શું NDA સત્તામાં વાપસી કરશે કે I.N.D.I.A.બાજી મારશે, જાણો સર્વેના પરિણામો


  • Published By :
  • Published Date : 2023-08-24 21:40:59

વર્ષ 2024માં કોની સરકાર આવશે? જો આજે ચૂંટણી થાય છે, તો કેટલી બેઠકો NDAના પક્ષમાં જશે, જ્યારે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A. કેટલી બેઠકો જીતશે. આ સર્વેમાં ફરી એકવાર NDAની સરકાર બની રહી છે. એનડીએના ખાતામાં 306 સીટો જતી જોવા મળી રહી છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A.ને 193 સીટો મળી રહી છે જ્યારે અન્યના ખાતામાં 44 સીટો આવી રહી છે. ઈન્ડિયા ટુડે-સી વોટરના સર્વેમાં આ પરિણામો સામે આવ્યા છે.


I.N.D.I.A.નો 41 ટકા વોટ શેર


જો વોટ શેરની વાત કરીએ તો વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન એનડીએની ખૂબ નજીક આવી રહ્યું છે. આ સર્વે અનુસાર 43 ટકા વોટ શેર NDAની તરફેણમાં જોવા મળે છે જ્યારે 41 ટકા વોટ શેર I.N.D.I.A.ની તરફેણમાં જોવા મળે છે. બીજી તરફ 16 ટકા વોટ શેર અન્યના ખાતામાં જતો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં સુધી એકલા ભાજપ અને કોંગ્રેસની બેઠકોની વાત છે તો ભાજપને 287 બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસને 74 અને અન્યને 182 બેઠકો મળી રહી છે.


મોંઘવારી સૌથી મોટો પ્રશ્ન


શું તમે NDA સરકારની કામગીરીથી સંતુષ્ટ છો? દેશનો મૂડ જાણવા માટે કરવામાં આવેલા આ સર્વેમાં 59 ટકા લોકોએ હા પાડી. જ્યારે, 19 ટકા લોકો અસંતુષ્ટ દેખાયા. તમે સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ શું માનો છો? જવાબમાં, 21 ટકા લોકો કોવિડ રોગચાળાને સંભાળવાને સૌથી મોટી ઉપલબ્ધિ માને છે. બીજા નંબર પર 13 ટકા લોકો ભ્રષ્ટાચાર મુક્ત સરકારને એક સિદ્ધિ માને છે. રામ મંદિર અને 370ની વિદાયને પણ એક સિદ્ધિ ગણાવી છે. આ સર્વેમાં સરકારની સૌથી મોટી નિષ્ફળતા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં 25 ટકા લોકોએ મોંઘવારી જણાવી હતી. તે જ સમયે, 17 ટકા લોકોએ બેરોજગારીને સૌથી મોટી નિષ્ફળતા ગણાવી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .