અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં બે ઇઝરાયેલી કર્મચારીઓની ગોળી મારી હત્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-22 15:11:04

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી. 

અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીમાં ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર જ્યુઈશ મ્યુઝિયમની નજીક જીવલેણ હુમલો થયો છે . આ હુમલો ભારતીય સમય પ્રમાણે ગુરુવારે વેહલી સવારના રોજ સાડા છ વાગ્યાની આસપાસ થયો છે . આ બાબતે ઈલિયાસ રોડ્રિગુએઝ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જયારે ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામના નારા લગાવ્યા હતા . આ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર આ હુમલાને વખોડતા પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું છે , " આ હુમલો એંટીસેમિટિઝમની ભાવનાને આધારિત છે અને તેનો હાલમાં જ અંત થવો જોઈએ. ઘૃણા અને કટ્ટરવાદની અમેરિકામાં કોઈ જ જગ્યા નથી . હુમલાંમાં પીડિત પરિવારોને સંવેદના પાઠવું છું . " વાત કરીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની તો તેમણે બે ઇઝરાયેલી સ્ટાફના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. 

વોશિંગટન ડીસીમાં આ જે હુમલો થયો છે , તે જ્યુઈશ મ્યુઝિયમની બહાર થયો છે ત્યાં એક સામાજિક કાર્યક્રમનું આયોજન થયેલું હતું. આ હુમલામાં જે બે વ્યક્તિના મૃત્યુ થયા છે તેમાં એક પુરુષ અને મહિલાનો સમાવેશ થાય છે. અહીં એક શબ્દ જે છે "એંટીસેમિટિઝમ" તેનો અર્થ એ થાય છે કે , યહૂદી વિરોધીવાદ અથવા તો યહૂદી દ્વેષ કહેવામાં આવે છે. યહૂદી વિરોધીવાદ એ એક વિચારધારા પર આધારિત છે. વાત કરીએ ભારતની તો ભારતે સમગ્ર વિશ્વમાં આતંકવાદની એક ચોક્કસ પરિભાષા નક્કી કરવાની માંગણી કરી છે. પરંતુ પશ્ચિમી દેશો આ બાબતે સહેમત નથી થઈ રહ્યા . થોડાક સમય પેહલા જ ડોનાલ્ડ ટ્રમ્પનું આતંકવાદ બાબતે બેવડું વલણ બહાર આવ્યું હતું . તેમણે સીરિયાના નવા શાસક અહેમદ અલ શરા સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરી હતી જેની પર એક સમયે અમેરિકાએ ખુબ મોટું ઇનામ રાખ્યું હતું સાથે જ તે અલ કાયદા સાથે જોડાયેલો પણ હતો . આજ અલ કાયદાએ અમેરિકા પર 9 / ૧૧નો હુમલો કરાવડાવ્યો હતો . 



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.