World Athletics Championshipsમાં Neeraj Chopraએ મેળવ્યો ગોલ્ડ મેડલ, ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા


  • Published By :
  • Published Date : 2023-08-28 09:22:48

નીરજ ચોપરાએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. રવિવારનો દિવસ ભારત માટે સુર્વણ દિવસ તરીકે યાદગાર રહેશે કારણ કે નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ વધુ એક સુર્વણ પદક પોતાના નામે કરી દીધો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય નીરજ ચોપરા બની ગયા છે. જેવેલિન થ્રો ઈવેન્ટમાં 88.17 મીટરનો થ્રો કરી ભારતમાં ઈતિહાસ રચ્યો છે.   

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ  

27 ઓગસ્ટ 2023 હંગેરીમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી અને દરેક ભારતીયની નજર નરજ ચોપરા પર હતી. કારણ કે ગઈકાલે મેન્સ જેવલિન થ્રો ફાઈનલ યોજાઈ હતી અને ફાઈનલ સુધી ગોલ્ડન બોય નિરજ ચોપરા પહોંચ્યા હતા. ફાઈનલ થ્રોમાં ખેલાડીઓ વચ્ચે ટસલ જામી હતી. પરંતુ અંતે ભારતના ગોલ્ડન બોય ગણાતા નીરજ ચોપરાએ પોતાનું નામ ઈતિહાસમાં દર્જ કરાવી દીધું છે. મહત્વનું છે કે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો એક પણ ગોલ્ડ મેડલ ભારત પાસે નહોતો. ત્યારે ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા પ્રથમ ભારતીય બન્યા છે. ભારત માટે તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે.    

પીએમ મોદીએ પાઠવી શુભકામના

મહત્વનું છે 2016માં નીરજે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ એથ્લેટિક્સમાં આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યા છે. 7 વર્ષ પછી નીરજે ફરી એક વખત ભારતનું નામ રોશન કર્યું છે. વરિષ્ઠ સ્તરે પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા છે. નીરજ ચોપરાની સિદ્ધિને પીએમ મોદીએ બીરદાવી છે. 

 Neeraj Chopra World Champion:વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના (World Athletics Championship 2023) છેલ્લા દિવસે એટલે કે 27મી ઓગસ્ટે બધાની નજર ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા પર હતી. મેન્સ જેવલિન થ્રો ફાઇનલ થ્રોમાં ખેલાડીઓ વચ્ચે આરપારની જંગ જોવા મળી હતી. આ ફાઈનલ પહેલા ભારત પાસે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો એક પણ ગોલ્ડ મેડલ નહોતો. નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભારતને ગૌરવ અપાવ્યું. નોંધનીય છે કે, હરિયાણાના એક ગામથી પોતાનું વજન ઘટાડવા માટે રમત રમવાની શરૂઆત કરનાર નીરજ ચોપરાની સફર એટલી ભવ્ય રહ્યી છે કે, તે દરેક સમયે જીતની નવી ગાથા લખતો રહ્યો. પગલું. બે વર્ષ પહેલા ટોક્યોમાં તેણે ઓલિમ્પિક ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તે સમયે, તે માત્ર 23 વર્ષનો હતો અને મહાન શૂટર અભિનવ બિન્દ્રા પછી ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર બીજા ભારતીય બન્યા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.