સંસદ બહાર ધરણા કરનારી નીલમ છે હાઈલી ક્વોલિફાઇડ, BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET છે


  • Published By :
  • Published Date : 2023-12-13 20:59:56

સંસદ ભવન બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ બુધવારે બપોરે ધરપકડ કરાયેલી નીલમ વિશે મહત્વની માહિતી સામે આવી છે. તે હરિયાણાના જીંદની રહેવાસી છે. નીલમના ભાઈએ કહ્યું કે અમને ખબર ન હતી કે તે દિલ્હી ગઈ છે. અમને ખબર હતી કે તે અભ્યાસ માટે હિસારમાં હતી. તે ગઈ કાલના આગલા દિવસે આવી હતી અને ગઈકાલે જ પાછી ગઈ હતી.નીલમના ભાઈએ આપેલી માહિતી મુજબ તેણે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું છે. નિલમે ઘણી વખત બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે અને ખેડૂતોના આંદોલનમાં ભાગ લીધો હતો.


ખેડૂત આંદોલનમાં ભાગ લીધો હતો

 

નીલમના ભાઈ રામનરેશે જણાવ્યું હતું કે, “નીલમ મારી મોટી બહેન છે. અમને ખબર ન હતી કે તે દિલ્હી ગઈ હતી. અમને ફક્ત એટલું જ ખબર હતી કે અમે તેને વધુ અભ્યાસ માટે હિસારમાં રાખી હતી. તે ગઈ કાલના આગલા દિવસે આવી હતી, કાલે પાછી ગઈ હતી. તે BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET લાયકાત ધરાવે છે.” ખેડૂત આંદોલન તેનું પ્રથમ આંદોલન હતું. આ કારણોસર અમે તેને હિસારમાં છોડી દીધું હતું. આ ઘટનાને 6 મહિના થઈ ગયા છે. આજની ઘટના વિશે મોટા ભાઈએ અમને માહિતી આપી હતી. અમારા પિતા કંદોઈ છે, મારો ભાઈ અને હું દૂધ વેચવાનું કામ કરીએ છીએ. અમને ખબર નથી કે તેણે સારું કામ કર્યું છે કે ખરાબ.”


નીલમની માતાએ શું કહ્યું?


નીલમની માતા સરસ્વતીએ મીડિયાને જણાવ્યું હતું કે, “તે બેરોજગારીને લઈને ખૂબ જ ચિંતિત હતી. અમે તેની સાથે વાત કરી પરંતુ તેણે અમને દિલ્હી વિશે કશું કહ્યું નહોતું. તે મને કહેતી હતી કે તે આટલી ભણેલી છે છતાં તેની પાસે કોઈ નોકરી નથી. હું મરી જાઉં એ સારું. અમે ગરીબ લોકો છીએ અને માંડ માંડ જીવન ગુજારીએ છીએ.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.