શું NDA સત્તામાં વાપસી કરશે કે I.N.D.I.A.બાજી મારશે, જાણો સર્વેના પરિણામો


  • Published By :
  • Published Date : 2023-08-24 21:40:59

વર્ષ 2024માં કોની સરકાર આવશે? જો આજે ચૂંટણી થાય છે, તો કેટલી બેઠકો NDAના પક્ષમાં જશે, જ્યારે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A. કેટલી બેઠકો જીતશે. આ સર્વેમાં ફરી એકવાર NDAની સરકાર બની રહી છે. એનડીએના ખાતામાં 306 સીટો જતી જોવા મળી રહી છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A.ને 193 સીટો મળી રહી છે જ્યારે અન્યના ખાતામાં 44 સીટો આવી રહી છે. ઈન્ડિયા ટુડે-સી વોટરના સર્વેમાં આ પરિણામો સામે આવ્યા છે.


I.N.D.I.A.નો 41 ટકા વોટ શેર


જો વોટ શેરની વાત કરીએ તો વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન એનડીએની ખૂબ નજીક આવી રહ્યું છે. આ સર્વે અનુસાર 43 ટકા વોટ શેર NDAની તરફેણમાં જોવા મળે છે જ્યારે 41 ટકા વોટ શેર I.N.D.I.A.ની તરફેણમાં જોવા મળે છે. બીજી તરફ 16 ટકા વોટ શેર અન્યના ખાતામાં જતો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં સુધી એકલા ભાજપ અને કોંગ્રેસની બેઠકોની વાત છે તો ભાજપને 287 બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસને 74 અને અન્યને 182 બેઠકો મળી રહી છે.


મોંઘવારી સૌથી મોટો પ્રશ્ન


શું તમે NDA સરકારની કામગીરીથી સંતુષ્ટ છો? દેશનો મૂડ જાણવા માટે કરવામાં આવેલા આ સર્વેમાં 59 ટકા લોકોએ હા પાડી. જ્યારે, 19 ટકા લોકો અસંતુષ્ટ દેખાયા. તમે સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ શું માનો છો? જવાબમાં, 21 ટકા લોકો કોવિડ રોગચાળાને સંભાળવાને સૌથી મોટી ઉપલબ્ધિ માને છે. બીજા નંબર પર 13 ટકા લોકો ભ્રષ્ટાચાર મુક્ત સરકારને એક સિદ્ધિ માને છે. રામ મંદિર અને 370ની વિદાયને પણ એક સિદ્ધિ ગણાવી છે. આ સર્વેમાં સરકારની સૌથી મોટી નિષ્ફળતા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં 25 ટકા લોકોએ મોંઘવારી જણાવી હતી. તે જ સમયે, 17 ટકા લોકોએ બેરોજગારીને સૌથી મોટી નિષ્ફળતા ગણાવી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.