નવજોત સિંહ સિદ્ધુની તબિયત લથડી, બ્લડ પ્રેસર ઘટી જતા હોસ્પિટલમાં દાખલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 10:13:05

પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ હાલ પંજાબની પટિયાલા જેલમાં બંધ છે. રવિવારે બપોરના સમયે સિદ્ધુનું બ્લડ પ્રેસર ખુબ ડાઉન થઈ જતા તે બેભાન થઈ નીચે પડી ગયા હતા. તબિયત બગડતા તેમને જેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ત્યાં પણ તબિયતમાં સુધારો ન થતા વધુ સારવાર માટે તેમને રાજિંદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેલ બેરેકની બહાર ઉભેલા ગાર્ડે તેમણે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 


જીવનું જોખમ હોવાની કોર્ટમાં આશંકા વ્યક્ત કરી હતી


લુધિયાણામાં હાજર થવાને લઈને નવજોતસિંહ સિદ્ધૂએ કોર્ટમાં એપ્લીકેશન દાખલ કરીને વીડિયો કોન્ફરન્સિંગથી ઉપસ્થિત થવાની માગ કરી છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું કે સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડની ઘટનાઓ તેમજ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓને લઈને તેમના જીવને પણ ખતરો છે. વિરોધીઓ તેમને નુકસાન પહોંચાડવા માટે કંઈ પણ કરી શકે છે, એવામાં તેમણે વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં રજૂ કરવામાં આવે. જેલ સુપ્રિન્ટેન્ડન્ટે તેની પુષ્ટિ કરતા કહ્યું કે સિદ્ધૂ બેભાન થઈ ગયા હતા, તેમને સારવાર આપવામાં આવી હતી. હાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમને હાજર કરવા અંગે જેલને કોઈ નિર્દેશ મળ્યા નથી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.