શું NDA સત્તામાં વાપસી કરશે કે I.N.D.I.A.બાજી મારશે, જાણો સર્વેના પરિણામો


  • Published By :
  • Published Date : 2023-08-24 21:40:59

વર્ષ 2024માં કોની સરકાર આવશે? જો આજે ચૂંટણી થાય છે, તો કેટલી બેઠકો NDAના પક્ષમાં જશે, જ્યારે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A. કેટલી બેઠકો જીતશે. આ સર્વેમાં ફરી એકવાર NDAની સરકાર બની રહી છે. એનડીએના ખાતામાં 306 સીટો જતી જોવા મળી રહી છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A.ને 193 સીટો મળી રહી છે જ્યારે અન્યના ખાતામાં 44 સીટો આવી રહી છે. ઈન્ડિયા ટુડે-સી વોટરના સર્વેમાં આ પરિણામો સામે આવ્યા છે.


I.N.D.I.A.નો 41 ટકા વોટ શેર


જો વોટ શેરની વાત કરીએ તો વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન એનડીએની ખૂબ નજીક આવી રહ્યું છે. આ સર્વે અનુસાર 43 ટકા વોટ શેર NDAની તરફેણમાં જોવા મળે છે જ્યારે 41 ટકા વોટ શેર I.N.D.I.A.ની તરફેણમાં જોવા મળે છે. બીજી તરફ 16 ટકા વોટ શેર અન્યના ખાતામાં જતો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં સુધી એકલા ભાજપ અને કોંગ્રેસની બેઠકોની વાત છે તો ભાજપને 287 બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસને 74 અને અન્યને 182 બેઠકો મળી રહી છે.


મોંઘવારી સૌથી મોટો પ્રશ્ન


શું તમે NDA સરકારની કામગીરીથી સંતુષ્ટ છો? દેશનો મૂડ જાણવા માટે કરવામાં આવેલા આ સર્વેમાં 59 ટકા લોકોએ હા પાડી. જ્યારે, 19 ટકા લોકો અસંતુષ્ટ દેખાયા. તમે સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ શું માનો છો? જવાબમાં, 21 ટકા લોકો કોવિડ રોગચાળાને સંભાળવાને સૌથી મોટી ઉપલબ્ધિ માને છે. બીજા નંબર પર 13 ટકા લોકો ભ્રષ્ટાચાર મુક્ત સરકારને એક સિદ્ધિ માને છે. રામ મંદિર અને 370ની વિદાયને પણ એક સિદ્ધિ ગણાવી છે. આ સર્વેમાં સરકારની સૌથી મોટી નિષ્ફળતા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં 25 ટકા લોકોએ મોંઘવારી જણાવી હતી. તે જ સમયે, 17 ટકા લોકોએ બેરોજગારીને સૌથી મોટી નિષ્ફળતા ગણાવી.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .