Navsari : વાંસદામાં મળેલી હાર બાદ છલકાયું પૂર્વ કેબિનેટ મંત્રી Naresh Patelનું દર્દ, કહ્યું Congress નહીં પરંતુ..


  • Published By :
  • Published Date : 2023-12-09 17:47:33

ભાજપને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે. ભાજપના નેતાઓ એક પ્રોટોકોલને ફોલો કરે છે તે આપણે જાણીએ છીએ. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. આંતરિક ડખા એટલી હદે વધી રહ્યા છે કે નેતાઓ જાહેર સભામાં પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં પાર્ટીના નેતાઓ પોતાના જ પાર્ટીથી નારાજ ચાલતા હોય તેવું દેખાઈ આવે છે. ત્યારે ભાજપના ગણદેવીના ધારાસભ્ચ અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાની વ્યથા ઠાલવી હતી.


સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રીએ ઠાલવી વેદના!

ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રીએ સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાની વ્યથા ઠાલવી હતી. ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું કે “કોંગ્રેસનો કોઈ ડર નથી, આપણા જ આપણને નડે છે, આ લોકોને સમયે હું ઓળખી ન શકયો તેનો અફસોસ છે.”જ્યારે આ નિવેદન તેમણે આપ્યું ત્યારે ત્યાં નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ પણ હાજર હતા. લોકસભા ચૂંટણીમાં વાંસદામાંથી 30 થી 75 હજાર મતોની લીડ અપાવવા હાંકલ કરી હતી. મહત્વનું છે કે અનેક નેતાઓએ પોતાની વ્યથા ઠાલવી છે ત્યારે આજે નરેશ પટેલે પણ કહી દીધું કે આપણાં જ આપણને નડે છે!                



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.