Navsari : TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા MLA Anant Patel, નવસારીમાં ઉમેદવારો સાથે કાઢી રેલી


  • Published By :
  • Published Date : 2023-09-26 14:55:59

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોતાની માગ સાથે એટલે કે શિક્ષકોની કાયમી ભરતી થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો તેમણે પ્રયત્નો કર્યા પરંતુ તેમની માગ સ્વીકારવામાં આવી નહીં. મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, સાધુ સંતોને પત્ર લખી રજૂઆત કરી તો પણ તેમની માગ સ્વીકારાઈ ન હતી. ભગવાનના શરણે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા હતા. ત્યારે ઉમેદવારોને કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મળી રહ્યો છે. ગાંધીનગરમાં વિરોધ કરતા જ્ઞાનસહાયકના ઉમેદવારો આજે ગુજરાતના નવસારી પહોંચ્યા છે. તેમની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત છે. અનંત પટેલ દ્વારા પહેલા વાંસદા અને ચીખલી બાદ આજે નવસારીમાં આ રેલી કાઢવામાં આવી, રેલી નવસારીના સર્કિટ હાઉસથી નવસારી કલેકટર કચેરી પહોંચી હતી.

 

અનંત પટેલે ઉમેદવારોના સમર્થનમાં કાઢી રેલી 

બાળકના જીવનમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. ઘર જેટલો સમય બાળક સ્કૂલમાં વિતાવતો હોય છે. આપણે ત્યાં ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ભાવિ શિક્ષકો એટલે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરી જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અનેક વખત સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા ઉમેદવારોએ પ્રયત્ન કર્યો છે પરંતુ તેમની માગ સ્વીકારાઈ નથી. ત્યારે હવે આ વિરોધ નવસારી પહોંચ્યો છે. ગાંધીનગરમાં વિરોધ કરતા જ્ઞાનસહાયકના ઉમેદવારો આજે ગુજરાતના નવસારી પહોંચ્યા છે. અનેક વખત ધારાસભ્યોએ જ્ઞાનસહાયકને રદ્દ કરવા માટે રજૂઆત કરી હતી. અલગ અલગ રાજકીય પાર્ટીના ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા ત્યારે આજે ઉમેદવારોના સમર્થનમાં વાંસદાના ધારાસભ્યએ રેલી કાઢી હતી. અનંત પટેલ દ્વારા પહેલા વાંસદા અને ચીખલી બાદ આજે નવસારીમાં આ રેલી કાઢવામાં આવી, નવસારીના સર્કિટ હાઉસથી શરૂ થયેલી રેલી નવસારી કલેકટર કચેરી પહોંચી હતી.  



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?