Navsari : TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા MLA Anant Patel, નવસારીમાં ઉમેદવારો સાથે કાઢી રેલી


  • Published By :
  • Published Date : 2023-09-26 14:55:59

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોતાની માગ સાથે એટલે કે શિક્ષકોની કાયમી ભરતી થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો તેમણે પ્રયત્નો કર્યા પરંતુ તેમની માગ સ્વીકારવામાં આવી નહીં. મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, સાધુ સંતોને પત્ર લખી રજૂઆત કરી તો પણ તેમની માગ સ્વીકારાઈ ન હતી. ભગવાનના શરણે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા હતા. ત્યારે ઉમેદવારોને કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મળી રહ્યો છે. ગાંધીનગરમાં વિરોધ કરતા જ્ઞાનસહાયકના ઉમેદવારો આજે ગુજરાતના નવસારી પહોંચ્યા છે. તેમની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત છે. અનંત પટેલ દ્વારા પહેલા વાંસદા અને ચીખલી બાદ આજે નવસારીમાં આ રેલી કાઢવામાં આવી, રેલી નવસારીના સર્કિટ હાઉસથી નવસારી કલેકટર કચેરી પહોંચી હતી.

 

અનંત પટેલે ઉમેદવારોના સમર્થનમાં કાઢી રેલી 

બાળકના જીવનમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. ઘર જેટલો સમય બાળક સ્કૂલમાં વિતાવતો હોય છે. આપણે ત્યાં ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ભાવિ શિક્ષકો એટલે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરી જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અનેક વખત સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા ઉમેદવારોએ પ્રયત્ન કર્યો છે પરંતુ તેમની માગ સ્વીકારાઈ નથી. ત્યારે હવે આ વિરોધ નવસારી પહોંચ્યો છે. ગાંધીનગરમાં વિરોધ કરતા જ્ઞાનસહાયકના ઉમેદવારો આજે ગુજરાતના નવસારી પહોંચ્યા છે. અનેક વખત ધારાસભ્યોએ જ્ઞાનસહાયકને રદ્દ કરવા માટે રજૂઆત કરી હતી. અલગ અલગ રાજકીય પાર્ટીના ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા ત્યારે આજે ઉમેદવારોના સમર્થનમાં વાંસદાના ધારાસભ્યએ રેલી કાઢી હતી. અનંત પટેલ દ્વારા પહેલા વાંસદા અને ચીખલી બાદ આજે નવસારીમાં આ રેલી કાઢવામાં આવી, નવસારીના સર્કિટ હાઉસથી શરૂ થયેલી રેલી નવસારી કલેકટર કચેરી પહોંચી હતી.  



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.