NCP પ્રમુખ શરદ પવારની તબિયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ


  • Published By :
  • Published Date : 2022-10-31 15:23:26


મહારાષ્ટ્રના દિગ્ગજ મરાઠા નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની તબિયત લથડી છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમને આ સપ્તાહમાં જ રજા આપી દેવામાં આવશે. તેઓ તેમના નિયમિત કાર્યક્રમ પ્રમાણે નવેમ્બરમાં યોજાનારા પાર્ટીના કાર્યક્રમોમાં પણ સામેલ થશે, તે ઉપરાંત તે ભારત જોડો યાત્રામાં પણ જોડાય તેવું માનવામાં આવી રહ્યું છે.


શરદ પવારને નાદુરસ્ત તબિયતના પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમને 2 નવેમ્બરના દિવસે રજા આપી દેવામાં આવશે, તે સાથે જે આ મરાઠા નેતા 4-5 નવેમ્બરના દિવસે યોજાનારા કેમ્પમાં પણ ઉપસ્થિત રહેશે. સૌથી મહત્વની બાબત એ છે કે 81 વર્ષિય આ નેતા આજે પણ રાજનિતીમાં ખુબ જ સક્રિય છે. 


રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાશે પવાર 


કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેના જણાવ્યા પ્રમાણે શરદ પવાર રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા 8 નવેમ્બરે મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરશે, મળતા સમાચાર મુજબ નાંદેડના માર્ગે યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ છે. પટોલેના જણાવ્યા પ્રમાણે શરદ પવારે યાત્રામાં જોડાવાનું નિમંત્રણ સ્વિકારી લીધું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.