અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.
અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીમાં ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર જ્યુઈશ મ્યુઝિયમની નજીક જીવલેણ હુમલો થયો છે . આ હુમલો ભારતીય સમય પ્રમાણે ગુરુવારે વેહલી સવારના રોજ સાડા છ વાગ્યાની આસપાસ થયો છે . આ બાબતે ઈલિયાસ રોડ્રિગુએઝ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જયારે ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામના નારા લગાવ્યા હતા . આ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર આ હુમલાને વખોડતા પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું છે , " આ હુમલો એંટીસેમિટિઝમની ભાવનાને આધારિત છે અને તેનો હાલમાં જ અંત થવો જોઈએ. ઘૃણા અને કટ્ટરવાદની અમેરિકામાં કોઈ જ જગ્યા નથી . હુમલાંમાં પીડિત પરિવારોને સંવેદના પાઠવું છું . " વાત કરીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની તો તેમણે બે ઇઝરાયેલી સ્ટાફના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
વોશિંગટન ડીસીમાં આ જે હુમલો થયો છે , તે જ્યુઈશ મ્યુઝિયમની બહાર થયો છે ત્યાં એક સામાજિક કાર્યક્રમનું આયોજન થયેલું હતું. આ હુમલામાં જે બે વ્યક્તિના મૃત્યુ થયા છે તેમાં એક પુરુષ અને મહિલાનો સમાવેશ થાય છે. અહીં એક શબ્દ જે છે "એંટીસેમિટિઝમ" તેનો અર્થ એ થાય છે કે , યહૂદી વિરોધીવાદ અથવા તો યહૂદી દ્વેષ કહેવામાં આવે છે. યહૂદી વિરોધીવાદ એ એક વિચારધારા પર આધારિત છે. વાત કરીએ ભારતની તો ભારતે સમગ્ર વિશ્વમાં આતંકવાદની એક ચોક્કસ પરિભાષા નક્કી કરવાની માંગણી કરી છે. પરંતુ પશ્ચિમી દેશો આ બાબતે સહેમત નથી થઈ રહ્યા . થોડાક સમય પેહલા જ ડોનાલ્ડ ટ્રમ્પનું આતંકવાદ બાબતે બેવડું વલણ બહાર આવ્યું હતું . તેમણે સીરિયાના નવા શાસક અહેમદ અલ શરા સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરી હતી જેની પર એક સમયે અમેરિકાએ ખુબ મોટું ઇનામ રાખ્યું હતું સાથે જ તે અલ કાયદા સાથે જોડાયેલો પણ હતો . આજ અલ કાયદાએ અમેરિકા પર 9 / ૧૧નો હુમલો કરાવડાવ્યો હતો .