NDRFની ટીમે કાટમાળ નીચે દટાયેલી 6 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો, અમિત શાહે કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2023-02-10 14:03:31

તુર્કીને ધ્રુજાવી નાખનારા ભૂકંપના કારણે અત્યાર સુધી 11 હજારથી પણ વધુ લોકોના મોત થયા છે. આ ભયાનક ધરતીકંપ બાદ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જોરશોરથી બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલી બચાવ ટુકડીઓ કાટમાળમાં દટાયેલા લોકોને શોધવાના સતત પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ભારતની NDRFની ટીમે પણ અભૂતપૂર્વ કામગીરી કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. NDRFની ટીમે કાટમાળમાંથી 6 વર્ષની બાળકીને બચાવી છે.


બાળકીને કઈ રીતે બચાવી?


તુર્કી મોકલવામાં આવેલી NDRF અને ઇન્ડિયન આર્મીની ટીમ ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ કાટમાળ નીચે દબાયેલાં લોકોને શોધીને નવું જીવન આપી રહી છે. NDRF આઠમી બટાલિયન ગાઝિયાબાદની ટીમે ભૂકંપના 90 કલાક પછી 6 વર્ષની બાળકીને જીવતી રેસ્ક્યૂ કરી છે. ત્યાં જ પરિવારના ત્રણ સભ્યોને ગુમાવી ચૂકેલી 13 વર્ષની બાળકી 72 કલાક પછી કાટમાળમાંથી જીવતી બહાર આવી છે અને હવે તે ઇન્ડિયન આર્મીની 60 પેરા ફીલ્ડ હોસ્પિટલ આગ્રામાં દેખરેખ હેઠળ છે.  સેનાની આઠમી બટાલિયનની ટીમ તુર્કીના ગાજિયાન્ટેપ પ્રોવિન્સના નૂરદાગ શહેરમાં રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે. NDRFની ટીમે ગુરુવાર રાતે 6 વર્ષની બાળકીને જીવિત અને 6 લોકોના શબ બહાર કાઢ્યા છે. એલ્વાનમાં બેરેન નામની આ બાળકી 90 કલાક પછી કાટમાળમાંથી બહાર આવી છે. તેને તરત જ હોસ્પિટલ મોકલવામાં આવી છે. લોકલ રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધી નૂરદાગમાં લગભગ 1100 લોકોનું મૃત્યુ થઈ ગયું છે અને લગભગ 2000 લોકો ઘાયલ છે.


અમિત શાહે પણ અંગે ટ્વીટ કર્યું


ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વીટ કર્યું છે અને બચાવનો વીડિયો પણ શેર કર્યો છે. ટ્વીટર પર તુર્કીનો એક વીડિયો શેર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, 'અમને આપણા NDRF પર ગર્વ છે. તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશનમાં, IND-11 ટીમે ગાઝિયાંટેપ શહેરમાં છ વર્ષની બાળકી બેરેનનો જીવ બચાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, અમે NDRFને વિશ્વની અગ્રણી ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ બનાવવા માટે કટિબદ્ધ છીએ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.