નકલી નાયબ કલેક્ટર ઝડપાતા હડકંપ, બારડોલીના બાબેનની નેહા પટેલે અનેક લોકો સાથે આચરી લાખોની ઠગાઈ


  • Published By :
  • Published Date : 2023-10-04 20:01:38

રાજ્યમાં બનાવટી સરકારી કર્મચારીઓનો જાણે રાફડો ફાટ્યો છે, થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક નકલી પોલીસની ધરપકડ કરાઈ હતી. જયારે હવે એક નવો મામલો સામે આવ્યો છે, બારડોલીના બાબેન ગામની એક બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની લોકોને ઠગતી નેહા પટેલ ઝડપાઇ છે. આ ભેજામાજ મહિલાએ અનેક લોકોને ચૂનો લગાડી લાખો રુપિયાની કટકી કરી છે. ડેપ્યુટી કલેક્ટર બની માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે કરવામાં ઠગાઈ કરવામાં આવી છે. પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતી હોવાનું અને ત્યાં નીકળતા કામોના ટેન્ડર અપાવી કમિશન તેમજ મુદ્દલ રકમ પરત આપવાની લાલચ આપી મહિલાએ તે ખેડૂત સાથે 22.28 લાખની છેતરપિંડી કરી છે. માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે ઠગાઈ આચરનારી નેહા પટેલનું કારસ્તાન સામે આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આ અગાઉ પણ બારડોલી ,ડેડીયાપાડા, કતારગામ તેમજ વડોદરામાં આ મહિલાએ કરોડો રુપિયાની ઠગાઈ કરી હોવાની માહિતી સામે આવી છે.



કઈ રીતે ઝડપાઈ ઠગ નેહા પટેલ?


બારડોલીના બાબેન ગામની નેહા પટેલની છેતરપિંડી આચરવાની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ક્યારેક ડેપ્યુટી કલેક્ટર તો ક્યારેક એસ.પી બનીને આ મહિલા ભોળા લોકો સાથે ઠગાઈ આચરતી હતી. માંડવી તાલુકાના તારાપુર ગામના ખેડૂત રામુ ચૌધરીને પોતે નર્મદા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું જણાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત હોવાનું જણાવી મહિલાએ રામુ ચૌધરીને પોતાની જાળમાં ફસાવ્યો અને સ્ટેચ્યુ પરથી બહાર પડતા કામોમાં પૈસા રોકી ત્યાંથી મોટું કમિશન મળવાની લાલચ આપી રામુ ચૌધરી પાસેથી 22.28 લાખ પડાવી લીધા. જોકે પોતે છેતરાયો હોવાનું ભાન થતા રામુ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને આ મહિલા ચીટર પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. 


2018થી શરૂ કર્યો હતો ઠગાઈનો ધંધો


નેહા પટેલની છેતરપિંડીનો આ સિલસિલો 2018 થી શરૂ થઈ ગયો હતો. 2018માં મહિલા વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં પ્રથમ ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદી યોગેશ મનસુખ વિરાનીને પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી એગ્રીકલ્ચર ઝોનમાં આવેલી જમીન ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સફર કરાવી આપવા તેમજ સુરતના વેસુ ખાતે આવેલી એક જમીન જંત્રીના ભાવે અપાવવાના નામે 32 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ અડાજણ ખાતે રહેતા રવજી ખોખર નામના ફરિયાદીને 2021મા પોતાની વડોદરાના ડેપ્યુટી કલકેટર તરીકે ઓળખ આપી અને નકલી આઈકાર્ડ બતાવી અડાજણ સ્ટાર બજાર ક્રોમાં સેન્ટર પાછળ આવેલી સરકારી જમીન ફાળવણી કરાવી આપવાની કહી તેમજ કામરેજના વાલક ગામે આવેલી 73 AA વાળી એક જમીન ટાઇટલ ક્લિયર કરી ફાળવણી કરી આપવાના નામે 1.55 કરોડ પડાવ્યા હતા. ત્યારબાદ ડેડીયાપડા પાડાના કૃતિક ચૌધરીને પોતે સુરત જિલ્લા પોલીસ વડા તરીકેની ઓળખ આપી, ગાડીમાં પોલીસ તરીકેની પ્લેટ લગાવી. પોલીસ વરદી તેમજ કેપ પહેરી ફરિયાદીને વન વિભાગમાં આર એફ તો તરીકેની નોકરી અપાવવાના નામે 13 લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત સુરતના કતારગામ ના ફરિયાદી ગુણવંત ભાઈ આંબલિયાને વડોદરાના ડેપ્યુટી કલકેટર તરીકેની ઓળખ આપી આઈ કાર્ડ બતાવી નવસારી ખાતે આવેલી એક જમીન સસ્તામાં અપાવવાનો ભરોસો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 1 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી