World Athletics Championshipsમાં Neeraj Chopraએ મેળવ્યો ગોલ્ડ મેડલ, ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા


  • Published By :
  • Published Date : 2023-08-28 09:22:48

નીરજ ચોપરાએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. રવિવારનો દિવસ ભારત માટે સુર્વણ દિવસ તરીકે યાદગાર રહેશે કારણ કે નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ વધુ એક સુર્વણ પદક પોતાના નામે કરી દીધો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય નીરજ ચોપરા બની ગયા છે. જેવેલિન થ્રો ઈવેન્ટમાં 88.17 મીટરનો થ્રો કરી ભારતમાં ઈતિહાસ રચ્યો છે.   

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ  

27 ઓગસ્ટ 2023 હંગેરીમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી અને દરેક ભારતીયની નજર નરજ ચોપરા પર હતી. કારણ કે ગઈકાલે મેન્સ જેવલિન થ્રો ફાઈનલ યોજાઈ હતી અને ફાઈનલ સુધી ગોલ્ડન બોય નિરજ ચોપરા પહોંચ્યા હતા. ફાઈનલ થ્રોમાં ખેલાડીઓ વચ્ચે ટસલ જામી હતી. પરંતુ અંતે ભારતના ગોલ્ડન બોય ગણાતા નીરજ ચોપરાએ પોતાનું નામ ઈતિહાસમાં દર્જ કરાવી દીધું છે. મહત્વનું છે કે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો એક પણ ગોલ્ડ મેડલ ભારત પાસે નહોતો. ત્યારે ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા પ્રથમ ભારતીય બન્યા છે. ભારત માટે તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે.    

પીએમ મોદીએ પાઠવી શુભકામના

મહત્વનું છે 2016માં નીરજે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ એથ્લેટિક્સમાં આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યા છે. 7 વર્ષ પછી નીરજે ફરી એક વખત ભારતનું નામ રોશન કર્યું છે. વરિષ્ઠ સ્તરે પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા છે. નીરજ ચોપરાની સિદ્ધિને પીએમ મોદીએ બીરદાવી છે. 

 Neeraj Chopra World Champion:વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના (World Athletics Championship 2023) છેલ્લા દિવસે એટલે કે 27મી ઓગસ્ટે બધાની નજર ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા પર હતી. મેન્સ જેવલિન થ્રો ફાઇનલ થ્રોમાં ખેલાડીઓ વચ્ચે આરપારની જંગ જોવા મળી હતી. આ ફાઈનલ પહેલા ભારત પાસે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો એક પણ ગોલ્ડ મેડલ નહોતો. નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભારતને ગૌરવ અપાવ્યું. નોંધનીય છે કે, હરિયાણાના એક ગામથી પોતાનું વજન ઘટાડવા માટે રમત રમવાની શરૂઆત કરનાર નીરજ ચોપરાની સફર એટલી ભવ્ય રહ્યી છે કે, તે દરેક સમયે જીતની નવી ગાથા લખતો રહ્યો. પગલું. બે વર્ષ પહેલા ટોક્યોમાં તેણે ઓલિમ્પિક ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તે સમયે, તે માત્ર 23 વર્ષનો હતો અને મહાન શૂટર અભિનવ બિન્દ્રા પછી ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર બીજા ભારતીય બન્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.