NCP નેતા Jitendra Awhadએ ભગવાન રામ માટે વિવાદીત નિવેદન આપતા કહ્યું 'ભગવાન રામ શાકાહારી ન હતા, માંસાહારી હતા'


  • Published By :
  • Published Date : 2024-01-04 13:28:43

22 જાન્યુઆરીએ ભગવાન રામના પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિને બિરાજમાન કરવામાં આવશે. આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. જેમ જેમ આ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે. જેમ જેમ તારીખ નજીક આવે છે તેમ તેમ આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે, આ મુદ્દે અલગ અલગ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે ભગવાન રામને લઈ એનસીપી-શરદ પવાર જૂથના નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે ભગવાન રામ શાકાહારી ન હતા, તેઓ માંસાહારી હતા.

जितेंद्र आव्हाड का विवादित बयान,'मांसाहारी थे भगवान राम,शिकार करते थे, NCP  नेता के बयान पर BJP ने पूछा-क्या त्रेतायुग में देखने गए थे - bjp slams ncp  ...


એનસીપી નેતાએ ભગવાન રામને લઈ આપ્યું નિવેદન 

ભગવાન રામને લઈ તેમજ રામ મંદિરને લઈ અનેક નેતાઓના નિવેદનો સામે આવતા રહે છે. જેમ જેમ પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજનીતિ પણ તેજ બની રહી છે. અનેક નેતાઓના નિવેદનો ભગવાન રામ માટે આવ્યા છે જેને લઈ વિવાદ છેડાઈ શકે છે. આ બધા વચ્ચે એનસીપી નેતા જિતેન્દ્ર આહ્વાદે નિવેદન આપ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે ભગવાન રામ શાકાહારી ન હતા, તેઓ માંસાહારી હતા. તેમણે કહ્યું કે ભગવાન રામ ભોજન માટે શિકાર કરતા હતા. 


નિવેદન આપવા પાછળનો તર્ક પણ નેતાએ સમાજાવ્યો!

મીડિયા રિપોર્ટ અનુસાર જીતેન્દ્ર આવ્હાડે કહ્યું છે કે રામ અમારા છે, બહુજનના છે. તેઓ શિકાર કરીને ખાતા હતા. તેણે વધુમાં કહ્યું કે તમે ઈચ્છો છો કે અમે શાકાહારી બનીએ. પણ અમે રામને અમારા આદર્શ માનીએ છીએ અને મટન ખાઈએ છીએ. આ રામનો આદર્શ છે. પોતાના નિવેદનનો તર્ક આપતા કહ્યું કે '14 વર્ષ સુધી જંગલમાં રહેનાર વ્યક્તિને શાકાહારી કેવી રીતે મનાય?' NCP નેતાએ કહ્યું, 'હું હંમેશા સાચું બોલું છું.'


મહાત્મા ગાંધી માટે પણ નેતાએ કહ્યું કે 

નેતાએ ન માત્ર ભગવાન રામ માટે વિવાદીત નિવેદન આપ્યું પરંતુ મહાત્મા ગાંધી માટે પણ તેમણે નિવેદન આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યા માટે જાતિવાદને કારણ ગણાવ્યું છે. આવ્હાડે કહ્યું કે મહાત્મા ગાંધી ઓબીસી હતા અને આ લોકો એ સહન કરી શકતા નથી કે તેઓ આટલા મોટા નેતા બની ગયા. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.