નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મોટી કાર્યવાહી, યંગ ઈન્ડિયાની 751 કરોડની સંપત્તિ જપ્ત, સોનિયા-રાહુલનો 76% હિસ્સો


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-21 19:50:15

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની કરોડો રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે. ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત રૂ. 751.9 કરોડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. મની લોન્ડરિંગ સાથે સંબંધીત કેસમાં કોંગ્રેસ સાથે જોડાયેલા યંગ ઈન્ડિયા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કંપનીમાં સોનિયા-રાહુલની 76% ભાગીદારી છે.


યંગ ઈન્ડિયાની ઓફિસ સીલ કરી હતી


આ કેસમાં EDએ 3 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા કંપનીની ઓફિસને સીલ કરી દીધી હતી. 2 અને 3 ઓગસ્ટના રોજ EDની ટીમે દિલ્હી, મુંબઈ અને કોલકાતા સહિત નેશનલ હેરાલ્ડના 16 સ્થળોએ સવારથી મોડી સાંજ સુધી દરોડા પાડ્યા હતા. સોનિયા અને રાહુલની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.


સોનિયા અને રાહુલ ગાંધીની કરી હતી પૂછપરછ 


ઉલ્લેખનિય છે કે એજન્સી આ મામલે સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કહ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિઓમાં એજીએલની દિલ્હી, મુંબઈ અને લખનૌ સહિત ઘણી જગ્યાએ મિલકતો છે. તેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. EDએ કહ્યું કે યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ રૂપિયા છે.



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.