નકલી નાયબ કલેક્ટર ઝડપાતા હડકંપ, બારડોલીના બાબેનની નેહા પટેલે અનેક લોકો સાથે આચરી લાખોની ઠગાઈ


  • Published By :
  • Published Date : 2023-10-04 20:01:38

રાજ્યમાં બનાવટી સરકારી કર્મચારીઓનો જાણે રાફડો ફાટ્યો છે, થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક નકલી પોલીસની ધરપકડ કરાઈ હતી. જયારે હવે એક નવો મામલો સામે આવ્યો છે, બારડોલીના બાબેન ગામની એક બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની લોકોને ઠગતી નેહા પટેલ ઝડપાઇ છે. આ ભેજામાજ મહિલાએ અનેક લોકોને ચૂનો લગાડી લાખો રુપિયાની કટકી કરી છે. ડેપ્યુટી કલેક્ટર બની માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે કરવામાં ઠગાઈ કરવામાં આવી છે. પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતી હોવાનું અને ત્યાં નીકળતા કામોના ટેન્ડર અપાવી કમિશન તેમજ મુદ્દલ રકમ પરત આપવાની લાલચ આપી મહિલાએ તે ખેડૂત સાથે 22.28 લાખની છેતરપિંડી કરી છે. માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે ઠગાઈ આચરનારી નેહા પટેલનું કારસ્તાન સામે આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આ અગાઉ પણ બારડોલી ,ડેડીયાપાડા, કતારગામ તેમજ વડોદરામાં આ મહિલાએ કરોડો રુપિયાની ઠગાઈ કરી હોવાની માહિતી સામે આવી છે.



કઈ રીતે ઝડપાઈ ઠગ નેહા પટેલ?


બારડોલીના બાબેન ગામની નેહા પટેલની છેતરપિંડી આચરવાની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ક્યારેક ડેપ્યુટી કલેક્ટર તો ક્યારેક એસ.પી બનીને આ મહિલા ભોળા લોકો સાથે ઠગાઈ આચરતી હતી. માંડવી તાલુકાના તારાપુર ગામના ખેડૂત રામુ ચૌધરીને પોતે નર્મદા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું જણાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત હોવાનું જણાવી મહિલાએ રામુ ચૌધરીને પોતાની જાળમાં ફસાવ્યો અને સ્ટેચ્યુ પરથી બહાર પડતા કામોમાં પૈસા રોકી ત્યાંથી મોટું કમિશન મળવાની લાલચ આપી રામુ ચૌધરી પાસેથી 22.28 લાખ પડાવી લીધા. જોકે પોતે છેતરાયો હોવાનું ભાન થતા રામુ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને આ મહિલા ચીટર પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. 


2018થી શરૂ કર્યો હતો ઠગાઈનો ધંધો


નેહા પટેલની છેતરપિંડીનો આ સિલસિલો 2018 થી શરૂ થઈ ગયો હતો. 2018માં મહિલા વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં પ્રથમ ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદી યોગેશ મનસુખ વિરાનીને પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી એગ્રીકલ્ચર ઝોનમાં આવેલી જમીન ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સફર કરાવી આપવા તેમજ સુરતના વેસુ ખાતે આવેલી એક જમીન જંત્રીના ભાવે અપાવવાના નામે 32 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ અડાજણ ખાતે રહેતા રવજી ખોખર નામના ફરિયાદીને 2021મા પોતાની વડોદરાના ડેપ્યુટી કલકેટર તરીકે ઓળખ આપી અને નકલી આઈકાર્ડ બતાવી અડાજણ સ્ટાર બજાર ક્રોમાં સેન્ટર પાછળ આવેલી સરકારી જમીન ફાળવણી કરાવી આપવાની કહી તેમજ કામરેજના વાલક ગામે આવેલી 73 AA વાળી એક જમીન ટાઇટલ ક્લિયર કરી ફાળવણી કરી આપવાના નામે 1.55 કરોડ પડાવ્યા હતા. ત્યારબાદ ડેડીયાપડા પાડાના કૃતિક ચૌધરીને પોતે સુરત જિલ્લા પોલીસ વડા તરીકેની ઓળખ આપી, ગાડીમાં પોલીસ તરીકેની પ્લેટ લગાવી. પોલીસ વરદી તેમજ કેપ પહેરી ફરિયાદીને વન વિભાગમાં આર એફ તો તરીકેની નોકરી અપાવવાના નામે 13 લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત સુરતના કતારગામ ના ફરિયાદી ગુણવંત ભાઈ આંબલિયાને વડોદરાના ડેપ્યુટી કલકેટર તરીકેની ઓળખ આપી આઈ કાર્ડ બતાવી નવસારી ખાતે આવેલી એક જમીન સસ્તામાં અપાવવાનો ભરોસો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 1 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.