NDRFની ટીમે કાટમાળ નીચે દટાયેલી 6 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો, અમિત શાહે કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2023-02-10 14:03:31

તુર્કીને ધ્રુજાવી નાખનારા ભૂકંપના કારણે અત્યાર સુધી 11 હજારથી પણ વધુ લોકોના મોત થયા છે. આ ભયાનક ધરતીકંપ બાદ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જોરશોરથી બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલી બચાવ ટુકડીઓ કાટમાળમાં દટાયેલા લોકોને શોધવાના સતત પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ભારતની NDRFની ટીમે પણ અભૂતપૂર્વ કામગીરી કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. NDRFની ટીમે કાટમાળમાંથી 6 વર્ષની બાળકીને બચાવી છે.


બાળકીને કઈ રીતે બચાવી?


તુર્કી મોકલવામાં આવેલી NDRF અને ઇન્ડિયન આર્મીની ટીમ ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ કાટમાળ નીચે દબાયેલાં લોકોને શોધીને નવું જીવન આપી રહી છે. NDRF આઠમી બટાલિયન ગાઝિયાબાદની ટીમે ભૂકંપના 90 કલાક પછી 6 વર્ષની બાળકીને જીવતી રેસ્ક્યૂ કરી છે. ત્યાં જ પરિવારના ત્રણ સભ્યોને ગુમાવી ચૂકેલી 13 વર્ષની બાળકી 72 કલાક પછી કાટમાળમાંથી જીવતી બહાર આવી છે અને હવે તે ઇન્ડિયન આર્મીની 60 પેરા ફીલ્ડ હોસ્પિટલ આગ્રામાં દેખરેખ હેઠળ છે.  સેનાની આઠમી બટાલિયનની ટીમ તુર્કીના ગાજિયાન્ટેપ પ્રોવિન્સના નૂરદાગ શહેરમાં રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે. NDRFની ટીમે ગુરુવાર રાતે 6 વર્ષની બાળકીને જીવિત અને 6 લોકોના શબ બહાર કાઢ્યા છે. એલ્વાનમાં બેરેન નામની આ બાળકી 90 કલાક પછી કાટમાળમાંથી બહાર આવી છે. તેને તરત જ હોસ્પિટલ મોકલવામાં આવી છે. લોકલ રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધી નૂરદાગમાં લગભગ 1100 લોકોનું મૃત્યુ થઈ ગયું છે અને લગભગ 2000 લોકો ઘાયલ છે.


અમિત શાહે પણ અંગે ટ્વીટ કર્યું


ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વીટ કર્યું છે અને બચાવનો વીડિયો પણ શેર કર્યો છે. ટ્વીટર પર તુર્કીનો એક વીડિયો શેર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, 'અમને આપણા NDRF પર ગર્વ છે. તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશનમાં, IND-11 ટીમે ગાઝિયાંટેપ શહેરમાં છ વર્ષની બાળકી બેરેનનો જીવ બચાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, અમે NDRFને વિશ્વની અગ્રણી ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ બનાવવા માટે કટિબદ્ધ છીએ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.