મા નવદુર્ગાની આરાધનના પર્વ નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ, અંબાજી, બહુચરાજી અને ચોટીલામાં ઉમટ્યું શ્રધ્ધાળુંઓનું ઘોડાપૂર


  • Published By :
  • Published Date : 2023-10-15 11:15:33

મા નવદુર્ગાની આરાધનના પર્વ નવરાત્રીના તહેવારનો આજથી એટલે કે તા.15થી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ માતાજીને અવનવા શણગાર અને મંદિરોને રોશનીથી સજાવવામાં આવ્યા છે. નવરાત્રી નિમિત્તે રાજ્યના વિવિધ શક્તિ ઉપાસનાના કેન્દ્ર એવા વિવિધ તીર્થ સ્થાનોને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે. આ દિવસે મા આધ્યશક્તિની પૂજા અને દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અંબાજી,  પાવાગઢ, બહુચરાજી અને સૌરાષ્ટ્રના રાજકોટમા આશાપુરા, મધ્યગીરમાં કનકાઈ, ખોડલધામ, ચોટીલા ચામુંડા માતાજી, વાંકાનેર પાસે માટેલ ધામ, દ્વારકા-પોરબંદર વચ્ચે હર્ષદ માતાજી, દ્વારકામાં ભદ્રકાલી માતાજી, ગોંડલ ભુવનેશ્વર માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.  


પાવાગઢમાં મહાકાળીના દર્શન માટે ઉમટ્યો માનવ મહેરામણ


નવરાત્રીમાં રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાંથી મહાકાળીના યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આશો નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે અંદાજીત 2 લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢના માંચીથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મંદિર પરિસર સહિત પગથીયાં સુધી જાણે હૈયેથી હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ માતાજીના દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી રહી છે. દૂર દૂરથી આવેલા ભક્તો પણ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન વહેલી સવારથી માતાજીના મંદિરના દ્વાર ખોલી મોડી રાત્રી સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસથી જ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4.00 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલશે તો બાકીના દિવસો માં સવારે 5.00 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખોલવામાં આવનાર છે. તમામ દિવસોએ રાત્રે 9.00 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. 


અમદાવાદના ભદ્રકાળી મંદિરે વહેલી સવારથી જ કતારો


નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. અમદાવાદના ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોની લાંબી કતરા લાગી છે. વહેલી સવારથી જ ભક્તોની લાગી લાંબી કતાર લાગી છે. મહાકાળીના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યું છે. ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.