NDTVના શેરએ એક વર્ષમાં આપ્યું 450% જેટલું બમ્પર રિટર્ન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 18:53:55

અદાણી ગ્રુપે NDTV (ન્યૂ દિલ્લી ટેલિવિઝન લિમિટેડ) પર મોટો દાવ લગાવ્યો છે. અદાણી ગ્રુપ NDTVને ખરીદવા માંગે છે તે સમાચાર બહાર આવ્યા ત્યાર બાદ આ કંપનીના શેરમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી NDTVના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. આ સમયગાળામાં NDTVના શેરોમાં 68 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. ગત એક વર્ષમાં NDTVના શેરોએ રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં NDTVના શેર લગભગ  450 ટકા જેટલા ચઢ્યા છે.  


1 વર્ષમાં 1 લાખના બન્યા 5.85 લાખ રૂપિયા


NDTVના શેરનો ભાવ 17 સપ્ટેમ્બર 2021ના દિવસે BSE પર 72.45 રૂપિયાના સ્તર પર હતો. આ જ શેર 26 ઓગસ્ટ 2022ના દિવસે 5 ટકાના અપર સર્કિટ સાથે 423.85 રૂપિયાના સ્તર પર હતો. જો કોઈ વ્યક્તિએ 17 સપ્ટેમ્બર 2021ના દિવસે NDTVના શેરમાં એક લાખ લગાવ્યા હોત તો આ જે  તેનું ઈન્વેસ્ટમેન્ટ  5.85 લાખ રૂપિયા જેટલું થયું હોત.


અઢી વર્ષમાં 1500 ટકાથી પણ વધુ રિટર્ન 


NDTVના શેરએ છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. છેલ્લા અઢી વર્ષમાં કંપનીના શેરે 1500 ટકાથી પણ વધુનું રિટર્ન આપ્યું છે. NDTVના શેર 20 માર્ચ 2020ના દિવસે BSEમાં 21.95 રૂપિયાના સ્તરે હતો. જે 26 ઓગસ્ટ 2022ના દિવસે 423.85 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ અઢી વર્ષમાં NDTVના શેરો પરનું એક લાખનું રોકાણ વધીને 19.30 લાખ રૂપિયા થઈ ગયું છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.