નવરાત્રીમાં 12 વાગ્યા સુધી બોલાશે ગરબાની રમઝટ, સરકારે આપી લાઉડસ્પીકરની મંજૂરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 19:08:39

આદ્યશક્તિનાં આરાધનાના પર્વ નવરાત્રીનો આગામી તા. 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. કોરોનાકાળમાં બે વર્ષ સુધી નવરાત્રીની ઉજવણી બંધ રહી હોવાથી ખેલૈયાઓ નિરાશ હતા. જો કે આ વર્ષે રોગચાળા કે અન્ય કોઈ પ્રકારની  ચિંતા ન હોવાથી રાસ-ગરબાના શોખિન ખૈલૈયાઓ નવરાત્રીમાં મનમૂકીને રમવા માંગે છે. રાજ્ય સરકાર પણ ખેલૈયાઓની મરજી જાણતી હોય તેમ  નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી છે.


હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી જાણકારી


નવરાત્રીના 9 દિવસ માટે લાઉડ સ્પીકર વગાડવાની છૂટછાટ આપવામાં આવી છે. નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ અને આસ્થા સાથે 9 દિવસ સુધી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. નવરાત્રીની આતુરતાથી રાહ જોઈ રહેલા અને તેની ધામધૂમથી ઉજવણી કરવા ઉત્સુક ખેલૈયાઓ માટે આં ખુશીના સમાચાર છે. ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ  લાઉડ સ્પીકર માટે  રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપતા હવે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.


રાજકોટ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી અસમંજસ


અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ રાજકોટ શહેરમાં નવરાત્રી દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પિકર ચાલુ રાખી શકાશે. રાજકોટ પોલીસ કમિશનરના આ પરિપત્રથી રાજકોટમાં ખેલૈયાઓ અને આયોજકોમાં નારાજગી ઉભી થઇ હતી જે બાદ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર ગરબે રમી શકાશે. ત્યારે આજે હવે રાજ્યના ગૃહમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, નવરાત્રિમાં હવે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે