NDTVના શેરએ એક વર્ષમાં આપ્યું 450% જેટલું બમ્પર રિટર્ન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 18:53:55

અદાણી ગ્રુપે NDTV (ન્યૂ દિલ્લી ટેલિવિઝન લિમિટેડ) પર મોટો દાવ લગાવ્યો છે. અદાણી ગ્રુપ NDTVને ખરીદવા માંગે છે તે સમાચાર બહાર આવ્યા ત્યાર બાદ આ કંપનીના શેરમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી NDTVના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. આ સમયગાળામાં NDTVના શેરોમાં 68 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. ગત એક વર્ષમાં NDTVના શેરોએ રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં NDTVના શેર લગભગ  450 ટકા જેટલા ચઢ્યા છે.  


1 વર્ષમાં 1 લાખના બન્યા 5.85 લાખ રૂપિયા


NDTVના શેરનો ભાવ 17 સપ્ટેમ્બર 2021ના દિવસે BSE પર 72.45 રૂપિયાના સ્તર પર હતો. આ જ શેર 26 ઓગસ્ટ 2022ના દિવસે 5 ટકાના અપર સર્કિટ સાથે 423.85 રૂપિયાના સ્તર પર હતો. જો કોઈ વ્યક્તિએ 17 સપ્ટેમ્બર 2021ના દિવસે NDTVના શેરમાં એક લાખ લગાવ્યા હોત તો આ જે  તેનું ઈન્વેસ્ટમેન્ટ  5.85 લાખ રૂપિયા જેટલું થયું હોત.


અઢી વર્ષમાં 1500 ટકાથી પણ વધુ રિટર્ન 


NDTVના શેરએ છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. છેલ્લા અઢી વર્ષમાં કંપનીના શેરે 1500 ટકાથી પણ વધુનું રિટર્ન આપ્યું છે. NDTVના શેર 20 માર્ચ 2020ના દિવસે BSEમાં 21.95 રૂપિયાના સ્તરે હતો. જે 26 ઓગસ્ટ 2022ના દિવસે 423.85 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ અઢી વર્ષમાં NDTVના શેરો પરનું એક લાખનું રોકાણ વધીને 19.30 લાખ રૂપિયા થઈ ગયું છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.