Navsari : વાંસદામાં મળેલી હાર બાદ છલકાયું પૂર્વ કેબિનેટ મંત્રી Naresh Patelનું દર્દ, કહ્યું Congress નહીં પરંતુ..


  • Published By :
  • Published Date : 2023-12-09 17:47:33

ભાજપને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે. ભાજપના નેતાઓ એક પ્રોટોકોલને ફોલો કરે છે તે આપણે જાણીએ છીએ. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. આંતરિક ડખા એટલી હદે વધી રહ્યા છે કે નેતાઓ જાહેર સભામાં પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં પાર્ટીના નેતાઓ પોતાના જ પાર્ટીથી નારાજ ચાલતા હોય તેવું દેખાઈ આવે છે. ત્યારે ભાજપના ગણદેવીના ધારાસભ્ચ અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાની વ્યથા ઠાલવી હતી.


સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રીએ ઠાલવી વેદના!

ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રીએ સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાની વ્યથા ઠાલવી હતી. ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું કે “કોંગ્રેસનો કોઈ ડર નથી, આપણા જ આપણને નડે છે, આ લોકોને સમયે હું ઓળખી ન શકયો તેનો અફસોસ છે.”જ્યારે આ નિવેદન તેમણે આપ્યું ત્યારે ત્યાં નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ પણ હાજર હતા. લોકસભા ચૂંટણીમાં વાંસદામાંથી 30 થી 75 હજાર મતોની લીડ અપાવવા હાંકલ કરી હતી. મહત્વનું છે કે અનેક નેતાઓએ પોતાની વ્યથા ઠાલવી છે ત્યારે આજે નરેશ પટેલે પણ કહી દીધું કે આપણાં જ આપણને નડે છે!                



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.