NCP નેતા Jitendra Awhadએ ભગવાન રામ માટે વિવાદીત નિવેદન આપતા કહ્યું 'ભગવાન રામ શાકાહારી ન હતા, માંસાહારી હતા'


  • Published By :
  • Published Date : 2024-01-04 13:28:43

22 જાન્યુઆરીએ ભગવાન રામના પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિને બિરાજમાન કરવામાં આવશે. આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. જેમ જેમ આ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે. જેમ જેમ તારીખ નજીક આવે છે તેમ તેમ આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે, આ મુદ્દે અલગ અલગ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે ભગવાન રામને લઈ એનસીપી-શરદ પવાર જૂથના નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે ભગવાન રામ શાકાહારી ન હતા, તેઓ માંસાહારી હતા.

जितेंद्र आव्हाड का विवादित बयान,'मांसाहारी थे भगवान राम,शिकार करते थे, NCP  नेता के बयान पर BJP ने पूछा-क्या त्रेतायुग में देखने गए थे - bjp slams ncp  ...


એનસીપી નેતાએ ભગવાન રામને લઈ આપ્યું નિવેદન 

ભગવાન રામને લઈ તેમજ રામ મંદિરને લઈ અનેક નેતાઓના નિવેદનો સામે આવતા રહે છે. જેમ જેમ પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજનીતિ પણ તેજ બની રહી છે. અનેક નેતાઓના નિવેદનો ભગવાન રામ માટે આવ્યા છે જેને લઈ વિવાદ છેડાઈ શકે છે. આ બધા વચ્ચે એનસીપી નેતા જિતેન્દ્ર આહ્વાદે નિવેદન આપ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે ભગવાન રામ શાકાહારી ન હતા, તેઓ માંસાહારી હતા. તેમણે કહ્યું કે ભગવાન રામ ભોજન માટે શિકાર કરતા હતા. 


નિવેદન આપવા પાછળનો તર્ક પણ નેતાએ સમાજાવ્યો!

મીડિયા રિપોર્ટ અનુસાર જીતેન્દ્ર આવ્હાડે કહ્યું છે કે રામ અમારા છે, બહુજનના છે. તેઓ શિકાર કરીને ખાતા હતા. તેણે વધુમાં કહ્યું કે તમે ઈચ્છો છો કે અમે શાકાહારી બનીએ. પણ અમે રામને અમારા આદર્શ માનીએ છીએ અને મટન ખાઈએ છીએ. આ રામનો આદર્શ છે. પોતાના નિવેદનનો તર્ક આપતા કહ્યું કે '14 વર્ષ સુધી જંગલમાં રહેનાર વ્યક્તિને શાકાહારી કેવી રીતે મનાય?' NCP નેતાએ કહ્યું, 'હું હંમેશા સાચું બોલું છું.'


મહાત્મા ગાંધી માટે પણ નેતાએ કહ્યું કે 

નેતાએ ન માત્ર ભગવાન રામ માટે વિવાદીત નિવેદન આપ્યું પરંતુ મહાત્મા ગાંધી માટે પણ તેમણે નિવેદન આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યા માટે જાતિવાદને કારણ ગણાવ્યું છે. આવ્હાડે કહ્યું કે મહાત્મા ગાંધી ઓબીસી હતા અને આ લોકો એ સહન કરી શકતા નથી કે તેઓ આટલા મોટા નેતા બની ગયા. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે