NCP પ્રમુખ શરદ પવારની તબિયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ


  • Published By :
  • Published Date : 2022-10-31 15:23:26


મહારાષ્ટ્રના દિગ્ગજ મરાઠા નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની તબિયત લથડી છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમને આ સપ્તાહમાં જ રજા આપી દેવામાં આવશે. તેઓ તેમના નિયમિત કાર્યક્રમ પ્રમાણે નવેમ્બરમાં યોજાનારા પાર્ટીના કાર્યક્રમોમાં પણ સામેલ થશે, તે ઉપરાંત તે ભારત જોડો યાત્રામાં પણ જોડાય તેવું માનવામાં આવી રહ્યું છે.


શરદ પવારને નાદુરસ્ત તબિયતના પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમને 2 નવેમ્બરના દિવસે રજા આપી દેવામાં આવશે, તે સાથે જે આ મરાઠા નેતા 4-5 નવેમ્બરના દિવસે યોજાનારા કેમ્પમાં પણ ઉપસ્થિત રહેશે. સૌથી મહત્વની બાબત એ છે કે 81 વર્ષિય આ નેતા આજે પણ રાજનિતીમાં ખુબ જ સક્રિય છે. 


રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાશે પવાર 


કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેના જણાવ્યા પ્રમાણે શરદ પવાર રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા 8 નવેમ્બરે મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરશે, મળતા સમાચાર મુજબ નાંદેડના માર્ગે યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ છે. પટોલેના જણાવ્યા પ્રમાણે શરદ પવારે યાત્રામાં જોડાવાનું નિમંત્રણ સ્વિકારી લીધું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે