શું NDA સત્તામાં વાપસી કરશે કે I.N.D.I.A.બાજી મારશે, જાણો સર્વેના પરિણામો


  • Published By :
  • Published Date : 2023-08-24 21:40:59

વર્ષ 2024માં કોની સરકાર આવશે? જો આજે ચૂંટણી થાય છે, તો કેટલી બેઠકો NDAના પક્ષમાં જશે, જ્યારે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A. કેટલી બેઠકો જીતશે. આ સર્વેમાં ફરી એકવાર NDAની સરકાર બની રહી છે. એનડીએના ખાતામાં 306 સીટો જતી જોવા મળી રહી છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A.ને 193 સીટો મળી રહી છે જ્યારે અન્યના ખાતામાં 44 સીટો આવી રહી છે. ઈન્ડિયા ટુડે-સી વોટરના સર્વેમાં આ પરિણામો સામે આવ્યા છે.


I.N.D.I.A.નો 41 ટકા વોટ શેર


જો વોટ શેરની વાત કરીએ તો વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન એનડીએની ખૂબ નજીક આવી રહ્યું છે. આ સર્વે અનુસાર 43 ટકા વોટ શેર NDAની તરફેણમાં જોવા મળે છે જ્યારે 41 ટકા વોટ શેર I.N.D.I.A.ની તરફેણમાં જોવા મળે છે. બીજી તરફ 16 ટકા વોટ શેર અન્યના ખાતામાં જતો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં સુધી એકલા ભાજપ અને કોંગ્રેસની બેઠકોની વાત છે તો ભાજપને 287 બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસને 74 અને અન્યને 182 બેઠકો મળી રહી છે.


મોંઘવારી સૌથી મોટો પ્રશ્ન


શું તમે NDA સરકારની કામગીરીથી સંતુષ્ટ છો? દેશનો મૂડ જાણવા માટે કરવામાં આવેલા આ સર્વેમાં 59 ટકા લોકોએ હા પાડી. જ્યારે, 19 ટકા લોકો અસંતુષ્ટ દેખાયા. તમે સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ શું માનો છો? જવાબમાં, 21 ટકા લોકો કોવિડ રોગચાળાને સંભાળવાને સૌથી મોટી ઉપલબ્ધિ માને છે. બીજા નંબર પર 13 ટકા લોકો ભ્રષ્ટાચાર મુક્ત સરકારને એક સિદ્ધિ માને છે. રામ મંદિર અને 370ની વિદાયને પણ એક સિદ્ધિ ગણાવી છે. આ સર્વેમાં સરકારની સૌથી મોટી નિષ્ફળતા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં 25 ટકા લોકોએ મોંઘવારી જણાવી હતી. તે જ સમયે, 17 ટકા લોકોએ બેરોજગારીને સૌથી મોટી નિષ્ફળતા ગણાવી.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.