નવજોત સિંહ સિદ્ધુની તબિયત લથડી, બ્લડ પ્રેસર ઘટી જતા હોસ્પિટલમાં દાખલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 10:13:05

પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ હાલ પંજાબની પટિયાલા જેલમાં બંધ છે. રવિવારે બપોરના સમયે સિદ્ધુનું બ્લડ પ્રેસર ખુબ ડાઉન થઈ જતા તે બેભાન થઈ નીચે પડી ગયા હતા. તબિયત બગડતા તેમને જેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ત્યાં પણ તબિયતમાં સુધારો ન થતા વધુ સારવાર માટે તેમને રાજિંદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેલ બેરેકની બહાર ઉભેલા ગાર્ડે તેમણે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 


જીવનું જોખમ હોવાની કોર્ટમાં આશંકા વ્યક્ત કરી હતી


લુધિયાણામાં હાજર થવાને લઈને નવજોતસિંહ સિદ્ધૂએ કોર્ટમાં એપ્લીકેશન દાખલ કરીને વીડિયો કોન્ફરન્સિંગથી ઉપસ્થિત થવાની માગ કરી છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું કે સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડની ઘટનાઓ તેમજ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓને લઈને તેમના જીવને પણ ખતરો છે. વિરોધીઓ તેમને નુકસાન પહોંચાડવા માટે કંઈ પણ કરી શકે છે, એવામાં તેમણે વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં રજૂ કરવામાં આવે. જેલ સુપ્રિન્ટેન્ડન્ટે તેની પુષ્ટિ કરતા કહ્યું કે સિદ્ધૂ બેભાન થઈ ગયા હતા, તેમને સારવાર આપવામાં આવી હતી. હાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમને હાજર કરવા અંગે જેલને કોઈ નિર્દેશ મળ્યા નથી.



એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.