અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં બે ઇઝરાયેલી કર્મચારીઓની ગોળી મારી હત્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-22 15:11:04

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી. 

અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીમાં ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર જ્યુઈશ મ્યુઝિયમની નજીક જીવલેણ હુમલો થયો છે . આ હુમલો ભારતીય સમય પ્રમાણે ગુરુવારે વેહલી સવારના રોજ સાડા છ વાગ્યાની આસપાસ થયો છે . આ બાબતે ઈલિયાસ રોડ્રિગુએઝ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જયારે ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામના નારા લગાવ્યા હતા . આ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર આ હુમલાને વખોડતા પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું છે , " આ હુમલો એંટીસેમિટિઝમની ભાવનાને આધારિત છે અને તેનો હાલમાં જ અંત થવો જોઈએ. ઘૃણા અને કટ્ટરવાદની અમેરિકામાં કોઈ જ જગ્યા નથી . હુમલાંમાં પીડિત પરિવારોને સંવેદના પાઠવું છું . " વાત કરીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની તો તેમણે બે ઇઝરાયેલી સ્ટાફના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. 

વોશિંગટન ડીસીમાં આ જે હુમલો થયો છે , તે જ્યુઈશ મ્યુઝિયમની બહાર થયો છે ત્યાં એક સામાજિક કાર્યક્રમનું આયોજન થયેલું હતું. આ હુમલામાં જે બે વ્યક્તિના મૃત્યુ થયા છે તેમાં એક પુરુષ અને મહિલાનો સમાવેશ થાય છે. અહીં એક શબ્દ જે છે "એંટીસેમિટિઝમ" તેનો અર્થ એ થાય છે કે , યહૂદી વિરોધીવાદ અથવા તો યહૂદી દ્વેષ કહેવામાં આવે છે. યહૂદી વિરોધીવાદ એ એક વિચારધારા પર આધારિત છે. વાત કરીએ ભારતની તો ભારતે સમગ્ર વિશ્વમાં આતંકવાદની એક ચોક્કસ પરિભાષા નક્કી કરવાની માંગણી કરી છે. પરંતુ પશ્ચિમી દેશો આ બાબતે સહેમત નથી થઈ રહ્યા . થોડાક સમય પેહલા જ ડોનાલ્ડ ટ્રમ્પનું આતંકવાદ બાબતે બેવડું વલણ બહાર આવ્યું હતું . તેમણે સીરિયાના નવા શાસક અહેમદ અલ શરા સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરી હતી જેની પર એક સમયે અમેરિકાએ ખુબ મોટું ઇનામ રાખ્યું હતું સાથે જ તે અલ કાયદા સાથે જોડાયેલો પણ હતો . આજ અલ કાયદાએ અમેરિકા પર 9 / ૧૧નો હુમલો કરાવડાવ્યો હતો . 



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.