World Athletics Championshipsમાં Neeraj Chopraએ મેળવ્યો ગોલ્ડ મેડલ, ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા


  • Published By :
  • Published Date : 2023-08-28 09:22:48

નીરજ ચોપરાએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. રવિવારનો દિવસ ભારત માટે સુર્વણ દિવસ તરીકે યાદગાર રહેશે કારણ કે નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ વધુ એક સુર્વણ પદક પોતાના નામે કરી દીધો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય નીરજ ચોપરા બની ગયા છે. જેવેલિન થ્રો ઈવેન્ટમાં 88.17 મીટરનો થ્રો કરી ભારતમાં ઈતિહાસ રચ્યો છે.   

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ  

27 ઓગસ્ટ 2023 હંગેરીમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી અને દરેક ભારતીયની નજર નરજ ચોપરા પર હતી. કારણ કે ગઈકાલે મેન્સ જેવલિન થ્રો ફાઈનલ યોજાઈ હતી અને ફાઈનલ સુધી ગોલ્ડન બોય નિરજ ચોપરા પહોંચ્યા હતા. ફાઈનલ થ્રોમાં ખેલાડીઓ વચ્ચે ટસલ જામી હતી. પરંતુ અંતે ભારતના ગોલ્ડન બોય ગણાતા નીરજ ચોપરાએ પોતાનું નામ ઈતિહાસમાં દર્જ કરાવી દીધું છે. મહત્વનું છે કે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો એક પણ ગોલ્ડ મેડલ ભારત પાસે નહોતો. ત્યારે ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા પ્રથમ ભારતીય બન્યા છે. ભારત માટે તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે.    

પીએમ મોદીએ પાઠવી શુભકામના

મહત્વનું છે 2016માં નીરજે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ એથ્લેટિક્સમાં આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યા છે. 7 વર્ષ પછી નીરજે ફરી એક વખત ભારતનું નામ રોશન કર્યું છે. વરિષ્ઠ સ્તરે પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા છે. નીરજ ચોપરાની સિદ્ધિને પીએમ મોદીએ બીરદાવી છે. 

 Neeraj Chopra World Champion:વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના (World Athletics Championship 2023) છેલ્લા દિવસે એટલે કે 27મી ઓગસ્ટે બધાની નજર ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા પર હતી. મેન્સ જેવલિન થ્રો ફાઇનલ થ્રોમાં ખેલાડીઓ વચ્ચે આરપારની જંગ જોવા મળી હતી. આ ફાઈનલ પહેલા ભારત પાસે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો એક પણ ગોલ્ડ મેડલ નહોતો. નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભારતને ગૌરવ અપાવ્યું. નોંધનીય છે કે, હરિયાણાના એક ગામથી પોતાનું વજન ઘટાડવા માટે રમત રમવાની શરૂઆત કરનાર નીરજ ચોપરાની સફર એટલી ભવ્ય રહ્યી છે કે, તે દરેક સમયે જીતની નવી ગાથા લખતો રહ્યો. પગલું. બે વર્ષ પહેલા ટોક્યોમાં તેણે ઓલિમ્પિક ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તે સમયે, તે માત્ર 23 વર્ષનો હતો અને મહાન શૂટર અભિનવ બિન્દ્રા પછી ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર બીજા ભારતીય બન્યા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .