Navsari : TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા MLA Anant Patel, નવસારીમાં ઉમેદવારો સાથે કાઢી રેલી


  • Published By :
  • Published Date : 2023-09-26 14:55:59

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોતાની માગ સાથે એટલે કે શિક્ષકોની કાયમી ભરતી થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો તેમણે પ્રયત્નો કર્યા પરંતુ તેમની માગ સ્વીકારવામાં આવી નહીં. મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, સાધુ સંતોને પત્ર લખી રજૂઆત કરી તો પણ તેમની માગ સ્વીકારાઈ ન હતી. ભગવાનના શરણે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા હતા. ત્યારે ઉમેદવારોને કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મળી રહ્યો છે. ગાંધીનગરમાં વિરોધ કરતા જ્ઞાનસહાયકના ઉમેદવારો આજે ગુજરાતના નવસારી પહોંચ્યા છે. તેમની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત છે. અનંત પટેલ દ્વારા પહેલા વાંસદા અને ચીખલી બાદ આજે નવસારીમાં આ રેલી કાઢવામાં આવી, રેલી નવસારીના સર્કિટ હાઉસથી નવસારી કલેકટર કચેરી પહોંચી હતી.

 

અનંત પટેલે ઉમેદવારોના સમર્થનમાં કાઢી રેલી 

બાળકના જીવનમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. ઘર જેટલો સમય બાળક સ્કૂલમાં વિતાવતો હોય છે. આપણે ત્યાં ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ભાવિ શિક્ષકો એટલે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરી જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અનેક વખત સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા ઉમેદવારોએ પ્રયત્ન કર્યો છે પરંતુ તેમની માગ સ્વીકારાઈ નથી. ત્યારે હવે આ વિરોધ નવસારી પહોંચ્યો છે. ગાંધીનગરમાં વિરોધ કરતા જ્ઞાનસહાયકના ઉમેદવારો આજે ગુજરાતના નવસારી પહોંચ્યા છે. અનેક વખત ધારાસભ્યોએ જ્ઞાનસહાયકને રદ્દ કરવા માટે રજૂઆત કરી હતી. અલગ અલગ રાજકીય પાર્ટીના ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા ત્યારે આજે ઉમેદવારોના સમર્થનમાં વાંસદાના ધારાસભ્યએ રેલી કાઢી હતી. અનંત પટેલ દ્વારા પહેલા વાંસદા અને ચીખલી બાદ આજે નવસારીમાં આ રેલી કાઢવામાં આવી, નવસારીના સર્કિટ હાઉસથી શરૂ થયેલી રેલી નવસારી કલેકટર કચેરી પહોંચી હતી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.