અમિત શાહને મળ્યા બાદ દેવેગૌડાની JDS પાર્ટી NDAમાં જોડાઈ, નડ્ડાએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-09-22 22:52:06

કર્ણાટકના પૂર્વ CM અને JDS નેતા એચડી કુમારસ્વામી આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં પણ ઔપચારિક રીતે જોડાયા છે. આ બેઠક દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગોવાના સીએમ પ્રમોદ સાવંત પણ હાજર હતા. જેડીએસ એનડીએમાં વિલીન થયા બાદ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું કે મને ખુશી છે કે જેડી(એસ) એ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)નો ભાગ બનવાનો નિર્ણય કર્યો છે. અમે એનડીએમાં તેમનું દિલથી સ્વાગત કરીએ છીએ. આનાથી NDA અને PM મોદીના ન્યૂ ઈન્ડિયા, સ્ટ્રોંગ ઈન્ડિયાના વિઝનને વધુ મજબૂતી મળશે.


કર્ણાટકમાં થશે સીટોની વહેંચણી


દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા બાદ કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે આજે અમે ઔપચારિક રીતે ભાજપ સાથે હાથ મિલાવવાની ચર્ચા કરી હતી. અમે પ્રારંભિક મુદ્દાઓ પર ઔપચારિક રીતે ચર્ચા કરી છે. અમારી કોઈ માંગણી નથી. તે જ સમયે, ગોવાના સીએમ પ્રમોદ સાવંતનું કહેવું છે કે એનડીએને મજબૂત કરવા માટે, જેડીએસ આજે ઔપચારિક રીતે એનડીએ ગઠબંધનમાં જોડાઈ છે અને આ માટે હું તેમને અભિનંદન આપું છું. સંસદીય બોર્ડ અને જેડીએસ બેઠકોની વહેંચણી પર નિર્ણય લેશે.


NDAમાં જોડાતા કોને ફાયદો થશે?


હવે ભાજપ માટે આ ઘણાં મોટા સમાચાર છે. હકિકતમાં જેડીએસ કર્ણાટકમાં એક મજબૂત પાર્ટી છે, દક્ષિણના વિસ્તારોમાં તો તેમની મજબૂત પકડ છે. આ ઉપરાંત વોકલિંગ સમુદાયમાં પૂર્વ PM દેવગૌડાના કારણે પાર્ટીની સારી એવી લોકપ્રિયતા છે. એવામાં ચૂંટણી મૌસમમાં જ્યારે ભાજપને જેડીએસનો સાથે મળી રહ્યો છે, તો તેની અસર જમીન પર જોવા મળશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો રકાસ થયો હતો, ત્યારે હવે JDS સાથે આવતા પાર્ટીની મુશ્કેલીઓ થોડી આસાન બની શકે છે. ઉલ્લેખનિય છે કે ગત ચૂંટણીમાં JDSનું પ્રદર્શન કેવું હતુંકર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કિંગમેકરનું સપનું જોતી JDSને માત્ર 19 સીટ જ મળી હતી, ત્યારે તેમણો વોટ શેર પણ 13 ટકાની આસપાસ રહ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસે પ્રચંડ બહુમતી મેળવતા 135 સીટ જીતી હતી. જ્યારે ભાજપનો આંકડ 66 પર જ સમેટાઈ ગયો હતો. આ પરિણામ બાદ ભાજપ દક્ષિણમાં ખાસ કરીને કર્ણાટકમાં એક વિશ્વાસુ સહયોગી શોધી રહ્યું હતું, જે કાર્ય અંતે આજે પૂર્ણ થયું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.