NCP નેતા Jitendra Awhadએ ભગવાન રામ માટે વિવાદીત નિવેદન આપતા કહ્યું 'ભગવાન રામ શાકાહારી ન હતા, માંસાહારી હતા'


  • Published By :
  • Published Date : 2024-01-04 13:28:43

22 જાન્યુઆરીએ ભગવાન રામના પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિને બિરાજમાન કરવામાં આવશે. આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. જેમ જેમ આ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે. જેમ જેમ તારીખ નજીક આવે છે તેમ તેમ આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે, આ મુદ્દે અલગ અલગ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે ભગવાન રામને લઈ એનસીપી-શરદ પવાર જૂથના નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે ભગવાન રામ શાકાહારી ન હતા, તેઓ માંસાહારી હતા.

जितेंद्र आव्हाड का विवादित बयान,'मांसाहारी थे भगवान राम,शिकार करते थे, NCP  नेता के बयान पर BJP ने पूछा-क्या त्रेतायुग में देखने गए थे - bjp slams ncp  ...


એનસીપી નેતાએ ભગવાન રામને લઈ આપ્યું નિવેદન 

ભગવાન રામને લઈ તેમજ રામ મંદિરને લઈ અનેક નેતાઓના નિવેદનો સામે આવતા રહે છે. જેમ જેમ પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજનીતિ પણ તેજ બની રહી છે. અનેક નેતાઓના નિવેદનો ભગવાન રામ માટે આવ્યા છે જેને લઈ વિવાદ છેડાઈ શકે છે. આ બધા વચ્ચે એનસીપી નેતા જિતેન્દ્ર આહ્વાદે નિવેદન આપ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે ભગવાન રામ શાકાહારી ન હતા, તેઓ માંસાહારી હતા. તેમણે કહ્યું કે ભગવાન રામ ભોજન માટે શિકાર કરતા હતા. 


નિવેદન આપવા પાછળનો તર્ક પણ નેતાએ સમાજાવ્યો!

મીડિયા રિપોર્ટ અનુસાર જીતેન્દ્ર આવ્હાડે કહ્યું છે કે રામ અમારા છે, બહુજનના છે. તેઓ શિકાર કરીને ખાતા હતા. તેણે વધુમાં કહ્યું કે તમે ઈચ્છો છો કે અમે શાકાહારી બનીએ. પણ અમે રામને અમારા આદર્શ માનીએ છીએ અને મટન ખાઈએ છીએ. આ રામનો આદર્શ છે. પોતાના નિવેદનનો તર્ક આપતા કહ્યું કે '14 વર્ષ સુધી જંગલમાં રહેનાર વ્યક્તિને શાકાહારી કેવી રીતે મનાય?' NCP નેતાએ કહ્યું, 'હું હંમેશા સાચું બોલું છું.'


મહાત્મા ગાંધી માટે પણ નેતાએ કહ્યું કે 

નેતાએ ન માત્ર ભગવાન રામ માટે વિવાદીત નિવેદન આપ્યું પરંતુ મહાત્મા ગાંધી માટે પણ તેમણે નિવેદન આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યા માટે જાતિવાદને કારણ ગણાવ્યું છે. આવ્હાડે કહ્યું કે મહાત્મા ગાંધી ઓબીસી હતા અને આ લોકો એ સહન કરી શકતા નથી કે તેઓ આટલા મોટા નેતા બની ગયા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.