અમિત શાહને મળ્યા બાદ દેવેગૌડાની JDS પાર્ટી NDAમાં જોડાઈ, નડ્ડાએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-09-22 22:52:06

કર્ણાટકના પૂર્વ CM અને JDS નેતા એચડી કુમારસ્વામી આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં પણ ઔપચારિક રીતે જોડાયા છે. આ બેઠક દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગોવાના સીએમ પ્રમોદ સાવંત પણ હાજર હતા. જેડીએસ એનડીએમાં વિલીન થયા બાદ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું કે મને ખુશી છે કે જેડી(એસ) એ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)નો ભાગ બનવાનો નિર્ણય કર્યો છે. અમે એનડીએમાં તેમનું દિલથી સ્વાગત કરીએ છીએ. આનાથી NDA અને PM મોદીના ન્યૂ ઈન્ડિયા, સ્ટ્રોંગ ઈન્ડિયાના વિઝનને વધુ મજબૂતી મળશે.


કર્ણાટકમાં થશે સીટોની વહેંચણી


દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા બાદ કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે આજે અમે ઔપચારિક રીતે ભાજપ સાથે હાથ મિલાવવાની ચર્ચા કરી હતી. અમે પ્રારંભિક મુદ્દાઓ પર ઔપચારિક રીતે ચર્ચા કરી છે. અમારી કોઈ માંગણી નથી. તે જ સમયે, ગોવાના સીએમ પ્રમોદ સાવંતનું કહેવું છે કે એનડીએને મજબૂત કરવા માટે, જેડીએસ આજે ઔપચારિક રીતે એનડીએ ગઠબંધનમાં જોડાઈ છે અને આ માટે હું તેમને અભિનંદન આપું છું. સંસદીય બોર્ડ અને જેડીએસ બેઠકોની વહેંચણી પર નિર્ણય લેશે.


NDAમાં જોડાતા કોને ફાયદો થશે?


હવે ભાજપ માટે આ ઘણાં મોટા સમાચાર છે. હકિકતમાં જેડીએસ કર્ણાટકમાં એક મજબૂત પાર્ટી છે, દક્ષિણના વિસ્તારોમાં તો તેમની મજબૂત પકડ છે. આ ઉપરાંત વોકલિંગ સમુદાયમાં પૂર્વ PM દેવગૌડાના કારણે પાર્ટીની સારી એવી લોકપ્રિયતા છે. એવામાં ચૂંટણી મૌસમમાં જ્યારે ભાજપને જેડીએસનો સાથે મળી રહ્યો છે, તો તેની અસર જમીન પર જોવા મળશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો રકાસ થયો હતો, ત્યારે હવે JDS સાથે આવતા પાર્ટીની મુશ્કેલીઓ થોડી આસાન બની શકે છે. ઉલ્લેખનિય છે કે ગત ચૂંટણીમાં JDSનું પ્રદર્શન કેવું હતુંકર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કિંગમેકરનું સપનું જોતી JDSને માત્ર 19 સીટ જ મળી હતી, ત્યારે તેમણો વોટ શેર પણ 13 ટકાની આસપાસ રહ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસે પ્રચંડ બહુમતી મેળવતા 135 સીટ જીતી હતી. જ્યારે ભાજપનો આંકડ 66 પર જ સમેટાઈ ગયો હતો. આ પરિણામ બાદ ભાજપ દક્ષિણમાં ખાસ કરીને કર્ણાટકમાં એક વિશ્વાસુ સહયોગી શોધી રહ્યું હતું, જે કાર્ય અંતે આજે પૂર્ણ થયું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે