NCP પ્રમુખ શરદ પવારની તબિયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ


  • Published By :
  • Published Date : 2022-10-31 15:23:26


મહારાષ્ટ્રના દિગ્ગજ મરાઠા નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની તબિયત લથડી છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમને આ સપ્તાહમાં જ રજા આપી દેવામાં આવશે. તેઓ તેમના નિયમિત કાર્યક્રમ પ્રમાણે નવેમ્બરમાં યોજાનારા પાર્ટીના કાર્યક્રમોમાં પણ સામેલ થશે, તે ઉપરાંત તે ભારત જોડો યાત્રામાં પણ જોડાય તેવું માનવામાં આવી રહ્યું છે.


શરદ પવારને નાદુરસ્ત તબિયતના પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમને 2 નવેમ્બરના દિવસે રજા આપી દેવામાં આવશે, તે સાથે જે આ મરાઠા નેતા 4-5 નવેમ્બરના દિવસે યોજાનારા કેમ્પમાં પણ ઉપસ્થિત રહેશે. સૌથી મહત્વની બાબત એ છે કે 81 વર્ષિય આ નેતા આજે પણ રાજનિતીમાં ખુબ જ સક્રિય છે. 


રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાશે પવાર 


કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેના જણાવ્યા પ્રમાણે શરદ પવાર રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા 8 નવેમ્બરે મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરશે, મળતા સમાચાર મુજબ નાંદેડના માર્ગે યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ છે. પટોલેના જણાવ્યા પ્રમાણે શરદ પવારે યાત્રામાં જોડાવાનું નિમંત્રણ સ્વિકારી લીધું છે.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.