NDTVના શેરએ એક વર્ષમાં આપ્યું 450% જેટલું બમ્પર રિટર્ન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 18:53:55

અદાણી ગ્રુપે NDTV (ન્યૂ દિલ્લી ટેલિવિઝન લિમિટેડ) પર મોટો દાવ લગાવ્યો છે. અદાણી ગ્રુપ NDTVને ખરીદવા માંગે છે તે સમાચાર બહાર આવ્યા ત્યાર બાદ આ કંપનીના શેરમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી NDTVના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. આ સમયગાળામાં NDTVના શેરોમાં 68 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. ગત એક વર્ષમાં NDTVના શેરોએ રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં NDTVના શેર લગભગ  450 ટકા જેટલા ચઢ્યા છે.  


1 વર્ષમાં 1 લાખના બન્યા 5.85 લાખ રૂપિયા


NDTVના શેરનો ભાવ 17 સપ્ટેમ્બર 2021ના દિવસે BSE પર 72.45 રૂપિયાના સ્તર પર હતો. આ જ શેર 26 ઓગસ્ટ 2022ના દિવસે 5 ટકાના અપર સર્કિટ સાથે 423.85 રૂપિયાના સ્તર પર હતો. જો કોઈ વ્યક્તિએ 17 સપ્ટેમ્બર 2021ના દિવસે NDTVના શેરમાં એક લાખ લગાવ્યા હોત તો આ જે  તેનું ઈન્વેસ્ટમેન્ટ  5.85 લાખ રૂપિયા જેટલું થયું હોત.


અઢી વર્ષમાં 1500 ટકાથી પણ વધુ રિટર્ન 


NDTVના શેરએ છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. છેલ્લા અઢી વર્ષમાં કંપનીના શેરે 1500 ટકાથી પણ વધુનું રિટર્ન આપ્યું છે. NDTVના શેર 20 માર્ચ 2020ના દિવસે BSEમાં 21.95 રૂપિયાના સ્તરે હતો. જે 26 ઓગસ્ટ 2022ના દિવસે 423.85 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ અઢી વર્ષમાં NDTVના શેરો પરનું એક લાખનું રોકાણ વધીને 19.30 લાખ રૂપિયા થઈ ગયું છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.