ચૂંટણી ટાણે નૌતમ સ્વામીનો બફાટ, 'આંખ મીંચીને ભાજપને મત આપજો’,વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-09 13:17:42

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીયપક્ષોના નેતાઓએ તેમનું પ્રયાર અભિયાન જોરશોરથી શરૂ કર્યું છે. હવે આ નેતાઓની ભીડમાં ધર્મગુરૂઓ પણ જોડાયા છે.  છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામીએ આ વખતે હિન્દુઓને આંખ બંધ કરીને ભાજપ માટે વોટ આપવાની અપીલ કરતા હડકંપ મચી ગયો છે. નૌતમ સ્વામીનો આ વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.   

નૌતમ સ્વામીએ લોકોને શું અપીલ કરી? 


નૌતમ સ્વામીએ એક કાર્યક્રમમાં સ્પષ્ટપણે હિંદુઓને હિંદુવાદી પાર્ટીને જ મત આપવાની અપીલ કરી હતી. નૌતમ સ્વામીનો ઈશારો સ્પષ્ટપણે ભાજપ તરફ હતો. તેમણે ભાજપના વિવિધ ધાર્મીક એજન્ડાની પ્રશંસા કરી હતી. તેમણે જાહેJમાં કહ્યું હતું કે, "ભાજપના રાજના કારણે હિન્દુઓ આજે ગર્વથી મસ્તક ઊંચું રાખીને ફરી શકે છે. કાશી વિશ્વનાથનું મંદિર 500 ફૂટમાં હતું. 5 લાખ સ્ક્વેર ફૂટનું કરવાનું કામ વિક્રમાદિત્ય અને રાજા રણજિતસિંહ પછી કોઇએ કર્યું હોય તો તે માનનીય નરેન્દ્રભાઇએ કર્યુ છે. કેદારનાથનું ક્ષતિગ્રસ્ત થયેલું મંદિર એનો અબજો રુપિયાનો પ્લાન કોઇ હેરીડીટરી( વંશાનુગત)માં જન્મેલો રાજા ન કરી શકે તેવું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. સોમનાથનો વિકાસ હોય, અંબાજીનો વિકાસ હોય, ગીરનારનો વિકાસ હોય પાલિતાણાનો વિકાસ હોય, ડાકોરજીનો વિકાસ હોય કે શ્રી દ્વારિકાજીનો વિકાસ હોય શ્રી રામજન્મભૂમિ પરનું ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બધા પવિત્ર કામો નરેન્દ્રભાઇના હાથે થઇ રહ્યા છે. આવનારી શતાબ્દીએ હિંદુઓની શતાબ્દી છે એટલે યાદ રાખીને જેટલા હિંદુ હોય એમને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો નાના મોટા સ્વાર્થ ભૂલવા, મને મળ્યું ન મળ્યું એ ભૂલવું રસ્તો બન્યો ન બન્યો, લાઇટ ગઇ આવી એમાં ન પડવું. પડવું તો એ માત્ર હિંદુત્વના માર્ગે પડવું. હું તેમને આવી ખાસ અપીલ કરું છું."


હાર્દિક પટેલને હિંદુવાદી પાર્ટીમાં જોડાવાની સલાહ આપી હતી


નૌતમ સ્વામી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંત છે, તેઓ વડતાલધામના શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ અને શ્રી અખિલ ભારતીય સંત સમિતિ-ગુજરાતના પણ અધ્યક્ષ છે. આ પહેલા પણ તેઓ હિંદુવાદી પાર્ટીની પ્રસંશા કરી ચુક્યા છે. તેમણે હાર્દિક પટેલને પણ હિંદુવાદી પાર્ટીમાં જોડાવાની સલાહ આપી હતી. વિરમગામમાં હાર્દિક પટેલના પિતાના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નૌતમ સ્વામીએ હાર્દિક પટેલને સલાહ આપતા કહ્યુ હતું કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટીમાં જોડાવવું જોઇએ. એટલું જ નહિં તેમણે એવું પણ કહ્યુ કે, ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને આવા યુવાનોની જરૂર છે. જે હિન્દુ હિતની વાત કરશે તે દેશ પર રાજ કરશે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યુ કે, 370 કલમ હટાવી, રામ મંદિર બનાવ્યું તે જ પાર્ટી હિંદુવાદી પાર્ટી કહેવાય.                                                                                                                                                                                                                 




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.