નકલી નાયબ કલેક્ટર ઝડપાતા હડકંપ, બારડોલીના બાબેનની નેહા પટેલે અનેક લોકો સાથે આચરી લાખોની ઠગાઈ


  • Published By :
  • Published Date : 2023-10-04 20:01:38

રાજ્યમાં બનાવટી સરકારી કર્મચારીઓનો જાણે રાફડો ફાટ્યો છે, થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક નકલી પોલીસની ધરપકડ કરાઈ હતી. જયારે હવે એક નવો મામલો સામે આવ્યો છે, બારડોલીના બાબેન ગામની એક બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની લોકોને ઠગતી નેહા પટેલ ઝડપાઇ છે. આ ભેજામાજ મહિલાએ અનેક લોકોને ચૂનો લગાડી લાખો રુપિયાની કટકી કરી છે. ડેપ્યુટી કલેક્ટર બની માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે કરવામાં ઠગાઈ કરવામાં આવી છે. પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતી હોવાનું અને ત્યાં નીકળતા કામોના ટેન્ડર અપાવી કમિશન તેમજ મુદ્દલ રકમ પરત આપવાની લાલચ આપી મહિલાએ તે ખેડૂત સાથે 22.28 લાખની છેતરપિંડી કરી છે. માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે ઠગાઈ આચરનારી નેહા પટેલનું કારસ્તાન સામે આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આ અગાઉ પણ બારડોલી ,ડેડીયાપાડા, કતારગામ તેમજ વડોદરામાં આ મહિલાએ કરોડો રુપિયાની ઠગાઈ કરી હોવાની માહિતી સામે આવી છે.



કઈ રીતે ઝડપાઈ ઠગ નેહા પટેલ?


બારડોલીના બાબેન ગામની નેહા પટેલની છેતરપિંડી આચરવાની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ક્યારેક ડેપ્યુટી કલેક્ટર તો ક્યારેક એસ.પી બનીને આ મહિલા ભોળા લોકો સાથે ઠગાઈ આચરતી હતી. માંડવી તાલુકાના તારાપુર ગામના ખેડૂત રામુ ચૌધરીને પોતે નર્મદા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું જણાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત હોવાનું જણાવી મહિલાએ રામુ ચૌધરીને પોતાની જાળમાં ફસાવ્યો અને સ્ટેચ્યુ પરથી બહાર પડતા કામોમાં પૈસા રોકી ત્યાંથી મોટું કમિશન મળવાની લાલચ આપી રામુ ચૌધરી પાસેથી 22.28 લાખ પડાવી લીધા. જોકે પોતે છેતરાયો હોવાનું ભાન થતા રામુ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને આ મહિલા ચીટર પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. 


2018થી શરૂ કર્યો હતો ઠગાઈનો ધંધો


નેહા પટેલની છેતરપિંડીનો આ સિલસિલો 2018 થી શરૂ થઈ ગયો હતો. 2018માં મહિલા વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં પ્રથમ ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદી યોગેશ મનસુખ વિરાનીને પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી એગ્રીકલ્ચર ઝોનમાં આવેલી જમીન ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સફર કરાવી આપવા તેમજ સુરતના વેસુ ખાતે આવેલી એક જમીન જંત્રીના ભાવે અપાવવાના નામે 32 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ અડાજણ ખાતે રહેતા રવજી ખોખર નામના ફરિયાદીને 2021મા પોતાની વડોદરાના ડેપ્યુટી કલકેટર તરીકે ઓળખ આપી અને નકલી આઈકાર્ડ બતાવી અડાજણ સ્ટાર બજાર ક્રોમાં સેન્ટર પાછળ આવેલી સરકારી જમીન ફાળવણી કરાવી આપવાની કહી તેમજ કામરેજના વાલક ગામે આવેલી 73 AA વાળી એક જમીન ટાઇટલ ક્લિયર કરી ફાળવણી કરી આપવાના નામે 1.55 કરોડ પડાવ્યા હતા. ત્યારબાદ ડેડીયાપડા પાડાના કૃતિક ચૌધરીને પોતે સુરત જિલ્લા પોલીસ વડા તરીકેની ઓળખ આપી, ગાડીમાં પોલીસ તરીકેની પ્લેટ લગાવી. પોલીસ વરદી તેમજ કેપ પહેરી ફરિયાદીને વન વિભાગમાં આર એફ તો તરીકેની નોકરી અપાવવાના નામે 13 લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત સુરતના કતારગામ ના ફરિયાદી ગુણવંત ભાઈ આંબલિયાને વડોદરાના ડેપ્યુટી કલકેટર તરીકેની ઓળખ આપી આઈ કાર્ડ બતાવી નવસારી ખાતે આવેલી એક જમીન સસ્તામાં અપાવવાનો ભરોસો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 1 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.