અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં બે ઇઝરાયેલી કર્મચારીઓની ગોળી મારી હત્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-22 15:11:04

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી. 

અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીમાં ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર જ્યુઈશ મ્યુઝિયમની નજીક જીવલેણ હુમલો થયો છે . આ હુમલો ભારતીય સમય પ્રમાણે ગુરુવારે વેહલી સવારના રોજ સાડા છ વાગ્યાની આસપાસ થયો છે . આ બાબતે ઈલિયાસ રોડ્રિગુએઝ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જયારે ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામના નારા લગાવ્યા હતા . આ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર આ હુમલાને વખોડતા પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું છે , " આ હુમલો એંટીસેમિટિઝમની ભાવનાને આધારિત છે અને તેનો હાલમાં જ અંત થવો જોઈએ. ઘૃણા અને કટ્ટરવાદની અમેરિકામાં કોઈ જ જગ્યા નથી . હુમલાંમાં પીડિત પરિવારોને સંવેદના પાઠવું છું . " વાત કરીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની તો તેમણે બે ઇઝરાયેલી સ્ટાફના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. 

વોશિંગટન ડીસીમાં આ જે હુમલો થયો છે , તે જ્યુઈશ મ્યુઝિયમની બહાર થયો છે ત્યાં એક સામાજિક કાર્યક્રમનું આયોજન થયેલું હતું. આ હુમલામાં જે બે વ્યક્તિના મૃત્યુ થયા છે તેમાં એક પુરુષ અને મહિલાનો સમાવેશ થાય છે. અહીં એક શબ્દ જે છે "એંટીસેમિટિઝમ" તેનો અર્થ એ થાય છે કે , યહૂદી વિરોધીવાદ અથવા તો યહૂદી દ્વેષ કહેવામાં આવે છે. યહૂદી વિરોધીવાદ એ એક વિચારધારા પર આધારિત છે. વાત કરીએ ભારતની તો ભારતે સમગ્ર વિશ્વમાં આતંકવાદની એક ચોક્કસ પરિભાષા નક્કી કરવાની માંગણી કરી છે. પરંતુ પશ્ચિમી દેશો આ બાબતે સહેમત નથી થઈ રહ્યા . થોડાક સમય પેહલા જ ડોનાલ્ડ ટ્રમ્પનું આતંકવાદ બાબતે બેવડું વલણ બહાર આવ્યું હતું . તેમણે સીરિયાના નવા શાસક અહેમદ અલ શરા સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરી હતી જેની પર એક સમયે અમેરિકાએ ખુબ મોટું ઇનામ રાખ્યું હતું સાથે જ તે અલ કાયદા સાથે જોડાયેલો પણ હતો . આજ અલ કાયદાએ અમેરિકા પર 9 / ૧૧નો હુમલો કરાવડાવ્યો હતો . 



ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.

ગુજરાત ભાજપ માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપને ત્રણ દિવસમાં નવા પ્રમુખ મળી શકે છે. આજે અથવા આવતીકાલે પ્રમુખપદની ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર થઇ શકે છે. પરમ દિવસથી એટલેકે , એક દિવસની અંદર પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકાશે. આ ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે નામ જાહેર થઇ શકે છે. ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ OBC હશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે .

પેસિફિક સમુદ્રમાં આવેલા દેશ ફિલિપાઇન્સમાં ભૂકંપે તબાહી મચાવી છે. ફિલિપાઇન્સના મધ્ય ભાગમાં, સીબુ પ્રાંતમાં 30 સપ્ટેમ્બર 2025ની રાત્રે 6.9 મેગ્નિટ્યુડનો મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા 69 લોકોના મોત થયા અને 150થી વધુ ઘાયલ થયા. આ ભૂકંપ બોગો શહેરની નજીક સમુદ્રમાં આવ્યો હતો, જેની ઊંડાઈ આશરે 10 કિલોમીટર હતી, અને તેના કારણે ઘણી ઇમારતો, જેમાં 100 વર્ષ જૂના એક ચર્ચનો પણ સમાવેશ થાય છે. વીજળી કટોકટી, પાણીની અછત અને આફ્ટરશોક્સના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકત લઈને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન રાજકોટ બાયપાસ હાઇવે પર તેમના સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે આ રૂટ બદલાયો હતો જેના કારણે , રાજ્યપાલ આનંદીબેન પટેલ ભારે નારાજ થયા છે. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે , રાજકોટના MLA ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા માટે આ રૂટ બદલાયો હતો .