NCP પ્રમુખ શરદ પવારની તબિયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ


  • Published By :
  • Published Date : 2022-10-31 15:23:26


મહારાષ્ટ્રના દિગ્ગજ મરાઠા નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની તબિયત લથડી છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમને આ સપ્તાહમાં જ રજા આપી દેવામાં આવશે. તેઓ તેમના નિયમિત કાર્યક્રમ પ્રમાણે નવેમ્બરમાં યોજાનારા પાર્ટીના કાર્યક્રમોમાં પણ સામેલ થશે, તે ઉપરાંત તે ભારત જોડો યાત્રામાં પણ જોડાય તેવું માનવામાં આવી રહ્યું છે.


શરદ પવારને નાદુરસ્ત તબિયતના પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમને 2 નવેમ્બરના દિવસે રજા આપી દેવામાં આવશે, તે સાથે જે આ મરાઠા નેતા 4-5 નવેમ્બરના દિવસે યોજાનારા કેમ્પમાં પણ ઉપસ્થિત રહેશે. સૌથી મહત્વની બાબત એ છે કે 81 વર્ષિય આ નેતા આજે પણ રાજનિતીમાં ખુબ જ સક્રિય છે. 


રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાશે પવાર 


કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેના જણાવ્યા પ્રમાણે શરદ પવાર રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા 8 નવેમ્બરે મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરશે, મળતા સમાચાર મુજબ નાંદેડના માર્ગે યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ છે. પટોલેના જણાવ્યા પ્રમાણે શરદ પવારે યાત્રામાં જોડાવાનું નિમંત્રણ સ્વિકારી લીધું છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.