Navsari : વાંસદામાં મળેલી હાર બાદ છલકાયું પૂર્વ કેબિનેટ મંત્રી Naresh Patelનું દર્દ, કહ્યું Congress નહીં પરંતુ..


  • Published By :
  • Published Date : 2023-12-09 17:47:33

ભાજપને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે. ભાજપના નેતાઓ એક પ્રોટોકોલને ફોલો કરે છે તે આપણે જાણીએ છીએ. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. આંતરિક ડખા એટલી હદે વધી રહ્યા છે કે નેતાઓ જાહેર સભામાં પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં પાર્ટીના નેતાઓ પોતાના જ પાર્ટીથી નારાજ ચાલતા હોય તેવું દેખાઈ આવે છે. ત્યારે ભાજપના ગણદેવીના ધારાસભ્ચ અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાની વ્યથા ઠાલવી હતી.


સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રીએ ઠાલવી વેદના!

ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રીએ સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાની વ્યથા ઠાલવી હતી. ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું કે “કોંગ્રેસનો કોઈ ડર નથી, આપણા જ આપણને નડે છે, આ લોકોને સમયે હું ઓળખી ન શકયો તેનો અફસોસ છે.”જ્યારે આ નિવેદન તેમણે આપ્યું ત્યારે ત્યાં નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ પણ હાજર હતા. લોકસભા ચૂંટણીમાં વાંસદામાંથી 30 થી 75 હજાર મતોની લીડ અપાવવા હાંકલ કરી હતી. મહત્વનું છે કે અનેક નેતાઓએ પોતાની વ્યથા ઠાલવી છે ત્યારે આજે નરેશ પટેલે પણ કહી દીધું કે આપણાં જ આપણને નડે છે!                



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.