NCP નેતા Jitendra Awhadએ ભગવાન રામ માટે વિવાદીત નિવેદન આપતા કહ્યું 'ભગવાન રામ શાકાહારી ન હતા, માંસાહારી હતા'


  • Published By :
  • Published Date : 2024-01-04 13:28:43

22 જાન્યુઆરીએ ભગવાન રામના પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિને બિરાજમાન કરવામાં આવશે. આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. જેમ જેમ આ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે. જેમ જેમ તારીખ નજીક આવે છે તેમ તેમ આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે, આ મુદ્દે અલગ અલગ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે ભગવાન રામને લઈ એનસીપી-શરદ પવાર જૂથના નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે ભગવાન રામ શાકાહારી ન હતા, તેઓ માંસાહારી હતા.

जितेंद्र आव्हाड का विवादित बयान,'मांसाहारी थे भगवान राम,शिकार करते थे, NCP  नेता के बयान पर BJP ने पूछा-क्या त्रेतायुग में देखने गए थे - bjp slams ncp  ...


એનસીપી નેતાએ ભગવાન રામને લઈ આપ્યું નિવેદન 

ભગવાન રામને લઈ તેમજ રામ મંદિરને લઈ અનેક નેતાઓના નિવેદનો સામે આવતા રહે છે. જેમ જેમ પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજનીતિ પણ તેજ બની રહી છે. અનેક નેતાઓના નિવેદનો ભગવાન રામ માટે આવ્યા છે જેને લઈ વિવાદ છેડાઈ શકે છે. આ બધા વચ્ચે એનસીપી નેતા જિતેન્દ્ર આહ્વાદે નિવેદન આપ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે ભગવાન રામ શાકાહારી ન હતા, તેઓ માંસાહારી હતા. તેમણે કહ્યું કે ભગવાન રામ ભોજન માટે શિકાર કરતા હતા. 


નિવેદન આપવા પાછળનો તર્ક પણ નેતાએ સમાજાવ્યો!

મીડિયા રિપોર્ટ અનુસાર જીતેન્દ્ર આવ્હાડે કહ્યું છે કે રામ અમારા છે, બહુજનના છે. તેઓ શિકાર કરીને ખાતા હતા. તેણે વધુમાં કહ્યું કે તમે ઈચ્છો છો કે અમે શાકાહારી બનીએ. પણ અમે રામને અમારા આદર્શ માનીએ છીએ અને મટન ખાઈએ છીએ. આ રામનો આદર્શ છે. પોતાના નિવેદનનો તર્ક આપતા કહ્યું કે '14 વર્ષ સુધી જંગલમાં રહેનાર વ્યક્તિને શાકાહારી કેવી રીતે મનાય?' NCP નેતાએ કહ્યું, 'હું હંમેશા સાચું બોલું છું.'


મહાત્મા ગાંધી માટે પણ નેતાએ કહ્યું કે 

નેતાએ ન માત્ર ભગવાન રામ માટે વિવાદીત નિવેદન આપ્યું પરંતુ મહાત્મા ગાંધી માટે પણ તેમણે નિવેદન આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યા માટે જાતિવાદને કારણ ગણાવ્યું છે. આવ્હાડે કહ્યું કે મહાત્મા ગાંધી ઓબીસી હતા અને આ લોકો એ સહન કરી શકતા નથી કે તેઓ આટલા મોટા નેતા બની ગયા. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.