતો. સવારમાં બાળકને ગુમડા જેવું હોઇ નસવાડી બતાવવા લાવ્યા હતા. પછી ખિલખિલાટ વાન મહિલાને નિશાના ગામ સુધી મુકવા આવી હતી. ત્યાંથી ફરી માતા બાળક ને પરિવારજનો બાઈક પર ઘરે લાવ્યા હતા. 


આવા દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય કે... 

મહત્વનું છે કે આમ આઝાદીના વર્ષો વીત્યા બાદ પણ હજુ જો અહિયાં રસ્તા નથી પહોંચ્યા તો આપણે કયા વિકાસની વાતો કરી રહ્યા છીએ? ગુજરાતને આપણે વિકસીત રાજ્ય માનીએ છીએ, દેશ વિદેશોમાં ડંકો પણ વગાડીએ છીએ પરંતુ જ્યારે આવા વીડિયો સામે આવે છે ત્યારે વિચાર આવે કે શું સાચે આખા ગુજરાતમાં વિકાસ થઈ ગયો છે..? ગુજરાતમાં વિકાસ થયો છે તેની ના નથી પરંતુ જ્યારે આવા વીડિયો સામે આવે છે ત્યારે વિકાસની કરવામાં આવતી વાતો, જાહેરાત પર અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો મનમાં પ્રશ્ન કરતા હશે કે શું આવા અંતરિયાળ વિસ્તાર ગુજરાતમાં નથી આવતા?   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે